શોધખોળ કરો
Jammu Kashmir: શ્રીનગરના દાલ લેકમાં હાઉસબોટમાં લાગી આગ, ત્રણ મૃતદેહ મળ્યા
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શનિવાર (11 નવેમ્બર)ના રોજ દાલ લેકમાં અનેક હાઉસ બોટમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે છ હાઉસબોટ બળીને રાખ થઈ ગઈ હતી.

પ્રતિકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શનિવાર (11 નવેમ્બર)ના રોજ દાલ લેકમાં અનેક હાઉસ બોટમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે છ હાઉસબોટ બળીને રાખ થઈ ગઈ હતી. SDRFના જવાનોએ ઘટનાસ્થળેથી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા છે. પોલીસનું કહેવું છે કે મૃતદેહો બાંગ્લાદેશના પ્રવાસીઓના છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પિયર નંબર 9 નજીક એક હાઉસબોટમાં આગ લાગી હતી. આગ કાબૂમાં આવી શકી ત્યાં સુધીમાં નજીકની ઘણી બોટ પણ તેની લપેટમાં આવી ગઈ હતી.
આગના કારણે કરોડોની સંપત્તિને નુકસાન થયું હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
Before You Go
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર





















