શોધખોળ કરો
Advertisement
Coronavirus: મધ્યપ્રદેશ સરકારે ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોરની સરહદ સીલ કરવાના આદેશ આપ્યા
દેશમાં કોરોના વાયરસના કહેરમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 400ને પાર પહોંચી છે.
ભોપાલ: દેશમાં કોરોના વાયરસના કહેરમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 400ને પાર પહોંચી છે. છેલ્લા બે દિવસમાં મધ્યપ્રદેશના નાના શહેરોમાં કોરોના વાયરસના 24 નવા કેસ સામે આવ્યા છે. મધ્યપ્રદેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કહેરને લઈને ભોપાલ, ઈન્દોર અને ઉજ્જૈનની સરહદ સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ શહેરોમાં સોશિયલ મીડિયા પર કોઇ પણ વાંધાજનક પોસ્ટ મુકવા સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, રાજ્યમાં ઘણા સ્થળોએ માત્ર તબલિગી જમાતીઓના કારણે નવા સંક્રમણના કેસ નોંધાયા છે. તેમની ઓળખ કરવામાં અને હોસ્પિટલ પહોંચાડવા દરમિયાન ઘણા સ્વાસ્થ્યકર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હજુ પણ કેટલાક જમાતીઓ છુપાયેલા છે. આવા શરારતી તત્વોને છોડવામાં આવશે નહીં.
મધ્યપ્રદેશના 52 જિલ્લામાંથી 18 જિલ્લા કોરોના પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાણકારી આપતા કહ્યું કે ત્રણ જિલ્લા ભોપાલ, ઉજ્જૈન અને ઈન્દોરની સરહદો સીલ કરવામાં આવી છે. આ સિવાય 18 જિલ્લામાં જે હોટસ્પોટ છે તેને પણ સીલ કરવામાં આવશે. જે જિલ્લાની સરહદો સીલ કરવામાં આવી છે ત્યા કોઈ નહી આવી શકે કે નહી કોઈ જઈ શકે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion