Raja Murder Case: રાજા હત્યાકાંડ કેસમાં મેઘાલય પોલીસને મળી મોટી સફળતા, ત્રણની ધરપકડ
Raja Murder Case: રાજાની પત્ની સોનમ વિશે પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે. સોનમ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં મળી આવી છે. લગ્ન પછી બંને હનીમૂન માટે શિલોંગ પહોંચ્યા હતા

Raja Murder Case Meghalaya: મધ્યપ્રદેશના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કોંગકલ સંગમાએ સોશિયલ મીડિયા દ્વારા આ કેસની માહિતી આપી હતી. રાજાની પત્ની સોનમ વિશે પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે. સોનમ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં મળી આવી છે. લગ્ન પછી બંને હનીમૂન માટે શિલોંગ પહોંચ્યા હતા.
Within 7 days a major breakthrough has been achieved by the #meghalayapolice in the Raja murder case … 3 assailants who are from Madhya Pradesh have been arrested, female has surrendered and operation still on to catch 1 more assailant .. well done #meghalayapolice
— Conrad K Sangma (@SangmaConrad) June 9, 2025
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કોંગકલ સંગમાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે સોમવારે ઇન્સ્ટાગ્રામ દ્વારા જણાવ્યું હતું કે, "છેલ્લા 7 દિવસમાં મેઘાલય પોલીસે રાજા હત્યા કેસમાં મોટી સફળતા મેળવી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે, એક મહિલાએ આત્મસમર્પણ કર્યું છે અને બીજા હુમલાખોરને પકડવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. મેઘાલય પોલીસને અભિનંદન!''
સોનમ યુપીના ગાઝીપુરમાં મળી
સોનમ અને રાજાના આ વર્ષે 11 મેના રોજ લગ્ન થયા હતા. લગ્ન પછી બંને ગુવાહાટી અને પછી શિલોંગ ફરવા ગયા હતા. અહીં પહોંચ્યાના 48 કલાક પછી બંને ગાયબ થઈ ગયા હતા. આ પછી રાજા રઘુવંશીનો મૃતદેહ મળી આવ્યો અને સોનમ ગાયબ થઈ ગઈ. જોકે, હવે સોનમ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં મળી આવી છે. નંદગંજ પોલીસ સ્ટેશનની પોલીસ તેને હોસ્પિટલ લઈ ગઈ અને તેની પ્રાથમિક સારવાર કરાવી હતી.
રાજા અને સોનમના ગુમ થવાના સમાચાર સાંભળીને પરિવારના સભ્યો શિલોંગ પહોંચ્યા હતા. આ પછી 28 મેના રોજ એક હોટલ પાસેના જંગલમાં બે બેગ મળી આવી હતી, જેને સોનમ અને રાજાના પરિવારે ઓળખી કાઢી હતી. 2 જૂનના રોજ, સર્ચ ઓપરેશન દરમિયાન એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની હાલત ખરાબ હતી પરંતુ પરિવારે રાજાને ઓળખી કાઢ્યો હતો.
પોલીસ હવે તપાસ કરી રહી છે કે સોનમ રઘુવંશી મેઘાલયથી ગાઝીપુર કેવી રીતે પહોંચી અને તેના પતિ રાજા સાથે શું થયું. રાજા રઘુવંશીનો મૃતદેહ મેઘાલયમાં જ એક ધોધ પાસે મળી આવ્યો હતો. રાજા રઘુવંશીના પરિવારે શિલોંગના હોટલ અને સ્થાનિક લોકો પર આરોપ લગાવ્યો હતો કે તેમણે રાજા અને સોનમ સાથે કંઈક ખોટું કર્યું છે. તપાસ દરમિયાન, પોલીસને રાજાનો મૃતદેહ અને સોનમનું જેકેટ મળ્યું જેના પર લોહીના નિશાન હતા.





















