શોધખોળ કરો

Patna: ખાન સર વિરુદ્ધ કેટલી કલમો હેઠળ નોંધવામાં આવ્યો કેસ, ઓછામાં ઓછી કેટલા વર્ષની થઈ શકે છે જેલ?

Patna Khan Sir Coaching Case: પટના ગોળીબારની ઘટનાના સંદર્ભમાં બીએનએસની અનેક કલમો હેઠળ પ્રખ્યાત શિક્ષક ખાન સર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ બિનજામીનપાત્ર કલમો હોવાથી તેમને ધરપકડનો ભય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પટનાના શિક્ષક ખાન સર ગંભીર કાનૂની સંકટમાં છે.
  • કોચિંગ બહાર થયેલા ફાયરિંગ-હિંસા બદલ કેસ નોંધાયો.
  • હત્યાના પ્રયાસ સહિત BNS-આર્મ્સ એક્ટની કલમો લાગી.
  • પોલીસ ખાન સરના આત્મસમર્પણની રાહ જોઈ રહી છે.

Patna Khan Sir Coaching Case: પટનાના ચર્ચિત શિક્ષક ફેઝલ ખાન ઉર્ફે ખાન સર અત્યારે ખૂબ જ ગંભીર કાનૂની સંકટનો સામનો કરી રહ્યા છે. પટનામાં ખાન ગ્લોબલ સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટની બહાર થયેલા ફાયરિંગ અને હિંસાના મામલામાં તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કેટલાય કડક પગલાં લીધા છે અને ખાન સર પર ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છે. આ આખા વિવાદે માત્ર શિક્ષણ જગતને જ હેરાન નથી કર્યું, પરંતુ ખાન સરની મુશ્કેલીઓ પણ ઘણી વધારી દીધી છે, કારણ કે તેમની પર લગાવવામાં આવેલી કલમો ખૂબ જ ગંભીર શ્રેણીની છે.

 

શું સરન્ડર કરશે ખાન સર?

આ આખા ઘટનાક્રમ વચ્ચે પટના પોલીસ હાલમાં ખૂબ જ ફૂંકી-ફૂંકીને પગલાં ભરી રહી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે પ્રશાસન ઉતાવળમાં ધરપકડ કરવાના મૂડમાં નથી અને તે ખાન સરના પોતે આત્મસમર્પણ કરવાની રાહ જોઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા પોલીસ સોમવાર સુધી પરિસ્થિતિ પર પૂરી નજર રાખશે. બજારમાં આ વાતની જોરદાર ચર્ચા છે કે ખાન સર સોમવારે પટના સિવિલ કોર્ટમાં સરન્ડર કરી શકે છે, જેથી કાનૂની પ્રક્રિયાને આગળ વધારી શકાય.

આ પણ વાંચો...Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!

જામીન માટે કાનૂની ટીમની તૈયારી

બીજી તરફ ખાન સરની લીગલ ટીમ પણ તેમને આ મોટી આફતમાંથી બચાવવા માટે પૂરી તાકાતથી લાગી ગઈ છે. તેમની કાનૂની ટીમને પૂરો ભરોસો છે કે તેઓ અદાલત સમક્ષ પોતાનો પક્ષ મજબૂતીથી રાખશે અને તેમને આગોતરા જામીન (એન્ટિસિપેટરી બેલ) ના રૂપમાં મોટી રાહત મળી જશે. જો કે, મામલો હાઈ-પ્રોફાઈલ હોવાને કારણે અને તેમાં ગોળીબાર સામેલ હોવાને લીધે કોર્ટમાંથી રાહત મળવી એટલી સરળ પણ નહીં હોય. રોશન આનંદ નામના એક અન્ય આરોપીને આ મામલામાં પોલીસ પહેલા જ જેલમાં મોકલી ચૂકી છે.

ખાન સર પર લગાવવામાં આવેલી કલમો કેટલી ગંભીર?

ખાન સર પર પટના પોલીસે જે સૌથી ખતરનાક કાનૂની ગાળિયો કસ્યો છે, તે છે BNS ની કલમ 109. આ કલમ સીધી રીતે હત્યાના પ્રયાસ (Attempt to Murder) સાથે સંબંધિત છે. કાયદા અનુસાર આ કલમ ત્યારે લગાવવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ જાણીજોઈને કોઈ બીજાનો જીવ લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે તેમાં સફળ થઈ શકતો નથી. આ ગંભીર ગુનામાં દોષિત સાબિત થવા પર આરોપીને પૂરા 10 વર્ષ સુધીની જેલ અને ભારે દંડની સજા થઈ શકે છે.

આર્મ્સ એક્ટનો કડક સિંકજો

ગોળીબારની આ ઘટનાને કારણે ખાન સર પર આર્મ્સ એક્ટની પણ કેટલીય કલમો જોડવામાં આવી છે. પોલીસે આ મામલામાં આર્મ્સ એક્ટની કલમ 25(9), 27 અને 35 હેઠળ કેસ નોંધ્યો છે.

  • કલમ 25: આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ જાહેર સ્થળે હથિયારના ગેરકાયદેસર પ્રદર્શન કે ઉપયોગ પર મહત્તમ 2 વર્ષની સજાની જોગવાઈ છે.

  • કલમ 27: આ કલમ હેઠળ ખતરનાક હથિયારનો ઉપયોગ કરવા પર ઓછામાં ઓછી 3 વર્ષની કેદ થઈ શકે છે.

સંયુક્ત જવાબદારીનો કાનૂની પેચ

આ મામલાનું એક અન્ય ગૂંચવણભર્યું પાસું આર્મ્સ એક્ટની કલમ 35 છે, જે સંયુક્ત જવાબદારી (Joint Liability) સાથે જોડાયેલી છે. આનો અર્થ એ છે કે જો કોઈ પરિસરમાં હિંસા કે ફાયરિંગ થાય છે, તો ત્યાંના સંચાલક કે મુખ્ય વ્યક્તિને પણ તે ગુના માટે સમાન રીતે જવાબદાર ગણી શકાય છે. આ જ કારણે કોચિંગ સંસ્થાના વડા હોવાને નાતે ખાન સર પર આ કલમ લગાવવામાં આવી છે, જે તેમની મુશ્કેલીઓને બમણી કરી દે છે.

બિન-જામીનપાત્ર કલમોને કારણે વધી આફત:

આ મામલામાં ખાન સરની સૌથી મોટી ચિંતા એ છે કે તેમના પર લગાવવામાં આવેલી મોટાભાગની કલમો સંપૂર્ણપણે બિન-જામીનપાત્ર (Non-Bailable) છે. આનો સીધો અર્થ એ છે કે જો પોલીસ તેમની ધરપકડ કરી લે છે, તો પોલીસ સ્ટેશનથી તેમને બેલ મળી શકશે નહીં. તેમણે અનિવાર્યપણે કોર્ટ સમક્ષ હાજર થવું પડશે અને જેલમાં જવું પડશે. હત્યાનો પ્રયાસ અને કોચિંગ પરિસરની અંદર જાહેરમાં હથિયારોનો ઉપયોગ થવાને કારણે મામલાની સંવેદનશીલતા ઘણી વધારે વધી ગઈ છે.

Frequently Asked Questions

ખાન સર પર કયા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે?

ખાન સર પર પટનામાં તેમના ઇન્સ્ટિટ્યૂટની બહાર થયેલા ફાયરિંગ અને હિંસાના મામલામાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ ગંભીર આરોપો છે. BNSની કલમ 109 (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટની કલમ 25, 27, 35 મુખ્ય છે.

આ મામલે પટના પોલીસનો વર્તમાન દ્રષ્ટિકોણ શું છે?

પટના પોલીસ હાલમાં ખાન સરની ધરપકડ કરવામાં ઉતાવળ નથી કરી રહી. તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ખાન સરના આત્મસમર્પણ કરવાની રાહ જોઈ રહ્યા છે, સંભવતઃ સોમવાર સુધી.

ખાન સર પર લગાવવામાં આવેલી કલમો જામીનપાત્ર છે કે નહીં?

ખાન સર પર લગાવવામાં આવેલી મોટાભાગની કલમો બિન-જામીનપાત્ર (Non-Bailable) છે. આનો અર્થ એ છે કે જો તેમની ધરપકડ થાય છે, તો તેમને પોલીસ સ્ટેશનથી જામીન મળી શકશે નહીં અને તેમને કોર્ટ સમક્ષ હાજર થવું પડશે.

આર્મ્સ એક્ટની કલમ 35 શા માટે ખાન સર માટે મહત્ત્વપૂર્ણ છે?

આર્મ્સ એક્ટની કલમ 35 સંયુક્ત જવાબદારી સાથે જોડાયેલી છે. તે દર્શાવે છે કે જો પરિસરમાં હિંસા કે ફાયરિંગ થાય, તો તેના સંચાલક કે મુખ્ય વ્યક્તિને પણ ગુના માટે જવાબદાર ગણી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget