શોધખોળ કરો

Mission 2024 : 2024માં દલિત મતો બનશે કિંગ મેકર? વોટબેંક અંકે કરવા ભાજપનો 'માસ્ટર પ્લાન'

દેશના 17 ટકા મતદારો આ જાતિમાંથી આવે છે અને પાર્ટીએ હવે તેના પર નજર ઠેરવી છે. પાર્ટી 14 એપ્રિલથી 5 મે સુધી દેશમાં આ અભિયાન ચલાવશે, જે અંતર્ગત ભાજપના નેતાઓ દલિત વસાહતોમાં પ્રવાસ કરશે.

Ghar Ghar Jodo Campaign: વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં હવે વધુ સમય બાકી નથી. આ સામાન્ય ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો પોતપોતાની તૈયારીમાં લાગેલા છે. આ ક્રમમાં ભાજપ વર્ષ 2019માં જીતેલી સીટોનો રેકોર્ડ તોડવા માંગે છે. આ માટે પાર્ટી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન હેઠળ ભાજપ દલિતો અને અનુસૂચિત જાતિઓ પર ફોકસ કરશે.

દેશના 17 ટકા મતદારો આ જાતિમાંથી આવે છે અને પાર્ટીએ હવે તેના પર નજર ઠેરવી છે. પાર્ટી 14 એપ્રિલથી 5 મે સુધી દેશમાં આ અભિયાન ચલાવશે, જે અંતર્ગત ભાજપના નેતાઓ દલિત વસાહતોમાં પ્રવાસ કરશે. 14મી એપ્રિલે આંબેડકર જયંતિ છે અને 5મી મેના રોજ બુદ્ધ જયંતિ છે. આ દરમિયાન કેન્દ્રમાં સત્તામાં રહેલી પાર્ટી ડોર ટુ ડોર જોડો અભિયાન ચલાવશે. આ અભિયાન થકી સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેલા દલિત પરિવારોને યોજનાઓનો લાભ મળશે. આ અભિયાનનું સમાપન દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં થશે અને આ દરમિયાન એક ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં દલિત સમુદાયને સંબોધિત કરી શકે છે.

વર્ષ 2019માં કેટલા દલિતોએ ભાજપને મત આપ્યા?

દેશમાં લોકસભામાં 131 અનામત બેઠકો છે. જેમાં 84 અનુસૂચિત જાતિ માટે અને 47 અનુસૂચિત જનજાતિ માટે છે. એક સમયે આ તમામ દલિત બહુમતિ બેઠકો પર કોંગ્રેસનો કબજો હતો તો ક્યારેક બહુજન સમાજ પાર્ટી કે અન્ય પક્ષોનો પરંતુ 2019માં નરેન્દ્ર મોદીના નામે એવું તે વાવાઝોડું ફૂંકાયું કે 2014નો રેકોર્ડ તોડીને ભાજપે ભવ્યાતિભવ્ય જીત મેળવતા 77 અનામત બેઠકો કબજે કરી લીધી હતી. તે પણ ત્યારે જ્યારે વિપક્ષે ભાજપ પર દલિત વિરોધી પાર્ટી હોવાનો આરોપ લગાવ્યો હતો.

સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ એટલે કે CSDS મુજબ વર્ષ 2014માં કોંગ્રેસને 18.5 ટકા મતોથી સંતોષ માનવો પડ્યો હતો. આ સાથે જ પોતાને દલિતોની સૌથી મોટી પાર્ટી ગણાવતી બહુજન સમાજ પાર્ટીને 13.9 ટકા મત મળ્યા હતાં. જ્યારે ભાજપને કુલ મતોના લગભગ 24 ટકા મત મળ્યા હતા.

બીજી તરફ CSDS લોકનીતિના સર્વેની વાત કરીએ તો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને પછાત જાતિના મતદાનની ટકાવારીમાં ફાયદો થયો છે. જે 24 ટકાથી વધીને 42 ટકા પર પહોંચી ગયો છે. આ ઉપરાંત 2014થી 2019 વચ્ચે દલિત વોટ 24 ટકાથી વધીને 34 ટકા થઈ ગયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
Embed widget