શોધખોળ કરો

NCP Crisis: જેવા સાથે તેવા! કાકા શરદ પવારનો ભત્રીજાને તેમની જ સ્ટાઈલમાં જવાબ

શરદ પવારનો સંદર્ભ અજિત પવારના નિવેદનનો હતો જેમાં તેમણે એનસીપી અધ્યક્ષની ઉંમર અને સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

Sharad Pawar: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર હાલમાં રાજકીય અને પારિવારિક બંને રીતે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. ભત્રીજા અજિત પવારના રાજકીય બળવા અને નિવૃત્તિ લેવાની સલાહ વચ્ચે શરદ પવારે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની પંક્તિઓને ટાંકીને વળતો જવાબ આપ્યો હતો.

શરદ પવારે કહ્યું હતું કે, લાલ કૃષ્ણ અડવાણીને પાર્ટીની કમાન સોંપતી વખતે વાજપેયીજીએ કહ્યું હતું કે - હું ના તો થાક્યો છું કે ના તો નિવૃત્ત થયો છું, પરંતુ હવે અડવાણીજીના નેતૃત્વમાં જીત તરફ આગળ વધી રહ્યો છું. શરદ પવારનો સંદર્ભ અજિત પવારના નિવેદનનો હતો જેમાં તેમણે એનસીપી અધ્યક્ષની ઉંમર અને સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. અગાઉ શરદ પવારે કહ્યું હતું કે, તેઓ હજુ પણ સક્રિય છે પછી ભલે તેઓ 82 વર્ષના હોય કે 92 વર્ષના.

શરદ પવારની નિવૃત્તિ અંગે અજિત પવારે શું કહ્યું?

મુંબઈમાં સાથી બળવાખોર નેતાઓ, ધારાસભ્યો અને પક્ષના કાર્યકરોની બેઠકમાં અજિત પવારે શરદ પવારની ઉંમરને લઈને નિશાન તાકતા કહ્યું હતું કે, તમે મને બધાની સામે ખલનાયક બનાવી દીધો છે. મને હજી પણ તમારા માટે ઘણું સન્માન છે.. તમે જ કહો, IAS અધિકારીઓ 60 વર્ષની વયે નિવૃત્ત થાય છે, ભાજપના નેતાઓ 75 વર્ષની વયે નિવૃત્ત થાય છે - લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા ઉદાહરણો તમારી સામે છે જ. જેમણે નવી પેઢીને આગળ વધવાની પ્રેરણા આપી છે. અજીત પવારે શરદ પવારને કહ્યુંં હતું કે, તમે હવે નિવૃત્ત થાવ અને પાર્ટીની કમાન અપને સોંપી દો. અમે પાર્ટી ચલાવીશું.  

ઉલ્લેખનીય છે કે, અજિત પવારે મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ ગઠબંધન સરકાર સાથે હાથ મિલાવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં. આ સાથે તેમણે એનસીપી પર પણ પોતાનો દાવો કર્યો હતો. આ સંદર્ભે ગયા બુધવારે બંને જૂથોની અલગ-અલગ બેઠકો યોજવામાં આવી હતી. જેમાં તેઓએ તેમની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.

અજિત પવાર જૂથની બેઠકમાં 35થી વધુ ધારાસભ્યો પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે શરદ પવાર જૂથના 15 ધારાસભ્યોએ ત્યાં તેમની હાજરી નોંધાવી હતી. જો કે, અજિત પવારે આ દરમિયાન દાવો કર્યો હતો કે તેમની પાસે 40 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે અને NCP પાસે મહારાષ્ટ્ર વિધાનસભામાં 53 ધારાસભ્યો છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
Embed widget