શોધખોળ કરો

Manipur Violence: મણિપુરના ઇમ્ફાલમાં ફરી હિંસા, ટોળાએ કેન્દ્રિય મંત્રીનું ઘર સળગાવ્યું

મણિપુરના ઈમ્ફાલમાં ગુરુવારે (15 જૂન) રાત્રે ટોળાએ કેન્દ્રિય મંત્રી આરકે રંજન સિંહના ઘરને આગ ચાંપી દીધી હતી

Manipur Violence: મણિપુરના ઈમ્ફાલમાં ગુરુવારે (15 જૂન) રાત્રે ટોળાએ કેન્દ્રિય મંત્રી આરકે રંજન સિંહના ઘરને આગ ચાંપી દીધી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટના સમયે કેન્દ્રિય મંત્રી ઘર પર હાજર નહોતા.

Manipur Violence: મણિપુરના ઈમ્ફાલમાં ગુરુવારે (15 જૂન) રાત્રે ટોળાએ કેન્દ્રિય મંત્રી આરકે રંજન સિંહના ઘરને આગ ચાંપી દીધી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટના સમયે કેન્દ્રિય મંત્રી ઘર પર હાજર નહોતા.

એટલું જ નહીં ટોળાએ ન્યુ ચેકોનમાં બે મકાનો પણ સળગાવી દીધા હતા. જે બાદ સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ પહેલા 14 જૂનના રોજ અજાણ્યા લોકોએ ઇમ્ફાલના લામ્ફેલ વિસ્તારમાં મહિલા મંત્રી નેમચા કિપજેનના સત્તાવાર નિવાસસ્થાને પણ આગ લગાવી દીધી હતી.

મણિપુરમાં હિંસા યથાવત છે. સમાચાર એજન્સી ANI અનુસાર, મંગળવારે (13 જૂન)ના રોજ ઉગ્રવાદીઓ દ્વારા અચાનક કરવામાં આવેલા ગોળીબારમાં 9 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન તોફાની તત્વોએ ખમેનલોક ગામના અનેક ઘરોને પણ આગ ચાંપી દીધી હતી. તામેંગલોંગ જિલ્લાના ગોબાજંગમાં પણ અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ સમયે રાજ્યમાં કેવી સ્થિતિ છે

આ સમયે મણિપુરમાં સ્થિતિ ખૂબ જ તણાવગ્રસ્ત છે. રાજ્યના 16માંથી 11 જિલ્લામાં કર્ફ્યુ લાગુ છે, જ્યારે ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ છે. એટલું  જ નહીં, લોકોને પ્રાથમિક જરૂરિયાતો માટે પણ સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં એક મહિનાથી વધુ સમયથી શાંતિ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ જતા જણાય છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, એક મહિના પહેલા મણિપુરમાં મેઇતી અને કુકી સમુદાયો વચ્ચેની હિંસામાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 310 અન્ય ઘાયલ થયા હતા. રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે સેના અને અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rules for Displaying Flag on Car: 15 ઓગસ્ટે કાર પર તિરંગો લગાવવા ઇચ્છો છો તો પહેલા જાણો આ નિયમ
Rules for Displaying Flag on Car: 15 ઓગસ્ટે કાર પર તિરંગો લગાવવા ઇચ્છો છો તો પહેલા જાણો આ નિયમ
Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget