શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજ્યસભામાં સેક્સ પર ઐતિહાસિક ભાષણ આપનાર NCPના સીનિયર નેતા ડીપી ત્રિપાઠીનું નિધન
હાલમાં તેઓ એનસીપીના મહાસચિવ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા.
![રાજ્યસભામાં સેક્સ પર ઐતિહાસિક ભાષણ આપનાર NCPના સીનિયર નેતા ડીપી ત્રિપાઠીનું નિધન ncp leader dp tripathi dies due to prolonged illness રાજ્યસભામાં સેક્સ પર ઐતિહાસિક ભાષણ આપનાર NCPના સીનિયર નેતા ડીપી ત્રિપાઠીનું નિધન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/02142425/dp-tripathi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ એનસીપીના સીનિયર નેતા અને પૂર્વ સાંસદ ડીપી ત્રિપાઠીનું ગુરુવારે નિધન થયું છે. તે લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા. દિલ્હીની હોસ્પિટલમાં તેમનું નિધન થયું. એનસીપીના સીનિયર નેતા પ્રફુલ્લ પટેલે પૂર્વ સાંસદ ડીપી ત્રિપાઠીનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, ‘પોતાના સહયોગી ડીપી ત્રિપાઠીના નિધનથી આઘાત લાગ્યો છે. તેમને ક્યારે ભૂલી નહીં શકાય. ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે.’ તેમને એનસીપી પ્રમુખ શરદ પવારના ખૂબ જ નજીકના ગણાતા હતા.
હાલમાં તેઓ એનસીપીના મહાસચિવ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. ગયા વર્ષે જ રાજ્યસભામાં તેમનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. પોતાના વિદાય ભાષણમાં તેમણે સેક્સના મુદ્દાને ઉઠાવતા કહ્યું હતું કે આજ સુધી તેના પર સંસદમાં ચર્ચા થઇ નથી જ્યારે ગાંધીજી અને લોહિયાએ પણ તેના પર વાત કરી હતી. તેમણે કહ્યું કે સેક્સ સાથે જોડાયેલી બીમારીઓના લીધે મોત થાય છે, પરંતુ કયારેય તેના પર વાત થઇ નથી.
તેમણે કહ્યું કે જે દેશમાં કામસૂત્ર જેવા પુસ્તક લખાયા હતા, ત્યાંની સંસદમાં સેક્સ જેવા વિષય પર કયારેય વાત થઇ નથી. આ પુસ્તકને લખનારા વાત્સ્યાયનને ઋષિનો દરજ્જો પ્રાપ્ત હતો. અજંતા-ઇલોરાની ગુફાઓ અને ખજુરાહોના સ્મારક તેના પર સમર્પિત છે, પરંતુ કયારેય સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો નથી. 1968મા રાજનીતિમાં આવેલા ડીપી ત્રિપાઠી સારા વક્તા ગણાતા હતા. ઇમરજન્સીના આંદોલન સમયે તેઓ જેલમાં પણ રહ્યા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)