શોધખોળ કરો

Mulayam Singh Yadav funeral: સૈફઇમાં આજે મુલાયમ સિંહના થશે અંતિમ સંસ્કાર, સંરક્ષણ મંત્રી સહિત અનેક રાજ્યોના CM થશે સામેલ

મુલાયમ સિંહ યાદવનું સોમવારે સવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું સોમવારે સવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમણે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર તેમના વતન ગામ સૈફઈમાં મંગળવારે બપોરે 3 વાગ્યે કરવામાં આવશે. આ પહેલા સવારે 10 વાગ્યાથી અંતિમ સંસ્કાર માટે મૃતદેહને સૈફઈ મેળા ગ્રાઉન્ડના પંડાલમાં રાખવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સૈફઈ પહોંચશે. આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, હેમંત સોરેન, ઓમ બિરલા, કેસીઆર કમલનાથ સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ શ્રદ્ધાંજલિ આપવા સૈફઇ પહોંચશે.

અંતિમ સંસ્કારમાં કોણ હાજરી આપશે?

NCPના વડા શરદ પવાર, મહારાષ્ટ્રના સુપ્રિયા સુલે પણ આજે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવી રહ્યા છે. તાજેતરમાં જ પોતાની રાષ્ટ્રીય પાર્ટીની શરૂઆત કરનાર તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પણ આજે સૈફઈ પહોંચવાના છે. તેમના સિવાય છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, AAP નેતા સંજય સિંહ પણ આજે શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે. જો કે પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ સૈફઈમાં આવવાના હતા, પરંતુ હવે તેઓ બુધવારે આવશે.

જો કે, સોમવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા. મુલાયમ સિંહ યાદવના નિધનની જાણ થતાં તેઓ શ્રદ્ધાંજલિ આપવા મેદાંતા પહોંચ્યા હતા. તેઓ લગભગ 20 મિનિટ સુધી પરિવાર સાથે ત્યાં હાજર રહ્યા અને તેમણે અખિલેશ યાદવ સાથે વાત પણ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન મુલાયમસિંહ યાદવને યાદ કર્યા હતા.

નોંધનીય છે કે મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર તે જ જગ્યાએ કરવામાં આવશે જ્યાંથી તેમણે પોતાની રાજકીય ઓળખ બનાવી હતી. ઈટાવાના સૈફઈમાં મુલાયમ સિંહની અંતિમ વિદાયની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કિસાન બજાર પાસેની જમીનમાં સફાઈની કામગીરી ચાલી રહી છે. જ્યાં નેતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગત સાંજે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પણ મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવા તેમના વતન ગામ સૈફઈ પહોંચ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Jagannath Yatra Stampede:  પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ
Jagannath Yatra Stampede: પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ
રોકવામાં આવી ઉત્તરાખંડની ચારધામ યાત્રા, હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું રેડ એલર્ટ
રોકવામાં આવી ઉત્તરાખંડની ચારધામ યાત્રા, હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું રેડ એલર્ટ
'બંધારણ નહીં, મનુસ્મૃતિ ઈચ્છે છે RSS-BJPને', રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશિ થરૂર! જાણો તેમણે શું કહ્યું
'બંધારણ નહીં, મનુસ્મૃતિ ઈચ્છે છે RSS-BJPને', રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશિ થરૂર! જાણો તેમણે શું કહ્યું
Ahmedabad Plane Crash:દુર્ઘટનાના 17 દિવસ બાદ  DNA મેચ કરવાની પ્રક્રિયા સમાપ્ત, 260 મૃતકોની થઇ ઓળખ
Ahmedabad Plane Crash:દુર્ઘટનાના 17 દિવસ બાદ DNA મેચ કરવાની પ્રક્રિયા સમાપ્ત, 260 મૃતકોની થઇ ઓળખ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Video Viral: ગજરાજને બેરહેમીપૂર્વક માર મારવાનો મહાવતો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નાલાયકીની પરાકાષ્ઠા
Hun To Bolish : હું તો બોલીશ : જીવનું જોખમ !
Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર,PAAS આસપાસ
Banaskantha News: બનાસ નદીનું જળસ્તર વધતા બનાસકાંઠાના કાકવાડાના ગ્રામજનોની મુશ્કેલી વધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jagannath Yatra Stampede:  પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ
Jagannath Yatra Stampede: પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ
રોકવામાં આવી ઉત્તરાખંડની ચારધામ યાત્રા, હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું રેડ એલર્ટ
રોકવામાં આવી ઉત્તરાખંડની ચારધામ યાત્રા, હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું રેડ એલર્ટ
'બંધારણ નહીં, મનુસ્મૃતિ ઈચ્છે છે RSS-BJPને', રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશિ થરૂર! જાણો તેમણે શું કહ્યું
'બંધારણ નહીં, મનુસ્મૃતિ ઈચ્છે છે RSS-BJPને', રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશિ થરૂર! જાણો તેમણે શું કહ્યું
Ahmedabad Plane Crash:દુર્ઘટનાના 17 દિવસ બાદ  DNA મેચ કરવાની પ્રક્રિયા સમાપ્ત, 260 મૃતકોની થઇ ઓળખ
Ahmedabad Plane Crash:દુર્ઘટનાના 17 દિવસ બાદ DNA મેચ કરવાની પ્રક્રિયા સમાપ્ત, 260 મૃતકોની થઇ ઓળખ
Gujarat Rain Update:રાજ્યમાં મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain Update:રાજ્યમાં મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast:આ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast:આ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Shefali Jariwala  Death :  શેફાલી જરીવાલની પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર, જાણો મૃત્યુ માટે ક્યું કારણ જવાબદાર
Shefali Jariwala Death : શેફાલી જરીવાલની પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર, જાણો મૃત્યુ માટે ક્યું કારણ જવાબદાર
છેલ્લી 5 ઓવરનો રોમાંચ, જાણો કેવી રીતે ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 ફાઇનલમાં હારેલી મેચ જીતી
છેલ્લી 5 ઓવરનો રોમાંચ, જાણો કેવી રીતે ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 ફાઇનલમાં હારેલી મેચ જીતી
Embed widget