શોધખોળ કરો

Women Reservation Bill: મહિલા અનામત બિલ માટે આગળનો રસ્તો અઘરો, જાણો કેવા કેવા પડકારો ઝીલવા પડશે ?

બિલમાં મહિલાઓને આપવામાં આવેલા 33 ટકા અનામતમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામત આપવાનો પ્રસ્તાવ છે.

Women Reservation Bill: નવી સંસદનું ઉદઘાટન 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે મહિલા અનામત બિલની જાહેરાત સાથે કરવામાં આવી હતી. મંગળવારે વડાપ્રધાનની જાહેરાત પછી કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે બિલ (128મું સંશોધન બિલ) રજૂ કર્યું. સરકારે નારી શક્તિ વંદન એક્ટ બિલ નામ સાથે મહિલા અનામત બિલ રજૂ કર્યું અને કહ્યું કે આનાથી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. સંસદમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ ક્વૉટા બનાવવા માટે 1996થી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માર્ચ 2010માં રાજ્યસભાએ બંધારણ (108મો સુધારો) ખરડો, 2008 પસાર કર્યો હતો, પરંતુ આ બિલ લોકસભામાં રજૂ થઈ શક્યુ ન હતું, જો મંગળવારે રજૂ કરવામાં આવેલ બિલ સંસદના બંને ગૃહોમાં ઝડપથી પસાર થઈ જાય તો પણ તેને લાગુ કરવામાં થોડો સમય લાગી શકે છે.

બિલમાં મહિલાઓને આપવામાં આવેલા 33 ટકા અનામતમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામત આપવાનો પ્રસ્તાવ છે. જોકે, ઓબીસી સમુદાયની મહિલાઓ માટે અનામતનો કોઈ પ્રસ્તાવ નથી, જેનો મુદ્દો આરજેડી અને સપા સતત ઉઠાવી રહ્યા છે. જ્યારે પણ આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે બંને પક્ષોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે આ વખતે તેમનું સ્ટેન્ડ શું છે કારણ કે આ બંને પાર્ટીઓ I.N.D.I.A ગઠબંધનનો હિસ્સો છે, જ્યારે કોંગ્રેસ સહિત ગઠબંધનના અન્ય પક્ષો બિલના સમર્થનમાં છે. આરજેડી અને સપા ઓબીસી વર્ગની રાજનીતિ કરે છે.

કઇ રીતે થશે અનામત બેઠકોની ઓળખ ?
હવે જોવાની વાત એ છે કે, અનામત બેઠકોની ઓળખ કેવી રીતે થશે. બિલમાં કહેવામાં આવ્યું છે કે સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે આરક્ષિત હશે. જો કે, બેઠકો કેવી રીતે ઓળખવામાં આવશે તેનો કોઈ ઉલ્લેખ નથી. 2010માં પણ જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે મહિલાઓ માટે કઈ સીટો અલગ રાખવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જોકે, સરકારે એવી દરખાસ્ત કરી હતી કે મહિલાઓ માટે અનામત મતવિસ્તાર લૉટના ડ્રૉ દ્વારા મેળવવામાં આવશે તે સુનિશ્ચિત કરવા માટે કે સતત ત્રણ ચૂંટણીઓમાં કોઈ બેઠક એક કરતા વધુ વખત અનામત ન હોય. વળી, મંગળવારે રજૂ કરવામાં આવેલા બિલમાં અનામત બેઠકોના રૉટેશનનો પણ પ્રસ્તાવ છે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે મહિલાઓ માટે 33 ટકા અનામત બેઠકો કેવી રીતે ઓળખવામાં આવશે. આ બિલ પર બુધવારથી ચર્ચા શરૂ થશે.

કયા બંધારણીય સુધારાઓની પડશે જરૂર ?
જો મહિલા અનામત બિલ પસાર થાય તો જરૂરી બંધારણીય સુધારાઓ પૈકી, સીમાંકન માટે કલમ 82 અને 170(3)માં સુધારો પણ છે. સીમાંકન બાદ જ મહિલા અનામતનો અમલ થશે. દરેક વસ્તી ગણતરી પછી કલમ 82 હેઠળ સીમાંકન કાયદો લાગુ કરવામાં આવે છે, જેમાં વસ્તી ગણતરી પછી પ્રાદેશિક મતવિસ્તારોની પુનઃ વ્યાખ્યા કરવામાં આવે છે. વળી, કલમ 170(3) એસેમ્બલીઓની રચના સાથે સંબંધિત છે. જો મહિલા અનામત બિલ પસાર થાય છે, તો તે 15 વર્ષ માટે લાગુ રહેશે. જો કે, 15 વર્ષનો સમયગાળો પૂરો થયા બાદ તેને વધુ લંબાવી શકાય છે, જેના માટે ફરીથી સંસદમાં બિલ રજૂ કરવું પડશે. બીજી નોંધનીય બાબત એ છે કે બિલ દ્વારા મહિલાઓને માત્ર લોકસભા અને વિધાનસભાઓમાં જ અનામત મળશે. આ રાજ્યસભા અને વિધાન પરિષદોમાં લાગુ થશે નહીં.

શું છે પરિસીમન ?
જો મહિલા અનામત બિલ પસાર થઈ જશે તો પણ તે આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં લાગુ થશે નહીં કારણ કે સીમાંકનનું કામ પૂર્ણ થયું નથી. સીમાંકનનું કામ 2026માં શરૂ થશે, મતવિસ્તારના વિભાજન પછી જ નક્કી થઈ શકશે કે કઈ સીટો મહિલાઓ માટે અનામત રહેશે. લોકશાહીમાં વસ્તીનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ થઈ શકે અને દરેકને સમાન તકો મળે તે માટે સમયાંતરે વધતી જતી વસ્તીના આધારે મતવિસ્તારો ફરીથી નક્કી કરવામાં આવે છે. આના દ્વારા લોકસભા અને વિધાનસભા બેઠકોના વિસ્તારોને ફરીથી નિર્ધારિત કરવામાં આવે છે. આ પ્રક્રિયા પોતે જ સીમાંકન કહેવાય છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget