શોધખોળ કરો

New Parliament : નવી સંસદને કઈ કંપનીએ બનાવી? કેટલો ખર્ચ થયો અને શું છે ખાસ?

સંસદની નવી ઇમારત ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. તેમાં એક ભવ્ય સંવિધાન હૉલ, સભ્યો માટે લાઉન્જ, લાઇબ્રેરી, અનેક કમિટી રૂમ, કાફે, ડાઇનિંગ એરિયા અને પાર્કિંગ માટે પૂરતી જગ્યા છે.

New Parliament Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે 75 રૂપિયાનો સિક્કો અને ખાસ સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. નવી સંસદ જૂની ઇમારતથી ઘણી રીતે અલગ છે. તો ચાલો જાણીએ કે નવી સંસદ ભવન બનાવવામાં કેટલો સમય લાગ્યો? સાથે જ તેની પાછળ કેટલો ખર્ચ થયો અને તે જૂની બિલ્ડિંગથી કેટલી અલગ અને કેટલી મોટી છે.

સંસદની નવી ઇમારત ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. તેમાં એક ભવ્ય સંવિધાન હૉલ, સભ્યો માટે લાઉન્જ, લાઇબ્રેરી, અનેક કમિટી રૂમ, કાફે, ડાઇનિંગ એરિયા અને પાર્કિંગ માટે પૂરતી જગ્યા છે. તેની ડિઝાઇન ગુજરાતની કંપની HCP દ્વારા તૈયાર કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, નવી ઇમારતના નિર્માણમાં લગભગ 1,200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

કેટલી બેઠક ક્ષમતા?

નવી ઇમારતની લોકસભા ચેમ્બરમાં 888 સભ્યો અને રાજ્યસભા ચેમ્બરમાં 384 સભ્યો બેસી શકે છે. જ્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે લોકસભા ચેમ્બરમાં કુલ 1,280 સભ્યોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીએ 10 ડિસેમ્બર, 2020 ના રોજ નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો અને તે ત્રણ વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ થયું હતું. 64,500 ચોરસ મીટરમાં ફેલાયેલી આ ચાર માળની ઇમારત ત્રિકોણાકાર છે.

લોકસભા અને રાજ્યસભા ચેમ્બરની થીમ શું છે?

આ ઇમારતના ત્રણ મુખ્ય દરવાજા છે - જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર. તેમાં VIP, સાંસદો અને મુલાકાતીઓ માટે અલગ પ્રવેશદ્વાર છે. નવી સંસદમાં ઐતિહાસિક રાજદંડ 'સેંગોલ' લોકસભાના અધ્યક્ષની સીટ પાસે સ્થાપિત કરવામાં આવ્યો છે. લોકસભા ચેમ્બર રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર અને રાજ્યસભા ચેમ્બર રાષ્ટ્રીય ફૂલ કમળની થીમ પર બનાવવામાં આવી છે.

જૂના સંસદ ભવનથી નવું સંસદ ભવન કેટલુ અલગ?

નવા અને જૂના સંસદ ભવનની સરખામણી કરીએ તો, જૂનું સંસદ ભવન 1927માં લગભગ 6 વર્ષમાં પૂર્ણ થયું હતું. જ્યારે નવું મકાન ત્રણ વર્ષથી પણ ઓછા સમયમાં પૂર્ણ થયું હતું. જૂની બિલ્ડીંગ હાલની જરૂરિયાતો માટે અપૂરતી જણાઈ હતી અને બેઠક વ્યવસ્થા પણ થોડી ઓછી હતી. તેથી જ નવી ઇમારત બનાવવામાં આવી હતી. 566 મીટર વ્યાસમાં બનેલી જૂની ઇમારત લોકસભામાં 550 અને રાજ્યસભામાં 250 સભ્યોની ક્ષમતા ધરાવે છે. લગભગ સો વર્ષ જૂના આ બિલ્ડિંગમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક દરમિયાન વધુ જગ્યાની જરૂરિયાત વર્તાઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget