શોધખોળ કરો

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ!, ફડણવીસે ફરી આપ્યો એકનાથ શિંદેને મોટો ઝટકો

મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે એકનાથશિંદેના કાર્યકાળ દરમિયાન લીધેલા અન્ય નિર્ણય પર સ્ટે મુકી દીધો છે. જ્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે તાનાજી સાવંત પાસે આરોગ્ય વિભાગની જવાબદારી હતી.

Devendra Fadnavis Vs Eknath Shinde: શું મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેના સંબંધોમાં બધુ બરાબર છે કે પછી બન્ને વચ્ચે બધુ બરાબર છે એવો ઢોંગ કરવામાં આવી રહ્યો છે ? આ પ્રશ્ન ફરી એકવાર ઉભો થયો છે. કારણ કે મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે એકનાથશિંદેના કાર્યકાળ દરમિયાન લીધેલા અન્ય નિર્ણય પર સ્ટે મુકી દીધો છે. જ્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે તાનાજી સાવંત પાસે આરોગ્ય વિભાગની જવાબદારી હતી.

તે સમયના મીડિયા રિપોર્ટ્સ અનુસાર અધિકારીઓની બદલી અને એમ્બ્યુલન્સની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. તેમજ આરોગ્ય વિભાગ હેઠળની તમામ સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રોની સફાઈનું કામ બહારની એજન્સીને સોંપવામાં આવ્યું હતું. આ માટે પૂણેની એક ખાનગી કંપનીને વાર્ષિક રૂ. 638 કરોડના દરે ત્રણ વર્ષ માટે રૂ. 3,190 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે આ કોન્ટ્રાક્ટ સ્થગિત રાખવામાં આવ્યો છે.

શિંદે જૂથનો અલગ સૂર ?

વિપક્ષને આ નિર્ણયને લઈને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે ચાલી રહેલા ગુપ્ત સંઘર્ષની શંકા છે. પરંતુ શિવસેના (શિંદે) પાર્ટીના નેતા અને  આરોગ્ય પ્રધાન પ્રકાશ અબિટકરે અલગ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આ નિર્ણય પાછળ પાર્ટીનું કોઈ કારણ નથી. માત્ર આરોગ્ય વિભાગ જ નહીં પરંતુ દરેક સરકારી વિભાગે નિયમ મુજબ કામ કરવું જોઈએ. અમે જનતા માટે જવાબદાર છીએ.

સંજય રાઉતે ફડણવીસને સમર્થન આપ્યું હતું 

આ દરમિયાન, શિવસેના (ઠાકરે) પાર્ટીના નેતા સંજય રાઉતે પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું, 'એકનાથ શિંદેના કાર્યકાળમાં થયેલા કામોમાં માત્ર ભ્રષ્ટાચાર થયો હતો. બધા જાણે છે કે શિંદેના સમયમાં આરોગ્ય મંત્રી કોણ હતા. ભાજપે ભ્રષ્ટ મંત્રીઓનો વિરોધ કર્યો હતો. તેમાંથી એક આરોગ્ય મંત્રી પણ હતા. જાહેર આરોગ્ય વિભાગ જનતા સાથે સીધો જોડાયેલો છે. પરંતુ જો તે વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોય તો તે યોગ્ય નથી. જો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ ભ્રષ્ટાચાર અટકાવતા હોય તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ. 

મહારાષ્ટ્રનું રાજકારણ રસપ્રદ બન્યું

વાસ્તવમાં મહારાષ્ટ્રની રાજનીતિ 2019 પછી રોમાંચક મોડ પર જઈ રહી છે. 2019 પછી મહારાષ્ટ્રમાં શું થશે તે કહી શકતા નથી. આવી સ્થિતિમાં 2024માં મહાયુતિની સરકાર બન્યા બાદ પણ એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બધુ બરાબર નથી.  અજિત પવારના પ્રવક્તા શિંદેના મંત્રીઓ પર નારાજ છે.

એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget