શોધખોળ કરો

Norovirus: હવે, કેરળમાં મળ્યો નવો વાયરસ, ડઝનેક વિદ્યાર્થીઓ સંક્રમિત, જાણો કેવી રીતે ફેલાય છે?

ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (ડીએમઓ) અનુસાર, બાળકોમાં નોરોવાયરસની પુષ્ટી થઈ છે.

Norovirus In Kerala: કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદ હવે કેરળમાં વધુ એક વાયરસ ફેલાવા લાગ્યો છે. કક્કનાડની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓની તબિયત બગડી ત્યારે તપાસમાં બહાર આવ્યું હતું કે તેઓ વાયરસથી સંક્રમિત થયા છે. ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (ડીએમઓ) અનુસાર, બાળકોમાં નોરોવાયરસની પુષ્ટી થઈ છે.

કેરળના કક્કનાડમાં વધુ એક વાયરસનો ચેપ

કક્કનાડ ડીએમઓએ જણાવ્યું હતું કે ખાનગી શાળાના પ્રાથમિક વર્ગના બાળકોમાં ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળ્યા બાદ રોગ (નોરોવાયરસ)ની પુષ્ટી થઈ હતી. તેમણે જણાવ્યું કે ચેપના લક્ષણો મળ્યા બાદ ધોરણ 1 અને વર્ગ 2ના 62 વિદ્યાર્થીઓ અને કેટલાક માતા-પિતાના નમૂના સ્ટેટ પબ્લિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. સોમવારે ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (ડીએમઓ) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 2 સેમ્પલના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. સાથે જ 3 બાળકોની સારવાર ચાલી રહી છે.

ધોરણ 1 થી 5 ના બાળકોને રજા આપવામાં આવી હતી

ડીએમઓએ કહ્યું કે નોરોવાયરસથી ચેપગ્રસ્ત બાળકોની સ્થિતિ ચિંતાજનક નથી, જો કે, શાળાએ ધોરણ 1 થી 5 ના બાળકો માટે રજા જાહેર કરી છે. જીલ્લા વહીવટીતંત્રે વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને જાગૃતિના પગલાં ભર્યા હતા. ઓનલાઈન જાગૃતિ વર્ગો યોજવામાં આવી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે શાળામાં રોગ ફેલાયો છે ત્યાં વર્ગખંડો અને શૌચાલયોને સેનિટાઇઝ કરવામાં આવ્યા છે. લોકોને જાગૃત રહેવા અને પીવાના પાણીના સ્ત્રોત સ્વચ્છ હોવા જોઈએ તેની ખાતરી કરવા વિનંતી કરી છે. ડીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યોગ્ય સારવાર અને સાવચેતીથી આ રોગ ટૂંક સમયમાં મટી શકે છે.

નોરોવાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?

નિષ્ણાતોના મતે, નોરોવાયરસ એક ચેપી વાયરસ છે જે ઉલટી અને ઝાડાનું કારણ બને છે. સામાન્ય લક્ષણોમાં લો-ગ્રેડનો તાવ અથવા શરદી, માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવોનો સમાવેશ થાય છે. વાયરસ સામાન્ય રીતે તંદુરસ્ત લોકોને અસર કરતો નથી, પરંતુ તે નાના બાળકો, વૃદ્ધો માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

નોરોવાયરસ દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાઈ શકે છે. ચેપગ્રસ્ત લોકો સાથે સીધો સંપર્ક પણ તેના રોગનું કારણ બની શકે છે. તે ચેપગ્રસ્ત લોકોના મળ અને ઉલટી દ્વારા પણ ફેલાઈ શકે છે.

ચેપ લાગે તો કેવી રીતે રક્ષણ કરવું?

ચેપગ્રસ્ત લોકોને ડૉક્ટરની સૂચના અનુસાર ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. તેઓએ પુષ્કળ પ્રમાણમાં ઉકાળેલું પાણી અને ઓઆરએસનું સેવન કરવું જોઈએ. જરૂર પડે તો સારવાર લેવી જોઇએ. સંક્રમિત વ્યક્તિએ સ્વસ્થ થયાના બે દિવસ પછી જ બહાર જવું જોઈએ, કારણ કે તે દરમિયાન વાયરસ ફેલાઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Embed widget