શોધખોળ કરો

New Parliament Building: નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહમાં કોણ કોણ થશે સામેલ ? , કઇ પાર્ટીઓ કરી રહી છે વિરોધ ?

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા રવિવારે (28 મે)ના રોજ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે

Parliament Building Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (28 મે)ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ક્રમમાં કાર્યક્રમમાં ભાગ લેનાર મહેમાનોની યાદી પણ બહાર આવી છે. આ માટે પૂર્વ સ્પીકર અને લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ સહિત ઘણા નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા રવિવારે (28 મે)ના રોજ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવા માટે બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ના સાંસદોને ફિઝિકલ અને ડિજિટલ સ્વરૂપે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

આ મહાનુભાવોને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું

આ સાથે સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “બંને ગૃહોના સભ્યો ઉપરાંત, લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર્સ અને રાજ્યસભાના ભૂતપૂર્વ અધ્યક્ષોને પણ આમંત્રણો મોકલવામાં આવ્યા છે. તમામ મુખ્યમંત્રીઓને પણ ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

રાજ્યસભાના વર્તમાન ઉપસભાપતિ હરિવંશ આ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ સિવાય ભારત સરકારના તમામ મંત્રાલયોના સચિવોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. નવા સંસદભવનના મુખ્ય આર્કિટેક્ટ બિમલ પટેલ અને ઉદ્યોગપતિ રતન ટાટાને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં ટાટા પ્રોજેક્ટ્સે આ સંસદભવનના નિર્માણ માટે કોન્ટ્રાક્ટ લીધો હતો. તે કેન્દ્રની સેન્ટ્રલ વિસ્ટા પુનઃવિકાસ યોજનાઓનો પણ એક ભાગ હતો. આ સાથે ફિલ્મી હસ્તીઓ અને ખેલાડીઓ સહિત કેટલીક અગ્રણી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ અભિનંદન સંદેશ આપશે

સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આ પ્રસંગે અભિનંદન સંદેશ મોકલે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા નવા સંસદ ભવનમાં ભાષણ આપશે અને પીએમ મોદી ભાષણ આપે તેવી શક્યતા છે. સંસદના તમામ સભ્યો માત્ર લોકસભા ચેમ્બરમાં જ બેસશે. આ હોલમાં 800 થી વધુ લોકો બેસી શકે છે.

કયા પક્ષો વિરોધ કરી રહ્યા છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. ઘણી પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે. આ પક્ષોની માંગ છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉદ્ઘાટન કરવું જોઈએ. કોંગ્રેસ સહિત 21 વિરોધ પક્ષોએ તેનો બહિષ્કાર કર્યો છે. આ પક્ષોમાં કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે), સમાજવાદી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), સીપીઆઈ, કેરળ કોંગ્રેસ (મણિ), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી, આરએલડી, ટીએમસી, જેડીયુ,  NCP, CPI(M), RJD, AIMIM, AIUDF, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, નેશનલ કોન્ફરન્સ, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી અને મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK)નો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget