શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મધ્યપ્રદેશ: સિંધિયાના સમર્થક 6 મંત્રીઓને પદ પરથી હટાવાયા, કમલનાથની સલાહ પર રાજ્યપાલે લીધો નિર્યણ
જે 6 મંત્રીઓને હટાવવામાં આવ્યા છે. તેમાં ઈમરતી દેવી, તુલસીરામ સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમન સિંહ તોમર અને ડૉ. પ્રભુરામ ચૌધરી સામેલ છે.
![મધ્યપ્રદેશ: સિંધિયાના સમર્થક 6 મંત્રીઓને પદ પરથી હટાવાયા, કમલનાથની સલાહ પર રાજ્યપાલે લીધો નિર્યણ Madhya Pradesh Governor Lalji Tandon expels 6 ministers of kamal nath cabinet મધ્યપ્રદેશ: સિંધિયાના સમર્થક 6 મંત્રીઓને પદ પરથી હટાવાયા, કમલનાથની સલાહ પર રાજ્યપાલે લીધો નિર્યણ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/14003657/kamalnath.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કૉંગ્રેસેના 6 મંત્રીઓને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ તમામ છ મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થનમાં છે. મુખ્યમંત્રી કમલનાથની સલાહ બાદ રાજ્યપાલ લાલજી ટંડને આ નિર્ણય લીધો છે. જે 6 મંત્રીઓને હટાવવામાં આવ્યા છે. તેમાં ઈમરતી દેવી, તુલસીરામ સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમન સિંહ તોમર અને ડૉ. પ્રભુરામ ચૌધરી સામેલ છે.
ઉલ્લેખનીય છે કે આ ધારાસભ્યોએ એક વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે તે કોઈ પણ સ્થિતિમાં સિંધિયા સાથે છે. તેઓએ કમલનાથની સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેમને સાંભળવામાં આવતા નહોતા.
સિંધિયા સાથે કૉંગ્રેસના 22 ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે. જો કે આ ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કરવામાં આવ્યું નથી. રાજ્યપાલે માત્ર 6 મંત્રીઓને પદ પરથી હટાવી દીધા છે. જો તમામ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લેવામાં આવશે તો મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર અલ્પમતમાં આવી જશે. રાજીનામું સ્વીકાર કરતા પહેલા વિધાનસભા સ્પીકર ધારાસભ્યો સાથે વાતચીત કરશે તેના બાદ નિર્ણય લેશે.
આ પહેલા મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી હતી અને એક પત્ર સોંપ્યો હતો. અને રાજકીય સ્થિતિ અંગે જાણ કરી હતી. સાથે કમલનાથે ભાજપ પર ધારાસભ્યોનું હૉર્સટ્રેન્ડિંગનો આરોપ લગાવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ દ્વારા આગામી સત્રમાં ફ્લોર ટેસ્ટ કરવાની માંગ કરી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)