કલાકારો પર મહેરબાદ નીતિશ સરકાર,દર મહિને મળશે આટલા રૂપિયા, 24 એજન્ડા પર મહોર
Nitish Cabinet Meeting: કેબિનેટ બેઠકમાં 'મુખ્યમંત્રી બિહાર ગુરુ શિષ્ય પરંપરા યોજના' ને પણ મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત બિહારની લુપ્ત થઈ ગયેલી કલાઓનું સંરક્ષણ કરવામાં આવશે.

Nitish Kumar Cabinet Meeting: મંગળવારે (01 જુલાઈ, 2025) મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આમાં કુલ 24 એજન્ડાને મંજૂરી આપવામાં આવી છે. બેઠકની સૌથી મહત્વની વાત એ છે કે નીતિશ સરકારે રાજ્યના કલાકારો પર ખાસ ધ્યાન આપ્યું છે. હવે રાજ્યના વરિષ્ઠ અને આજીવિકા માટે સંઘર્ષ કરી રહેલા કલાકારોને પેન્શન તરીકે દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે.
આ માટે, કેબિનેટ તરફથી દર વર્ષે એક કરોડ રૂપિયા ખર્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. જોકે, આ એવા કલાકારોને આપવામાં આવશે જેમની ઉંમર 50 વર્ષથી વધુ હશે. આ ઉપરાંત, તેમની આવક વાર્ષિક એક લાખ 20 હજારથી ઓછી હશે. ઉપરાંત, કલા ક્ષેત્રમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત રહેશે.
બીજી તરફ, આજે 'મુખ્યમંત્રી બિહાર ગુરુ શિષ્ય પરંપરા યોજના'ને પણ કેબિનેટ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ અંતર્ગત, બિહારની લુપ્ત થઈ ગયેલી અને ખૂબ જ દુર્લભ કલાઓને જાળવવા માટે, યુવા સહભાગીઓને નિષ્ણાત ગુરુઓ દ્વારા પ્રોત્સાહન આપીને માર્ગદર્શન આપવામાં આવશે. આ માટે દર વર્ષે એક કરોડ 11 લાખ 60 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
'મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના' ને પણ મંજૂરી આપવામાં આવી
આજની કેબિનેટ બેઠકમાં 'મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના' ને પણ મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમમાં તાલીમ પામેલા અને 12મું પાસ યુવાનોને ઇન્ટર્નશિપ તરીકે દર મહિને 4૦૦૦ રૂપિયા મળશે. આઇટીઆઇ અને ડિપ્લોમા પાસને ઇન્ટર્નશિપમાં 5૦૦૦ રૂપિયા અને પોસ્ટ ગ્રેજ્યુએટને ઇન્ટર્નશિપમા6 ૬૦૦૦ રૂપિયા દર મહિને મળશે.
આ યુવાનોને આજીવિકા સહાય માટે અલગ રકમ પણ મળશે. આમાં, તેમના ગૃહ જિલ્લા સિવાયના જિલ્લામાં રહેતા લોકોને દર મહિને 2૦૦૦ રૂપિયાની વધારાની રકમ આપવામાં આવશે અને રાજ્યની બહાર ઇન્ટર્નશિપ કરનારાઓને દર મહિને 5૦૦૦ રૂપિયાની વધારાની રકમ આપવામાં આવશે. આ માટે, 2025-26માં કુલ 5૦૦૦ યુવાનોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે અને 2026 થી 2031 સુધીમાં આ યોજના હેઠળ કુલ એક લાખ યુવાનોને લાભ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.





















