શોધખોળ કરો

કોરોનાથી થયેલા મોતના આંકડાઓ અંગેના WHOના રિપોર્ટ પર મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

કોરોનાથી થતા મૃત્યુને લઈને WHOના રિપોર્ટ પર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

કોરોનાથી થતા મૃત્યુને લઈને WHOના રિપોર્ટ પર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ત્રણ દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિર દરમિયાન કહ્યું કે અમે એક ઠરાવ પસાર કર્યો છે કે અમે કોવિડ મૃત્યુ અંગે WHOના અનુમાન પર વિશ્વાસ કરતા નથી. 1969 થી અમે કાયદેસર રીતે જન્મ અને મૃત્યુની નોંધણી કરી રહ્યા છીએ. દેશમાં આજે 99.99 ટકા મૃત્યુ નોંધાયા છે.

દેશની છબી ખરાબ કરવાનો WHOનો ઈરાદો 
કેવડિયા ખાતે આયોજિત સેન્ટ્રલ કાઉન્સિલ ફોર હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર-CCHFWની 14મી કોન્ફરન્સમાં ભાગ લેનારા વિવિધ રાજ્યોના આરોગ્ય પ્રધાનોએ ભારતમાં કોવિડ-સંબંધિત 47 લાખ મૃત્યુના અંદાજ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ટીકા કરી છે અને કહ્યું છે કે તે પાયાવિહોણું છે. તેનો ઈરાદો દેશની છબી ખરાબ કરવાનો છે. તેમણે કહ્યું કે ભારતમાં મૃત્યુ નોંધવા માટે એક મજબૂત, કાર્યક્ષમ અને વ્યાપક મિકેનિઝમ છે અને કોવિડના કારણે થયેલા મૃત્યુને  તમામ કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને પારદર્શિતા સાથે વ્યવસ્થિત રીતે નોંધવામાં આવ્યા છે.

WHO વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો 
શુક્રવારે આ કોન્ફરન્સમાં ભારતમાં કોવિડ મૃત્યુના WHOના અંદાજ સામે સખત વાંધો વ્યક્ત કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે WHOનું મૂલ્યાંકન ભારત માટે અસ્વીકાર્ય છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિ ખામીયુક્ત હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સર્વોચ્ચ સલાહકાર સંસ્થા CCHFWની ત્રણ દિવસીય કોન્ફરન્સ ગુરુવારે ગુજરાતના કેવડિયા ખાતે શરૂ થઈ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તેની અધ્યક્ષતા કરી હતી.

WHOની પદ્ધતિ અવૈજ્ઞાનિક 
પંજાબના આરોગ્ય મંત્રી વિજય સિંગલાએ આરોપ લગાવ્યો કે મૃત્યુ અંગે WHOનો અંદાજ બનાવટી છે અને તેણે તેની યોગ્ય ગણતરી કરી નથી. તેમણે કહ્યું કે ભારત પાસે મજબૂત ડેટા કલેક્શન સિસ્ટમ છે અને તેની વિશ્વસનીયતા પર શંકા કરવાનું કોઈ કારણ નથી. વૈશ્વિક આરોગ્ય સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ વૈજ્ઞાનિક નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget