શોધખોળ કરો

Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા

મમતા કુલકર્ણીને તાજેતરમાં કિન્નર અખાડા દ્વારા મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા. આ પછી, સતત વિવાદ થયો. હવે અખાડાના સ્થાપક અજય દાસે ભૂતપૂર્વ અભિનેત્રીને આ પદ અને અખાડામાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે.

Kinnar Akhada: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે, કિન્નર અખાડાએ એક મોટી કાર્યવાહી કરી છે. કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા છે અને તેમને અખાડામાંથી હાંકી કાઢ્યા છે. આ સાથે, લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વર અને અખાડાના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. કિન્નર અખાડાને ટૂંક સમયમાં એક નવા મહામંડલેશ્વર મળશે. ઋષિ અજય દાસે કહ્યું કે અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે.

 

ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ થોડા દિવસો પહેલા પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં સન્યાસની જાહેરાત કરી હતી. મહાકુંભ દરમિયાન કિન્નર અખાડામાં મમતા આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને મળ્યા હતા. આ પછી, મમતાએ સંગમમાં પિંડદાનની વિધિ કરી અને તેમનો રાજ્યાભિષેક કિન્નર અખાડામાં થયો. મહાકુંભમાં સંન્યાસ લીધા પછી, મમતા કુલકર્ણીને એક નવું આધ્યાત્મિક નામ 'શ્રી યમાઈ મમતા નંદ ગિરિ' આપવામાં આવ્યું. આ સાથે, તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

સન્યાસ લીધા પછી મમતાએ શું કહ્યું?

સમાચાર એજન્સી IANS ને આપેલા એક ઇન્ટરવ્યુમાં મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે, મારા ભારત છોડવાનું કારણ આધ્યાત્મિકતા હતી. ૧૯૯૬ માં, હું આધ્યાત્મિકતા તરફ ઝુકી અને તે દરમિયાન હું ગુરુ ગગન ગિરિ મહારાજને મળી. તેમની પાસે હું ઘણું શીખી અને આધ્યાત્મિકતામાં મારો રસ વધ્યો અને મારી તપસ્યા શરૂ થઈ. જોકે, હું માનું છું કે બોલિવૂડે મને ખ્યાતિ આપી. મેં બોલીવુડ છોડી દીધું અને ૨૦૦૦ થી ૨૦૧૨ સુધી તપસ્યા ચાલુ રાખી.

તેણીએ કહ્યું હતું કે, મેં ઘણા વર્ષો દુબઈમાં વિતાવ્યા, જ્યાં હું બે બેડરૂમવાળા ફ્લેટમાં રહેતી હતી અને આ 12 વર્ષ દરમિયાન, મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું. મમતાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ 'કભી તુમ કભી હમ' વર્ષ 2002 માં આવી હતી. આ પછી તેણે મનોરંજનની દુનિયા છોડી દીધી.

તેમને મહામંડલેશ્વર બનાવ્યા બાદ વિવાદ થયો હતો

મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક પર ઘણો વિવાદ થયો હતો. મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક સામે સંતો સતત વિરોધ કરી રહ્યા હતા. જે બાદ આજે તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો....

Budget session: આજથી શરૂ થશે બજેટ સત્ર, આક્રમક રહેશે વિપક્ષ, NDA સાંસદોની મહત્વની બેઠક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget