શોધખોળ કરો

Jammu Kashmir News: સામાન્ય નાગરિકોની હત્યાને લઈ રાહુલ ગાંધીએ કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું, જાણો શું કહ્યું ?

જમ્મુ -કાશ્મીરમાં ત્રણ દિવસમાં પાંચ સામાન્ય નાગરિકોની હત્યાને લઈ રાહુલ ગાંધીએ કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મંગળવારે આશરે દોઢ કલાકની અંદર આતંકવાદીઓ દ્વારા ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી.

જમ્મુ -કાશ્મીરમાં ત્રણ દિવસમાં પાંચ સામાન્ય નાગરિકોની હત્યાને લઈ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આતંકી હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે, "કાશ્મીરમાં હિંસાની ઘટનાઓ વધી રહી છે. આતંકવાદ ન તો નોટબંધી  દ્વારા બંધ થયો કે ના કલમ 370 હટાવીને – કેન્દ્ર સરકાર સુરક્ષા પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. અમે અમારા કાશ્મીરી ભાઈઓ અને બહેનો પર થયેલા આ હુમલાની સખત નિંદા કરીએ છીએ અને મૃતકોના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના મોકલીએ છીએ.

ગુરુવારે જ આતંકવાદીઓએ શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં એક મહિલા સહિત બે સરકારી શાળાના શિક્ષકોની ગોળી મારીને હત્યા કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “શ્રીનગર જિલ્લાના સંગમ ઇદગાહ વિસ્તારમાં સવારે 11.15 વાગ્યે આતંકવાદીઓ દ્વારા બે શિક્ષકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.”

આ પહેલા મંગળવારે આશરે દોઢ કલાકની અંદર આતંકવાદીઓ દ્વારા ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત માખનલાલ બિંદુરુ ની શ્રીનગર સ્થિત તેમની ફાર્મસીમાં ગોળી મારીને હત્યા કરી હતી. બિંદુરુ તેમના સમુદાયના કેટલાક લોકોમાંથી એક હતા જેમણે 1990 માં આતંકવાદ ફાટી નીકળ્યા બાદ કાશ્મીર છોડ્યું ન હતું.

બિંદુરુની હત્યા થયાના થોડીક મિનિટો બાદ આતંકવાદીઓએ શ્રીનગરના હવાલ ચોક પાસે બિહારના ભાગલપુરના રહેવાસી વિરેન્દ્ર પાસવાન નામના રોડ સાઈડ વેન્ડરને ગોળી મારી દીધી. આ પછી આતંકીઓએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના નાયડખાયમાં મોહમ્મદ શફી લોનની પણ ગોળી મારીને હત્યા કરી હતી.

ત્રણ અલગ અલગ જગ્યાઓ પર હુમલો

મંગળવારે આતંકવાદીઓએ એક કલાકની અંદર ત્રણ અલગ અલગ જગ્યાઓ પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત અને પ્રખ્યાત ફાર્મસી બિન્દ્રુ મેડિકેટના માલિક માખન લાલ બિન્દ્રોની હત્યા કરી હતી. બિહારના ભાગલપુર જિલ્લાના રહેવાસી વીરંજન પાસવાન પણ અન્ય એક આતંકી હુમલામાં માર્યા ગયા હતા. જિલ્લાના જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વડે સૈદપુર ગામના રહેવાસી 56 વર્ષીય વીરંજન પાસવાનની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. છેલ્લાં અઢી વર્ષથી વીરંજન શ્રીનગરમાં ગોલગપ્પા વેચવાનું કામ કરતો હતો અને તેમાંથી મળતી આવકથી તેના પરિવારનું ભરણપોષણ કરતો હતો.

About the author Hiren Meriya

Hiren Meriya is currently serving as an  Assistant Producer in ABP Asmita. Hiren Meriya has been working in the digital wing of abp news for the past five years. Apart from writing news, he has also been doing video related work. He has been writing news in different series during the elections of many states, Lok Sabha elections.  Before venturing into the world of journalism, he has done M.A in English And Master in Journalism from Saurashtra University. Hiren  has been writing continuously on issues like politics, elections and bollywood. He also wrote many reports related to it during the Corona epidemic.

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget