શોધખોળ કરો

Norovirus: હવે, કેરળમાં મળ્યો નવો વાયરસ, ડઝનેક વિદ્યાર્થીઓ સંક્રમિત, જાણો કેવી રીતે ફેલાય છે?

ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (ડીએમઓ) અનુસાર, બાળકોમાં નોરોવાયરસની પુષ્ટી થઈ છે.

Norovirus In Kerala: કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદ હવે કેરળમાં વધુ એક વાયરસ ફેલાવા લાગ્યો છે. કક્કનાડની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓની તબિયત બગડી ત્યારે તપાસમાં બહાર આવ્યું હતું કે તેઓ વાયરસથી સંક્રમિત થયા છે. ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (ડીએમઓ) અનુસાર, બાળકોમાં નોરોવાયરસની પુષ્ટી થઈ છે.

કેરળના કક્કનાડમાં વધુ એક વાયરસનો ચેપ

કક્કનાડ ડીએમઓએ જણાવ્યું હતું કે ખાનગી શાળાના પ્રાથમિક વર્ગના બાળકોમાં ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળ્યા બાદ રોગ (નોરોવાયરસ)ની પુષ્ટી થઈ હતી. તેમણે જણાવ્યું કે ચેપના લક્ષણો મળ્યા બાદ ધોરણ 1 અને વર્ગ 2ના 62 વિદ્યાર્થીઓ અને કેટલાક માતા-પિતાના નમૂના સ્ટેટ પબ્લિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. સોમવારે ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (ડીએમઓ) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 2 સેમ્પલના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. સાથે જ 3 બાળકોની સારવાર ચાલી રહી છે.

ધોરણ 1 થી 5 ના બાળકોને રજા આપવામાં આવી હતી

ડીએમઓએ કહ્યું કે નોરોવાયરસથી ચેપગ્રસ્ત બાળકોની સ્થિતિ ચિંતાજનક નથી, જો કે, શાળાએ ધોરણ 1 થી 5 ના બાળકો માટે રજા જાહેર કરી છે. જીલ્લા વહીવટીતંત્રે વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને જાગૃતિના પગલાં ભર્યા હતા. ઓનલાઈન જાગૃતિ વર્ગો યોજવામાં આવી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે શાળામાં રોગ ફેલાયો છે ત્યાં વર્ગખંડો અને શૌચાલયોને સેનિટાઇઝ કરવામાં આવ્યા છે. લોકોને જાગૃત રહેવા અને પીવાના પાણીના સ્ત્રોત સ્વચ્છ હોવા જોઈએ તેની ખાતરી કરવા વિનંતી કરી છે. ડીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યોગ્ય સારવાર અને સાવચેતીથી આ રોગ ટૂંક સમયમાં મટી શકે છે.

નોરોવાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?

નિષ્ણાતોના મતે, નોરોવાયરસ એક ચેપી વાયરસ છે જે ઉલટી અને ઝાડાનું કારણ બને છે. સામાન્ય લક્ષણોમાં લો-ગ્રેડનો તાવ અથવા શરદી, માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવોનો સમાવેશ થાય છે. વાયરસ સામાન્ય રીતે તંદુરસ્ત લોકોને અસર કરતો નથી, પરંતુ તે નાના બાળકો, વૃદ્ધો માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

નોરોવાયરસ દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાઈ શકે છે. ચેપગ્રસ્ત લોકો સાથે સીધો સંપર્ક પણ તેના રોગનું કારણ બની શકે છે. તે ચેપગ્રસ્ત લોકોના મળ અને ઉલટી દ્વારા પણ ફેલાઈ શકે છે.

ચેપ લાગે તો કેવી રીતે રક્ષણ કરવું?

ચેપગ્રસ્ત લોકોને ડૉક્ટરની સૂચના અનુસાર ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. તેઓએ પુષ્કળ પ્રમાણમાં ઉકાળેલું પાણી અને ઓઆરએસનું સેવન કરવું જોઈએ. જરૂર પડે તો સારવાર લેવી જોઇએ. સંક્રમિત વ્યક્તિએ સ્વસ્થ થયાના બે દિવસ પછી જ બહાર જવું જોઈએ, કારણ કે તે દરમિયાન વાયરસ ફેલાઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કયા દેશનો પાસપોર્ટ દુનિયામાં નંબર-1, ભારત અને પાકિસ્તાન કયા સ્થાને ? સામે આવી 2026 ની પાસપોર્ટ રેન્કિંગ, જુઓ લિસ્ટ
કયા દેશનો પાસપોર્ટ દુનિયામાં નંબર-1, ભારત અને પાકિસ્તાન કયા સ્થાને ? સામે આવી 2026 ની પાસપોર્ટ રેન્કિંગ, જુઓ લિસ્ટ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
દિલ્હીમાં ચાર માળની એક ઇમારતમાં ભીષણ આગ, 9 લોકો જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
દિલ્હીમાં ચાર માળની એક ઇમારતમાં ભીષણ આગ, 9 લોકો જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
'BJP જો 500-700 મતોથી આગળ હોય તો ફરીથી ગણતરીની માંગ કરો', મમતા બેનર્જીનો TMC કાર્યકર્તાઓને સંદેશ
'BJP જો 500-700 મતોથી આગળ હોય તો ફરીથી ગણતરીની માંગ કરો', મમતા બેનર્જીનો TMC કાર્યકર્તાઓને સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
Embed widget