શોધખોળ કરો

શેખ હસીના ભારત આવતા કંગના રનૌતનું નિવેદન - ‘મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી, ખુદ મુસલમાનો….’

Kangana Ranaut News: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના બાંગ્લાદેશ છોડી ભારત આવવા અંગે કંગના રનૌતે કહ્યું કે અમે સન્માનિત અને ખુશ છીએ કે શેખ હસીના ભારતમાં સુરક્ષિત અનુભવે છે.

Kangana Ranaut On Sheikh Hasina: બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશ છોડી દીધું. શેખ હસીના પોતાનો દેશ છોડીને ભારત પહોંચી ગયા છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે કહ્યું છે કે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભારતને સુરક્ષિત અનુભવ્યું છે, આ અમારા માટે સન્માનની વાત છે.

કંગના રનૌતે કહ્યું, "ભારત આપણી આસપાસના બધા ઇસ્લામિક પ્રજાસત્તાકોની મૂળ માતૃભૂમિ છે. અમે સન્માનિત અને ખુશ છીએ કે બાંગ્લાદેશના માનનીય વડાપ્રધાન ભારતમાં સુરક્ષિત અનુભવે છે."

ભાજપ સાંસદે આગળ લખ્યું, "પરંતુ ભારતમાં રહેતા બધા લોકો પૂછતા રહે છે કે હિંદુ રાષ્ટ્ર કેમ? રામ રાજ્ય કેમ? ખૈર, એ સ્પષ્ટ છે કે કેમ!!! મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી, અહીં સુધી કે ખુદ મુસલમાનો પણ નહીં. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બ્રિટનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમે ભાગ્યશાળી છીએ કે અમે રામ રાજ્યમાં રહી રહ્યા છીએ."

बांग्लादेश छोड़ भारत आईं शेख हसीना तो कंगना रनौत बोलीं- 'मुस्लिम देशों में अब...

ખરેખર, ભાજપ સાંસદ કંગના રનૌત હિંદુ અને હિંદુત્વ સાથે જોડાયેલા મુદ્દા પર પોતાનો અભિપ્રાય નિર્ભયતાથી રજૂ કરે છે. સાથે જ તેમનો દાવો છે કે જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી ભારતમાં રામ રાજ્ય સ્થાપિત થઈ ગયું છે. આજે ફરી એકવાર તેમણે કહ્યું છે કે અમને ખુશી છે કે અમે ભારત જેવા રામ રાજ્ય વાળા દેશમાં રહીએ છીએ.

જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું અને બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા. રાજધાની દિલ્હીની નજીક ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર તેમનું વિમાન ઉતર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શેખ હસીના થોડા દિવસ ભારતમાં વિતાવી શકે છે અને ત્યારબાદ તે અહીંથી લંડન માટે રવાના થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
Embed widget