શોધખોળ કરો

Lok Sabha Elections 2024: રાહુલ ગાંધીએ રાજપૂતો પર એવું શું કહ્યું કે રાજકીય ખળભળાટ મચી ગયો, ભાજપે કહ્યું- તરત માફી માગો

Rahul Gandhi On Rajput Community: તાજેતરમાં બીજેપી નેતા પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીથી રાજપૂત સમુદાયમાં ગુસ્સો આવ્યો હતો અને હવે રાહુલ ગાંધીનો એક વીડિયો હોબાળો મચાવી શકે છે.

Amit Malviya On Rahul Gandhi: લોકસભા ચૂંટણી 2024માં રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા પર નિવેદનબાજી કરી રહ્યા છે. આ ક્રમમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજપૂત સમુદાય પર આપેલા નિવેદનનો વીડિયો શેર કર્યો છે અને રાહુલ ગાંધી પાસેથી રાજપૂત સમુદાયની તાત્કાલિક માફી માંગવાની માંગ કરી છે.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદન પર અમિત માલવિયાએ કહ્યું છે કે આ વાંધાજનક ટિપ્પણી માટે રાહુલ ગાંધીએ તરત જ રાજપૂત સમુદાયની માફી માંગવી જોઈએ. વાસ્તવમાં, અમિત માલવિયાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીના ભાષણની 24 સેકન્ડની વીડિયો ક્લિપ શેર કરી છે.

જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે, “રાજા-મહારાજાઓનું રાજ હતું, તેઓ જે ઈચ્છતા તે કરતા હતા, કોઈને જમીનની જરૂર હોય તો તે છીનવી લેતા હતા. કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓએ દેશની જનતા સાથે મળીને આઝાદી હાંસલ કરી, લોકશાહી લાવી અને દેશને બંધારણ અપાવ્યું.

પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીથી રાજપૂત સમાજમાં રોષ

આ પહેલા ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ પણ રાજપૂત સમાજને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જે બાદ રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેની અસર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં પણ જોવા મળી હતી. પુરુષોત્તમ રૂપાલાની ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજ સતત ભાજપનો વિરોધ કરી રહ્યો છે. જોકે, પુરુષોત્તમ રૂપાલાએ તેમની ટિપ્પણી બદલ માફી માંગી છે.

ભાજપના ઉમેદવારોની હાર માટે બેઠક યોજશે

રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય ભાજપને ઓછામાં ઓછી દસ બેઠકો પર હરાવવાનો છે, જ્યાં રાજપૂતો મોટી સંખ્યામાં છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને ભરૂચમાં રાજપૂતોની નોંધપાત્ર હાજરી છે. કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, મતદાનના દિવસ પહેલા અમે આગામી મહિને ચાર મોટી સભાઓનું આયોજન કરીને લોકો સુધી પહોંચવા માટે ભાજપના ઉમેદવારોની હાર સુનિશ્ચિત કરીશું.             

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat: લેબગ્રોન ડાયમંડના વેપારીનું પાંચ કરોડનું ઉઠામણું, મહિધરપુરા બજારની ઓફિસ બંધ કરી વેપારી ફરારAhmedabad: DEOના આદેશ બાદ રાજસ્થાન સ્કૂલ મનમાની કરતી હોવાનો વાલીઓનો આરોપIFFCO Election:  વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ, કહ્યું...આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે..!BIG NEWS :  ઈફ્કોની ચૂંટણીમાં રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડાકાના એંધાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Embed widget