શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

પુલવામા જેવી ઘટના જ મહારાષ્ટ્રમાં BJPની હવા બદલી શકી છે : શરદ પવાર

એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે, લોકસભા ચૂંટણી 2019 પહેલાં લોકોમાં નરેન્દ્ર મોદી માટે ખૂબ ગુસ્સો હતો. પરંતુ પુલવામા હુમલાએ સમગ્ર સ્થિતિ બદલી નાખી હતી. પુલવામા જેવી ઘટના જ મહારાષ્ટ્રમાં લોકોનો મૂડ બદલી શકે છે

ઔરંગાબાદ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્રના ભાજપ સરકાર સામે ખૂબ જ અસંતોષ છે અને પુલવામા જેવી ઘટના જ ચૂંટણી પહેલા આ સ્થિતિને બદલી શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં પવારે આ વાત કરી હતી. ઉલ્લેખનીય છે મહારાષ્ટ્ર-હરિયાણામાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. આ બન્ને રાજ્યમાં 21 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે. શરદ પવારે કહ્યું કે, લોકસભા ચૂંટણી 2019 પહેલાં લોકોમાં નરેન્દ્ર મોદી માટે ખૂબ ગુસ્સો હતો. પરંતુ પુલવામા હુમલાએ સમગ્ર સ્થિતિ બદલી નાખી હતી. પવારે કહ્યું કે ચૂંટણી પહેલા રાજ્યસરકાર સામે લોકોમાં ગુસ્સો દેખાઈ રહ્યો છે. તેઓએ કહ્યું માત્ર પુલવામાં હુમલા જેવી સ્થિતિ જ લોકોનો મૂડ બદલી શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષે 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોની ટૂકડી પર આતંકી હુમલો થયો હતો જેમાં 40 જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં આવેલા બાલાકોટમાં આતંકી સંગઠન પર એર સ્ટ્રાઈક કરી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે એર સ્ટ્રાઈકથી મોદી સરકારની લોકપ્રિયતામાં વધારો થયો છે. પીએમ મોદી પર પ્રહાર કરતા પવારે કહ્યું કે, પીએમ મોદીએ ટીકા કરતા પહેલા પાકિસ્તાન વિશે મેં આપેલા નિવેદન અંગે જાણવું જોઈતું હતું. નાશિકમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ દાવો કર્યો હતો કે પવારે હાલમાંજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેન પાકિસ્તાન સારુ લાગે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ, મોદી સરકારના કાર્યકાળમાં લોકોએ ઈડી અને સીબીઆઈ જેવી તપાસ એજન્સીઓનું અસ્તિત્વ જાણ્યું. મેં ઘણાં વડાપ્રધાન સાથે કામ કર્યું છે પરંતુ એજન્સીઓનો આવો દૂરઉપયોગ ક્યારેય નથી જોયો. ગુજરાતમાં 4 વિધાસનભાની પેટાચૂંટણી જાહેર, કઈ કઈ બેઠક પર યોજાશે ચૂંટણી?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget