શોધખોળ કરો

Lakhimpur Kheri Case: ચાર મહિના બાદ જેલમાંથી બહાર આવ્યો આશીષ મિશ્રા, ગયા સપ્તાહમાં મળ્યા હતા જામીન

ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખેરી કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રા લખીમપુર જેલમાંથી બહાર આવી ગયો છે. ગયા અઠવાડિયે તેને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે જામીન આપ્યા હતા.

Lakhimpur Kheri Case: ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખેરી કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રા લખીમપુર જેલમાંથી બહાર આવી ગયો છે. ગયા અઠવાડિયે તેને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે જામીન આપ્યા હતા. લગભગ ચાર મહિના પહેલા આશિષની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ઉર્ફે ટેનીના પુત્ર આશિષ મિશ્રા પર લખીમપુર ખેરી જિલ્લાના તિકોનિયા ગામમાં ગયા વર્ષે 3 ઓક્ટોબરે વિરોધ કરી રહેલા ખેડૂતોને જીપથી કચડી નાખવાનો આરોપ છે.

આશિષ મિશ્રાના વકીલ અવધેશ સિંહ તેને ઘરે લાવવા માટે જેલ પહોંચ્યા હતા. તેણે કહ્યું કે મોનુ તેની કારમાં ઘરે જશે. જામીનની શરતો વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, સાક્ષીઓ પર દબાણ નહીં કરવા અને પુરાવા સાથે ચેડાં નહીં કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. વકીલે જણાવ્યું કે આશિષ મિશ્રા જેલમાંથી તિકુનિયામાં આવેલા તેના ઘરે નહીં જાય.

આ મામલાની તપાસ કરી રહેલી SITને તેની તપાસમાં જાણવા મળ્યું કે ખેડૂતોને વાહન વડે કચડી નાખવાની સમગ્ર ઘટના એક સુનિયોજિત કાવતરું હતું. આ પછી સીટે  5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં આશિષ મિશ્રાને હત્યાનો આરોપી બનાવવામાં આવ્યો છે. સીટ  દ્વારા આ કેસમાં કુલ 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીટે આરોપીઓ પર IPC કલમ 307, 326, 302, 34,120B, 147, 148,149, 3/25/30 લગાવી છે.

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે 10 ફેબ્રુઆરીએ આશિષ મિશ્રાની જામીન અરજી સ્વીકારતા તેમને જામીન આપવાનો આદેશ આપ્યો હતો. ગત રોજ કોર્ટે જામીનના હુકમમાં સુધારો કર્યો હતો. નોંધનીય છે કે કોર્ટના આદેશમાં કેટલીક ધારાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો જેના કારણે આશીષને મુક્તિ અટકી ગઇ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget