શોધખોળ કરો

કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યુ- વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા સંભવ નહી

સરકારે કહ્યું કે, તેમનું તમામ ધ્યાન હાલમાં દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને નિયંત્રિત કરવામાં છે જેથી આવનારા ખતરાને ઓછો કરી શકાય.

  નવી દિલ્હીઃ કોરોનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા લોકડાઉનના કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને હાલમાં લાવવા સંભવ નથી. કેન્દ્ર સરકારે શુક્રવારે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ એફિડેવિટમાં આ જાણકારી આપી હતી. સરકારે કહ્યું કે, તેમનું તમામ ધ્યાન હાલમાં દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને નિયંત્રિત કરવામાં છે જેથી આવનારા ખતરાને ઓછો કરી શકાય. જસ્ટિસ સંજીવ સચદેવા અને નવીન ચાવલાની ખંડપીઠ સમક્ષ વિદેશ મંત્રાલયના ઉપસચિવ હરવિંદર સિંહે બાંગ્લાદેશમાં ફસાયેલા 581 ભારતીય વિદ્યાર્થીઓને પાછા ભારત લાવવાની માંગને લઇને ગૌરવ બંસલ દ્ધારા દાખલ જનહિત અરજીનો જવાબ આપ્યો હતો.  મંત્રાલય તરફથી હાજર થયેલા વકીલ જસમીત સિંહે કહ્યું કે, લોકડાઉનના કારણે બાંગ્લાદેશ કે કોઇ અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા સંભવ નથી. તેમણે કહ્યું કે, લોકડાઉનના કારણે તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ છે એવામાં સ્થિતિ સામાન્ય થવા સુધીમાં કોઇને સ્વદેશ પાછા લાવવા સંભવ નથી. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે અને કહ્યું છે કે તેમને ત્યાં જ પુરતી મદદ કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય દૂતાવાસના માધ્યમથી બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદ આપવામાં આવી રહી છે. વકીલ બંસલે અરજીમાં બાંગ્લાદેશમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે સરકારને આદેશ આપવાની માંગ કરી હતી. તેમણે અરજીમાં કહ્યું કે, વિદ્યાર્થીઓ વોટ્સએપ મારફતે તેમને થતી પડતી મુશ્કેલીઓ જણાવી મદદની માંગ કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અખિલેશ યાદવનું મોટું નિવેદન,
અખિલેશ યાદવનું મોટું નિવેદન, "અમે બધા લોકો મળીને નીતિશ કુમારને પ્રધાનમંત્રી..."
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Embed widget