શોધખોળ કરો

NCP-શરદ પવાર જૂથે 9 ઉમેદવાર કર્યા જાહેર, સ્વરા ભાસ્કરના પતિને આપી ટિકિટ 

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે.  આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદ પવાર (NCP-SP) એ પણ તેના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે.  આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદ પવાર (NCP-SP) એ પણ તેના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. એનસીપી-એસપીની ત્રીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. શરદ પવાર જૂથ વતી ઉમેદવારોની  બે યાદી બહાર પાડવામાં આવી છે. આ રીતે, એસસીપી શરદ પવાર જૂથે ત્રણ યાદી દ્વારા 76 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.

આ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

1. કરંજા - જ્ઞાયક પટણી
2. હિંગણઘાટ - અતુલ વાંદિલે
3. હિંગણા - રમેશ બંગ
4. અણુશક્તિનગર - ફહાદ અહમદ
5. ચિંચવડ - રાહુલ કલાટે
6. ભોસારી - અજિત ગવ્હાણે
7. માઝલગાવ- મોહન બાજીરાવ જગતાપ
8. પરલી - રાજેસાહેબ દેશમુખ
9. માહોલ - સિદ્ધ રમેશ કદમ 


એનસીપી-શરદ પવાર જૂથે અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને પણ ઉમેદવાર બનાવ્યા છે. ફહાદ અહમદે સમાજવાદી પાર્ટી છોડી દીધી છે અને આજે એનસીપીમાં જોડાયા છે. એનસીપીના નેતા જયંત પાટિલે કહ્યું કે ફહાદ અહમદ પાર્ટીમાં જોડાયા. 

શરદ પવાર જૂથની એનસીપીએ અત્યાર સુધીમાં ત્રણ યાદીમાં 76 ઉમેદવારોની જાહેરાત કરી છે. ઉમેદવારોની નવી યાદીની જાહેરાત કરતા એનસીપી (એસપી) મહારાષ્ટ્ર યુનિટના પ્રમુખ જયંત પાટિલે જણાવ્યું હતું કે ઉમેદવારોની જીતની સંભાવનાના આધારે નિર્ણય લેવામાં આવી રહ્યા છે. 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ક્યારે છે ?

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન અને ત્યારબાદ 23 નવેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. હાલમાં, મહાયુત ગઠબંધન (એટલે ​​કે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી) સત્તામાં છે. આ વખતે મહાવિકાસ આઘાડી (કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને એનસીપી શરદચંદ્ર પવાર) પણ સત્તાની કમાન ફરીથી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે જનતા ક્યાં ગઠબંધન પર ભરોસો વ્યક્ત કરે છે.     

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન અને ત્યારબાદ 23 નવેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.  

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નહીં લડે AAP, કેજરીવાલ MVA ઉમેદવારો માટે કરશે પ્રચાર    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm  મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
વિરાટ સહિત જાડેજા-બુમરાહ પણ થશે બહાર! ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં આવી હશે પ્લેઇંગ ઇલેવન
વિરાટ સહિત જાડેજા-બુમરાહ પણ થશે બહાર! ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં આવી હશે પ્લેઇંગ ઇલેવન
સલમાન ખાન સુરક્ષિત નથી! રાકેશ ટિકૈત બોલ્યા - માફી માંગવાથી જીવ બચી જાય તો શું વાંધો છે, માની લો...
સલમાન ખાન સુરક્ષિત નથી! રાકેશ ટિકૈત બોલ્યા - માફી માંગવાથી જીવ બચી જાય તો શું વાંધો છે, માની લો...
ઇઝરાયેલની એરસ્ટ્રાઇકે છીનવી લીધી ઈરાનની સૌથી મોટી 'તાકાત'! ઇચ્છીને પણ નહીં કરી શકે જવાબી હુમલો
ઇઝરાયેલની એરસ્ટ્રાઇકે છીનવી લીધી ઈરાનની સૌથી મોટી 'તાકાત'! ઇચ્છીને પણ નહીં કરી શકે જવાબી હુમલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fast Mobile Charging Tips : શું તમારા ફોનમાં ખૂબ જ ધીમું ચાર્જિંગ થાય છે? અપનાવો આ ટિપ્સPanchmahal News : જીવતા વીજ વાયરથી બે સગા ભાઈ-ભાણેજનું મોત, દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યુંAmbalal Patel : Gujarat Cyclone Threat : ગુજરાત પર ત્રણ વાવાઝોડાનો ખતરો,  બીજું ચક્રવાત હશે ખૂબ જ પ્રચંડMan Ki Baat : PM મોદીએ મન કી બાતમાં ડિજિટલ અરેસ્ટને લઈ લોકોને ચેતવ્યા, જુઓ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm  મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
વિરાટ સહિત જાડેજા-બુમરાહ પણ થશે બહાર! ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં આવી હશે પ્લેઇંગ ઇલેવન
વિરાટ સહિત જાડેજા-બુમરાહ પણ થશે બહાર! ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં આવી હશે પ્લેઇંગ ઇલેવન
સલમાન ખાન સુરક્ષિત નથી! રાકેશ ટિકૈત બોલ્યા - માફી માંગવાથી જીવ બચી જાય તો શું વાંધો છે, માની લો...
સલમાન ખાન સુરક્ષિત નથી! રાકેશ ટિકૈત બોલ્યા - માફી માંગવાથી જીવ બચી જાય તો શું વાંધો છે, માની લો...
ઇઝરાયેલની એરસ્ટ્રાઇકે છીનવી લીધી ઈરાનની સૌથી મોટી 'તાકાત'! ઇચ્છીને પણ નહીં કરી શકે જવાબી હુમલો
ઇઝરાયેલની એરસ્ટ્રાઇકે છીનવી લીધી ઈરાનની સૌથી મોટી 'તાકાત'! ઇચ્છીને પણ નહીં કરી શકે જવાબી હુમલો
ગુજરાત પર ત્રણ  વાવાઝોડાનો  ખતરો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેની ચેતવણી
ગુજરાત પર ત્રણ વાવાઝોડાનો ખતરો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેની ચેતવણી
દિવાળી પહેલા અમદાવાદમાં મોટી દુર્ઘટના,નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં બેના મોત
દિવાળી પહેલા અમદાવાદમાં મોટી દુર્ઘટના,નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં બેના મોત
રાશન કાર્ડ નથી તો પણ મળશે સરકારી યોજનાઓનો લાભ, બસ કરો આ કામ
રાશન કાર્ડ નથી તો પણ મળશે સરકારી યોજનાઓનો લાભ, બસ કરો આ કામ
દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
Embed widget