શોધખોળ કરો

'કોગ્રેસ રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો...', રાજસ્થાનમાં PM મોદીએ ફરી કર્યો પ્રહાર

lok sabha elections 2024:આ દરમિયાન પીએમએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છે.

lok sabha elections 2024: લોકસભા ચૂંટણી પહેલા નેતાઓ સતત દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે, જ્યારે પીએમ મોદી પણ સતત અલગ-અલગ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. આજે વડાપ્રધાન મોદી મંગળવારે રાજસ્થાનના પ્રવાસે પહોંચ્યા હતા. રાજસ્થાનમાં બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર બુધવાર, 24 એપ્રિલે સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. આ કારણથી પીએમ મોદી આજે રાજસ્થાનના ટોંક-સવાઈ માધોપુર પહોંચ્યા હતા. જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાને દરેક વખતે ભાજપને પૂરા આશીર્વાદ આપ્યા છે. આજે રામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિનો પવિત્ર દિવસ છે. સમગ્ર દેશને હનુમાન જયંતિની શુભકામનાઓ. PMએ બજરંગ બલીની જય બોલાવી હતી. આ દરમિયાન પીએમએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છે.

કોંગ્રેસ પર નિશાન સાધ્યું

પીએમએ કહ્યું કે વર્ષ 2014માં તમે મોદીને દિલ્હીમાં સેવા કરવાની તક આપી. પછી દેશે એવા નિર્ણયો લીધા જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે 2014 પછી પણ અને આજે પણ જો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હોત તો શું થાત. જો કોંગ્રેસ હોત તો જમ્મુ-કાશ્મીરમાં આજે પણ આપણો સુરક્ષાદળો પર પથ્થરમારો થતો હોત. જો કોંગ્રેસ હોત તો આજે પણ દુશ્મનો સરહદ પારથી આવીને આપણા જવાનોના માથા લઈ ગયા હોત. જો કોંગ્રેસ હોત તો આપણા સૈનિકો માટે વન રેન્ક વન પેન્શન લાગુ થયું ના હોત અને આપણા ભૂતપૂર્વ સૈનિકોને એક લાખ કરોડ રૂપિયા પણ મળ્યા ના હોત. પીએમ મોદીએ કહ્યું કે તમે પણ જાણો છો કે ટોંકમાં કયા અસામાજિક તત્વોના કારણે ઉદ્યોગ બંધ થયો હતો. પણ તમે અમારા ભજનલાલજીને સેવા કરવાની તક આપી છે. જ્યારથી ભજનલલ જી અને તેમની ટીમ કામ કરી રહી છે ત્યારથી માફિયાઓ અને ગુનેગારો રાજસ્થાનમાંથી ભાગી જવા માટે મજબૂર થવું પડ્યું છે.

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી ગુનોઃ PM

PM એ કહ્યું કે આજે હનુમાન જયંતિ પર તમારી સાથે વાત કરતી વખતે મને થોડા દિવસો પહેલાની એક તસવીર પણ યાદ આવી રહી છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં એક નાના દુકાનદારને ફક્ત એટલા માટે માર મારવામાં આવ્યો કે તે તેની દુકાનમાં બેસીને હનુમાન ચાલીસા સાંભળી રહ્યો હતો. પીએમએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે રામ-રામ સા કહેનારા રાજસ્થાનમાં રામ નવમી પર પ્રતિબંધ મૂક્યો હતો. કોંગ્રેસે સરઘસ પર પથ્થરમારો કરનારાઓને સરકારી રક્ષણ આપ્યું હતું. તુષ્ટિકરણ માટે આ જ કોંગ્રેસ પાર્ટીએ માલપુરા, કરૌલી, ટોંક અને જોધપુરને રમખાણોની આગમાં સળગાવી દીધા હતા. પીએમએ કહ્યું કે હવે ભાજપની સરકાર આવ્યા પછી કોઈની હિંમત નથી કે તમારી આસ્થા પર વિશ્વાસ પર સવાલ ઉઠાવે. હવે તમે શાંતિથી હનુમાન ચાલીસા ગાઇ શકશો અને રામ નવમી પણ ઉજવી શકશો.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર ઉઠ્યા સવાલો

પીએમ મોદીએ કહ્યું હતું કે 2-3 દિવસ પહેલા મેં કોંગ્રેસની આ વોટ બેન્ક અને તુષ્ટિકરણની રાજનીતિનો પર્દાફાશ કર્યો હતો. આનાથી કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમ એટલી નારાજ થઈ ગઈ છે કે તેઓ દરેક જગ્યાએ મારી સાથે દુર્વ્યવહાર કરવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ વોટબેન્કની રાજનીતિમાં એટલી ડૂબી ગઈ છે કે તેને બાબા સાહેબના બંધારણની પણ પરવા નથી. કોંગ્રેસના ઢંઢેરામાં લખવામાં આવ્યું છે કે અમે તમારી મિલકતનો સર્વે કરીશું, અમારી માતા-બહેનો પાસે જે મંગલસૂત્ર છે તેનો સર્વે કરીશું. ત્યારે તેમના એક નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે એક્સ-રે કરાવવામાં આવશે. પીએમએ કહ્યું કે વર્ષ 2011માં કોંગ્રેસે તેને સમગ્ર દેશમાં લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો. એસસી/એસટી અને ઓબીસીને આપવામાં આવેલા અધિકારો છીનવીને, તેઓએ વોટ બેંકની રાજનીતિ માટે અન્યને આપવાની રમત રમી હતી. કોંગ્રેસે આ બધું બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ હોવાનું જાણતી હોવા છતાં અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ કોંગ્રેસને બંધારણની પરવા નહોતી.

કોંગ્રેસ મુસ્લિમોને અનામત આપવા માંગતી હતી

પીએમએ કહ્યું કે સત્ય એ છે કે જ્યારે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન સત્તામાં હતું ત્યારે તેઓ દલિતો અને પછાત વર્ગોના અનામતમાં કાપ મુકીને તેમની વિશેષ વોટ બેન્ક માટે અલગ અનામત આપવા માંગતા હતા. જ્યારે બંધારણ તેની વિરુદ્ધમાં છે. અનામતનો જે અધિકાર બાબા સાહેબે દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને આપ્યો હતો કોંગ્રેસ અને તેનું ગઠબંધન તેને ધર્મના આધારે મુસ્લિમોને આપવા માંગતા હતા. પીએમએ કહ્યું કે કોંગ્રેસના આ ષડયંત્રો વચ્ચે મોદી આજે તમને ખુલ્લા મંચ પરથી ખાતરી આપી રહ્યા છે કે દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ માટે અનામત ખત્મ પણ નહી થાય અને તેને ધર્મના નામે વિભાજિત થવા દેવામાં પણ આવશે નહીં. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણીGujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદDelhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલT20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
Embed widget