શોધખોળ કરો

Corona News: રાજ્યમાં ફરી એકવાર વકર્યો કોરોના, જાણો અમદાવાદ, સુરત સહિતના વિસ્તારમાં શું છે સ્થિતિ

Corona News: ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં 56 કેસ એક્ટિવ છે. જાણીએ રાજ્યના અન્ય શહેરોમાં શું છે સ્થિતિ

Corona News: અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાએ ફરી એકવાર માથુ ઉંચક્યું છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં કોરોના વકરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં  કોરોનાના વધુ છ કેસ નોંધાયા છે.અડાજણમાં BOBના કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાર્લેપોઈન્ટની મહિલા ફેશન ડિઝાઈનર કોરોના સંક્રમિત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધી 56 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના વકર્યો

અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે. જે બાબત ચિંતાજનક છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 686 પર  પહોંચી છે.  અમદાવાદ સોલા સિવિલમાં કુલ પાંચ દર્દી દાખલ છે. અમદાવાદ અસારવા સિવિલમાં 3 દર્દી સારવાર હેઠળ છે. 

કચ્છમાં આજે કોરોનાના નવા 4 કેસ નોંધાયાં

કચ્છમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે. કચ્છમાં આજે કોરોનાના નવા 4 કેસ નોંધાયાં છે. ભુજમાં ૩ કેસ, 82  વર્ષની મહિલા સંક્રમિત થઇ છે તો 63 વર્ષના એક પુરૂષ અને  35 વર્ષના બે પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.હાલ એક્ટિવ તમામ 14  કેસ હોમ આઈસોલેશનમાં છે.

સુરેન્દ્રનગરમાં પણ વધી રહ્યું છે સંક્રમણ

 સુરેન્દ્રનગર કોરોએ પગ પેસારો કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 3 નવા કોરોનાના કેસ નોંઘાયા છે.7 ટેસ્ટિંગ પૈકી વધુ 3 લોકો કોરોનાગ્રસ્ત છે. ધ્રાંગધ્રામાં કોરોનાના કુલ 8 કેસો એક્ટિવ છે. તમામને હોમ આઇસોલેશન રાખી સારવાર શરૂ કરવામાં આવ છે. કોરોનાના વધતા કેસો બાદ આજ થી સુરેન્દ્રનગરની સીવીલ હોસ્પિટલમાં આવેલ લેબમાં પણ ટેસ્ટિંગ કરવા સૂચના અપાઇ છે.

ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના 183 નવા કેસ નોંધાતાથી સાથે જ  કુલ એક્ટિવ કેસનો આંકડો 822 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે.  78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. 

દેશમાં કોવિડ-19 કેસોની સંખ્યા ફરી એકવાર વધી રહી છે. શનિવાર સવાર સુધીના આંકડા મુજબ, ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 5755 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 391 નવા કેસ નોંધાયા છે અને ચાર લોકોના મોત થયા છે - જેમાંથી  મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુના છે.

કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે, જ્યાં એક જ દિવસમાં 127નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. ત્યારબાદ ગુજરાતમાં 102, પશ્ચિમ બંગાળમાં 26 અને દિલ્હીમાં 73 નવા કેસ નોંધાયા છે. આ રાજ્યોમાં મળીને દેશભરમાં કુલ 391 નવા કેસ નોંધાયા છે. કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે હોસ્પિટલોની તૈયારી તપાસવા માટે મોક ડ્રીલ હાથ ધરી હતી.

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
Petrol Diesel Expiry Date: શું પેટ્રોલ-ડીઝલની પણ હોય છે એક્સપાયરી? જાણો ક્યાં સમય સુધી કરી શકો છો સ્ટોર
Petrol Diesel Expiry Date: શું પેટ્રોલ-ડીઝલની પણ હોય છે એક્સપાયરી? જાણો ક્યાં સમય સુધી કરી શકો છો સ્ટોર
TECH EXPLAINED: શું હોય RAM? જાણો કેવી રીતે તેની અછતથી વધશે સ્માર્ટફોનની કિંમત
TECH EXPLAINED: શું હોય RAM? જાણો કેવી રીતે તેની અછતથી વધશે સ્માર્ટફોનની કિંમત
Shani Shingnapur Mandir: ભારતનું એક અનોખું ગામ, જ્યાં ક્યારેય નથી થતી ચોરી, હંમેશા તાળા વગર રહે છે ઘર અને બેંક
Shani Shingnapur Mandir: ભારતનું એક અનોખું ગામ, જ્યાં ક્યારેય નથી થતી ચોરી, હંમેશા તાળા વગર રહે છે ઘર અને બેંક
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Embed widget