શોધખોળ કરો

અગ્નિવીરો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, BSF બાદ હવે CISFની ભરતીમાં મળશે 10% અનામત

મંત્રાલયે વધુમાં વધુ વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે, જે તેના પર નિર્ભર કરશે કે તે અગ્નિવીરની પ્રથમ બેચનો છે કે પછીની બેચનો છે.

Delhi News: કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે. મંત્રાલયે એક અઠવાડિયા પહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં તેમના માટે આવું જ પગલું ભર્યું હતું.

મંત્રાલયે વધુમાં વધુ વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે, જે તેના પર નિર્ભર કરશે કે તે અગ્નિવીરની પ્રથમ બેચનો છે કે પછીની બેચનો છે. આ માટે 1968ના CISF એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 10 ટકા પોસ્ટ ભૂતપૂર્વ અગ્નિવીર માટે આરક્ષિત રહેશે.

વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ બેચના ભૂતપૂર્વ અગ્નિવીરોને વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે. આ સાથે અગ્નિવીરોની અનુગામી બેચને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. નોટિફિકેશન મુજબ, ભૂતપૂર્વ અગ્નિવીરોએ કોઈ શારીરિક કસોટી આપવાની રહેશે નહીં. એટલે કે તેમને શારીરિક પરીક્ષણમાંથી પણ મુક્તિ મળશે. જણાવી દઈએ કે, ગયા વર્ષે કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાની જાહેરાત કરી હતી.

શું છે અગ્નિવીર યોજના

14 જૂને કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત સેનામાં ભરતી કરવામાં આવશે. જો કે, આ યોજના બાદથી સેનામાં જોડાવાનું સપનું જોતા યુવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓએ દેશમાં અલગ-અલગ જગ્યાએ પ્રદર્શનો કર્યા છે. આટલું જ નહીં, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ દેશના કેટલાક રાજ્યોમાં ટ્રેનોને આગ લગાવી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું.

અગ્નિવીર યોજના અંતર્ગત સૈનિકોની ભરતી ચાર વર્ષના ટૂંકા ગાળા માટે કોન્ટ્રાક્ટ આધારે કરવામાં આવશે. આ યોજના હેઠળ આ વર્ષે ત્રણેય સેનામાં લગભગ 46,000 સૈનિકોની ભરતી કરવામાં આવશે. પસંદગી માટે લાયકાતની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હશે અને તેમને અગ્નિવીર તરીકે નામ આપવામાં આવશે.

આ નવી સ્કીમથી એક સવાલ એ પણ ઊભો થાય છે કે શું આ નિર્ણય પણ એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે છેલ્લા 2-3 વર્ષથી કોરોનાને કારણે નવી ભરતી કરવામાં આવી રહી ન હતી. આના જવાબમાં ઈસ્ટર્ન કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ (L-G) KK Repswal એ ABP સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, 'ના, એવું કંઈ નથી, જોકે આપણે જાણીએ છીએ કે છેલ્લા દોઢથી વર્ષોથી કોરોનાને કારણે કોઈ ભરતી નથી. પરંતુ આ નવી યોજના પાછળનું કારણ આ નથી. આ એક નવી પ્રણાલી શરૂ કરવામાં આવી છે અને ત્યારપછી સેનામાં જે પણ ભરતી થશે તે અગ્નિવીર દ્વારા જ કરવામાં આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal Mysterious Death Case: રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકના મોતનો ભેદ ઉકેલાયોHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરાHun To Bolish : હું તો બોલીશ : ગેંગવોરે કર્યું કાયદાનું વસ્ત્રાહરણ?Vadodara Accident: વડોદરાના પોર ગામ પાસે કાર પલટી મારતા 4 લોકોના સ્થળ પર મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
Embed widget