શોધખોળ કરો

અગ્નિવીરો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, BSF બાદ હવે CISFની ભરતીમાં મળશે 10% અનામત

મંત્રાલયે વધુમાં વધુ વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે, જે તેના પર નિર્ભર કરશે કે તે અગ્નિવીરની પ્રથમ બેચનો છે કે પછીની બેચનો છે.

Delhi News: કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે. મંત્રાલયે એક અઠવાડિયા પહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં તેમના માટે આવું જ પગલું ભર્યું હતું.

મંત્રાલયે વધુમાં વધુ વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે, જે તેના પર નિર્ભર કરશે કે તે અગ્નિવીરની પ્રથમ બેચનો છે કે પછીની બેચનો છે. આ માટે 1968ના CISF એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 10 ટકા પોસ્ટ ભૂતપૂર્વ અગ્નિવીર માટે આરક્ષિત રહેશે.

વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ બેચના ભૂતપૂર્વ અગ્નિવીરોને વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે. આ સાથે અગ્નિવીરોની અનુગામી બેચને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. નોટિફિકેશન મુજબ, ભૂતપૂર્વ અગ્નિવીરોએ કોઈ શારીરિક કસોટી આપવાની રહેશે નહીં. એટલે કે તેમને શારીરિક પરીક્ષણમાંથી પણ મુક્તિ મળશે. જણાવી દઈએ કે, ગયા વર્ષે કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાની જાહેરાત કરી હતી.

શું છે અગ્નિવીર યોજના

14 જૂને કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત સેનામાં ભરતી કરવામાં આવશે. જો કે, આ યોજના બાદથી સેનામાં જોડાવાનું સપનું જોતા યુવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓએ દેશમાં અલગ-અલગ જગ્યાએ પ્રદર્શનો કર્યા છે. આટલું જ નહીં, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ દેશના કેટલાક રાજ્યોમાં ટ્રેનોને આગ લગાવી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું.

અગ્નિવીર યોજના અંતર્ગત સૈનિકોની ભરતી ચાર વર્ષના ટૂંકા ગાળા માટે કોન્ટ્રાક્ટ આધારે કરવામાં આવશે. આ યોજના હેઠળ આ વર્ષે ત્રણેય સેનામાં લગભગ 46,000 સૈનિકોની ભરતી કરવામાં આવશે. પસંદગી માટે લાયકાતની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હશે અને તેમને અગ્નિવીર તરીકે નામ આપવામાં આવશે.

આ નવી સ્કીમથી એક સવાલ એ પણ ઊભો થાય છે કે શું આ નિર્ણય પણ એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે છેલ્લા 2-3 વર્ષથી કોરોનાને કારણે નવી ભરતી કરવામાં આવી રહી ન હતી. આના જવાબમાં ઈસ્ટર્ન કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ (L-G) KK Repswal એ ABP સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, 'ના, એવું કંઈ નથી, જોકે આપણે જાણીએ છીએ કે છેલ્લા દોઢથી વર્ષોથી કોરોનાને કારણે કોઈ ભરતી નથી. પરંતુ આ નવી યોજના પાછળનું કારણ આ નથી. આ એક નવી પ્રણાલી શરૂ કરવામાં આવી છે અને ત્યારપછી સેનામાં જે પણ ભરતી થશે તે અગ્નિવીર દ્વારા જ કરવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી
Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી
Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 
Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
Embed widget