શોધખોળ કરો
કેજરીવાલે આપ્યો સંકેત, શું આમ આદમી પાર્ટીમાં જોડાશે સિદ્ધૂ?

નવી દિલ્લી: પૂર્વ ક્રિકેટર અને નેતા નવજોત સિંહ સિદ્ધૂ શું આમ આદમી પાર્ટીમાં જોડાવવાના છે. આ સવાલ એટલા માટે કારણ કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે સિદ્ધૂ સાથે વાત ચાલી રહી છે. બીજેપી છોડ્યા પછી સિદ્ધૂ પર આપ અને કોંગ્રેસ બન્ને પક્ષો તેમના પક્ષમાં જોડાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ સિદ્ધૂએ અત્યાર સુધી પોતાના હુકમના પાન્નાઓ ખોલ્યા છે. સિદ્ધૂની મહિમા તો તે જાણી શકે છે પરંતુ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે કહી દીધું છે કે નવજોત સિંહ સિદ્ધૂ સાથે વાતચીત ચાલી રહી છે. કેજરીવાલ કહી રહ્યા છે કે તે સિદ્ધૂની ખૂબ ઈજ્જત કરે છે અને સિદ્ધૂજ કેમ તેમની સાથે પરગટ સિંહ, સિમરજીત સિંહ બેંસ અને બલવિંદર સિંહ બેંસને પણ આમ આદમી પાર્ટીમાં જવું જોઈએ. પરંતુ પંજાબમાં આપના સીએમ ઉમેદવાર પર કેજરીવાલ કંઈ બોલી રહ્યા નથી. પરંતુ સૂત્રો બતાવી રહ્યા છે કે સાચો દાવ તો સીએમને લઈને ચાલી રહ્યા છે. બીજેપી છોડતી વખતે પણ નવજોત સિંહ સિદ્ધૂ આપમાં જોડાય તેવી અટકળો જોરશોરથી ચાલી રહી હતી, પરંતુ છેલ્લા સમયે સિદ્ધૂએ સીએમ ઉમેદવાર બનાવવાની શરત રાખી અને મામલો ઉંધો થઈ ગયો હતો. ત્યારથી સિદ્ધૂ પંજાબની રાજનીતિમાં ઝૂલી રહ્યા છે, ક્યારેક કોંગ્રેસમાં જોડાય તેવા અહેવાલ સામે આવે છે તો ક્યારેક પોતે પાર્ટી બનાવશે તેવા અહેવાલ મળી રહ્યા છે.
વધુ વાંચો























