શોધખોળ કરો

Jaishankar : ક્રિકેટનો ઉલ્લેખ કરી એસ જયશંકરે ખેલી નાખ્યું PM મોદીનું સિક્રેટ

ભારતની વિદેશ નીતિમાં વધતી જતી રુચિ અંગે જયશંકરે કહ્યું હતું કે, આજે વિશ્વ મુશ્કેલ સ્થિતિમાં ઉભું છે. દુનિયામાં લોકોની રુચિ વધી છે. બીજું કારણ ભારતનું વૈશ્વિકીકરણ છે.

Jaishankar On PM Modi: વિદેશ મંત્રી એસ જયશંકરે મોદી સરકારના કામકાજની સરખામણી ક્રિકેટ ટીમ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સવારે 6 વાગ્યાથી નેટ પ્રેક્ટિસ શરૂ થાય છે. જે મોડી રાત સુધી ચાલુ રહે છે. જો પીએમ તમને તક આપે છે, તો તેઓ તમારી પાસેથી વિકેટ લેવાની પણ અપેક્ષા રાખે છે. રાયસીના ડાયલોગ 2023ની 8મી સંસ્કરણ દરમિયાન જયશંકરે આ વાત હળવાશથી કહી હતી.

ભારતની વિદેશ નીતિમાં વધતી જતી રુચિ અંગે જયશંકરે કહ્યું હતું કે, આજે વિશ્વ મુશ્કેલ સ્થિતિમાં ઉભું છે. દુનિયામાં લોકોની રુચિ વધી છે. બીજું કારણ ભારતનું વૈશ્વિકીકરણ છે. એક ક્રિકેટ ટીમ તરીકે અમે ફક્ત ઘરઆંગણે મેચો જ જીતવા માંગતા નથી. અમે વિદેશમાં પણ એવું જ કરવા માંગીએ છીએ.

'PM મોદીની નેટ પ્રેક્ટિસ સવારે 6 વાગ્યાથી શરૂ થઈ જાય છે'

રાયસિના ડાયલોગ 2023 દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરને પૂછવામાં આવ્યું હતું કે, અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ સચિવ માઈક પોમ્પિયોએ તાજેતરમાં તેમના પુસ્તકમાં તમારા માટે લખ્યું છે કે, તમે "વ્યાવસાયિક, તર્કસંગત અને તમારા બોસ અને તમારા દેશના ઉગ્ર રક્ષક" છો. તમે પીએમ મોદી જેવા સુકાની સાથે તમે કેવી રીતે ફિલ્ડમાં ઉતરો છો, તમે ખૂબ જ આક્રમક રમત રમશો, બેટ્સમેન પર આધાર રાખશો કે ફિલ્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશો?

તો વિદેશ મંત્રીએ આ પ્રશ્નનો ખૂબ જ રસપ્રદ રીતે જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે કેપ્ટન મોદીએ ઘણી નેટ પ્રેક્ટિસ કરી છે. તેમની નેટ પ્રેક્ટિસ સવારે 6 વાગ્યે શરૂ થાય છે અને તે લાંબા સમય સુધી ચાલે છે. જો તેઓ તમને આમ કરવાની તક આપે છે તો સાથે જ તેઓ તમારી પાસેથી વિકેટ લેવાની અપેક્ષા રાખે છે.

મને લાગે છે કે જો તમારી પાસે કોઈ ખાસ બોલર હોય, તો તમે તેના પર વિશ્વાસ કરો છો તો તમે તેને ડિસ્કાઉન્ટ આપી શકો છો. તમે ચોક્કસ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેમના પર વિશ્વાસ કરી શકો છો. આ રીતે તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી વિશ્વાસપાત્ર લોકોને કામ કરવાની સ્વતંત્રતા આપે છે.

