શોધખોળ કરો

વધુ એક યુદ્ધના ભણકારાઃ ઈરાન પર હુમલા બાદ નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો, જાણો શું વાત થઈ

ઇઝરાયલના PM નેતન્યાહૂએ વૈશ્વિક નેતાઓ સાથે રાજદ્વારી વાટાઘાટો શરૂ કરી; ટ્રમ્પ અને પુતિન સાથે પણ વાતચીત કરશે.

Netanyahu calls PM Modi: ઈઝરાયલ દ્વારા ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલા બાદ, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઉચ્ચ સ્તરીય રાજદ્વારી વાટાઘાટો શરૂ કરી દીધી છે. આ જ કડીમાં તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફોન કરીને વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી.

PM મોદી અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, નેતન્યાહૂએ તેમને ઈરાન સાથેની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. પીએમ મોદીએ કહ્યું કે તેમણે નેતન્યાહૂને ભારતની ચિંતાઓથી વાકેફ કર્યા અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા વહેલી તકે પુન:સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ભારત હંમેશા સંવાદ અને કૂટનીતિ દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનું સમર્થન કરતું રહ્યું છે.

વૈશ્વિક નેતાઓ સાથે નેતન્યાહૂની રાજદ્વારી પહેલ

ઈઝરાયલના પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલા બાદ બેન્જામિન નેતન્યાહૂએ વિશ્વના ઘણા દેશોના રાષ્ટ્રપ્રમુખોને ફોન કરીને તેમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. પીએમ મોદી ઉપરાંત, નેતન્યાહૂએ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પણ ફોન પર વાત કરી. ટૂંક સમયમાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે પણ વાત કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ ઘટાડવા માટે આ વાટાઘાટો મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઈરાન પર હુમલા અંગે નેતન્યાહૂનું નિવેદન

બેન્જામિન નેતન્યાહૂએ ઈરાની પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમોને ઇઝરાયલના અસ્તિત્વ માટે ખતરો ગણાવ્યો છે. ઈરાન પર હુમલા બાદ તેમણે કહ્યું, "અમે ઈરાનના પરમાણુ શસ્ત્રો કાર્યક્રમના કેન્દ્ર પર હુમલો કર્યો છે. અમે ઈરાની (પરમાણુ) બોમ્બ પર કામ કરતા ઈરાનના અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા છે. અમે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમના કેન્દ્ર પર પણ હુમલો કર્યો છે."

રશિયા દ્વારા મુસાફરી સલાહ અને હુમલાની નિંદા

આ દરમિયાન, રશિયાએ તેના નાગરિકોને ઈરાન અને ઈઝરાયલની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. રશિયન વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલ સલાહમાં યુદ્ધ ક્ષેત્રોમાં લશ્કરી થાણાઓ અને ભીડભાડવાળા જાહેર સ્થળોથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.

રશિયાએ ઈરાન પર ઈઝરાયલના હવાઈ હુમલાની સખત નિંદા કરી છે. રશિયન વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, "અમે પશ્ચિમ એશિયામાં તણાવમાં ખતરનાક વધારો થવા પર ભારે ચિંતા વ્યક્ત કરીએ છીએ. અમે જૂન 13 ની રાત્રે ઇઝરાયલ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને લેવામાં આવેલી લશ્કરી કાર્યવાહીની સખત નિંદા કરીએ છીએ."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Embed widget