આ રીતે હું જોઉં છું કે પીએમ મોદી પોતાના બોલરોને અમુક હદ સુધી આઝાદી આપે છે. તેઓ અપેક્ષા રાખે છે કે જો તેઓ તમને તક આપશે તો તમે તે વિકેટો પણ ઝડપશો. પરંતુ હું એમ પણ કહીશ કે, તે મુશ્કેલ નિર્ણયો પર નજર રાખે છે. છેલ્લા 2 વર્ષની કોરોના રોગચાળાને જ લઈ લો, જેમ કે તમે જાણો છો કે લોકડાઉનનો નિર્ણય ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. પરંતુ તે સમયે તે લેવો જરૂરી હતો અને જો આપણે હવે પાછળ વળીને જોઈએ તો જો તે નિર્ણય ના લેવામાં આવ્યા હોત તો શું થઈ શકે તેમ હતું.

અગાઉ, તેમણે જ્યારે તેઓ વિદેશ સચિવ હતા ત્યારે મુશ્કેલીનો સામનો કરવામાં PMની કુશળતાના વખાણ કરવા અંગેની એક ઘટના જણાવી હતી. હકીકતે અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં ભારતના વાણિજ્ય દૂતાવાસ પર હુમલો થયો હતો.

પીએમની કાર્ય શૈલી સમજાવવા આપ્યું ક્રિકેટનું ઉદાહરણ

જ્યારે વિદેશ મંત્રીને પૂછવામાં આવ્યું કે, જો ભારત બ્રિટન કરતા મોટી અર્થવ્યવસ્થા હોય અને ક્રિકેટ પર સંપૂર્ણ નિયંત્રણ હોય તો? વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, હું તેને પુનઃસંતુલન કહીશ. તે ઇતિહાસની સ્વીચ હિટિંગ છે... ભારત એક ખૂબ જ અસામાન્ય સ્થિતિમાં છે, જે અન્ય ઘણા સભ્યતાવાદી દેશો કરવામાં નિષ્ફળ ગયા છે તેને બદલવા માટે ફરી એકવાર નિર્ણાયક રીતે આગળ વધી રહ્યું છે."

વૈશ્વિક મુદ્દાઓમાં વધતી જતી રુચિ અંગે તેમણે કહ્યું હતું કે, એવું છે કારણ કે વિશ્વ અત્યારે મુશ્કેલ સ્થાને છે અને વધુ લોકો વિશ્વમાં રસ લઈ રહ્યા છે. બીજું કારણ ભારતનું વૈશ્વિકીકરણ છે. ક્રિકેટ ટીમની જેમ અમે ફક્ત ઘરે છીએ. એટલું જ નહીં પણ વિદેશમાં મેચો પણ જીતવા માંગીએ છીએ." વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીને ક્રિકેટના દૃષ્ટિકોણથી શ્રેષ્ઠ રીતે સમજાવી. પીએમની કાર્યશૈલીની પ્રશંસા કરી.

આ દરમિયાન ડાયરેક્ટર રાજામૌલીની ફિલ્મ RRR પર વાત કરતી વખતે તેમણે ભારત અને બ્રિટનના સંબંધો પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ બહુ જટિલ સંબંધ છે. તેમણે કહ્યું હતું કે, RRR ગયા વર્ષે ભારતની સૌથી પ્રખ્યાત ફિલ્મ હતી. આ ફિલ્મ ભારતમાં બ્રિટિશ રાજ વિશે હતી.

તેમણે મજાકમાં કહ્યું હતું કે, તેમાં તમે લોકો સારા દેખાડવામાં આવ્યા હતા. જ્યારે તમે આટલો જટિલ ઇતિહાસ જીવ્યા પછી આવો છો ત્યારે તેમાં ગેરફાયદા, શંકાઓ અને વણઉકેલાયેલી સમસ્યાઓ પણ હોય છે. જ્યારે કેટલીક સમાનતાઓ પણ હોય છે. ક્રિકેટને તેમાંની એક કહી શકાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Embed widget