શોધખોળ કરો

Norovirus: હવે, કેરળમાં મળ્યો નવો વાયરસ, ડઝનેક વિદ્યાર્થીઓ સંક્રમિત, જાણો કેવી રીતે ફેલાય છે?

ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (ડીએમઓ) અનુસાર, બાળકોમાં નોરોવાયરસની પુષ્ટી થઈ છે.

Norovirus In Kerala: કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદ હવે કેરળમાં વધુ એક વાયરસ ફેલાવા લાગ્યો છે. કક્કનાડની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓની તબિયત બગડી ત્યારે તપાસમાં બહાર આવ્યું હતું કે તેઓ વાયરસથી સંક્રમિત થયા છે. ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (ડીએમઓ) અનુસાર, બાળકોમાં નોરોવાયરસની પુષ્ટી થઈ છે.

કેરળના કક્કનાડમાં વધુ એક વાયરસનો ચેપ

કક્કનાડ ડીએમઓએ જણાવ્યું હતું કે ખાનગી શાળાના પ્રાથમિક વર્ગના બાળકોમાં ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળ્યા બાદ રોગ (નોરોવાયરસ)ની પુષ્ટી થઈ હતી. તેમણે જણાવ્યું કે ચેપના લક્ષણો મળ્યા બાદ ધોરણ 1 અને વર્ગ 2ના 62 વિદ્યાર્થીઓ અને કેટલાક માતા-પિતાના નમૂના સ્ટેટ પબ્લિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. સોમવારે ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (ડીએમઓ) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 2 સેમ્પલના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. સાથે જ 3 બાળકોની સારવાર ચાલી રહી છે.

ધોરણ 1 થી 5 ના બાળકોને રજા આપવામાં આવી હતી

ડીએમઓએ કહ્યું કે નોરોવાયરસથી ચેપગ્રસ્ત બાળકોની સ્થિતિ ચિંતાજનક નથી, જો કે, શાળાએ ધોરણ 1 થી 5 ના બાળકો માટે રજા જાહેર કરી છે. જીલ્લા વહીવટીતંત્રે વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને જાગૃતિના પગલાં ભર્યા હતા. ઓનલાઈન જાગૃતિ વર્ગો યોજવામાં આવી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે શાળામાં રોગ ફેલાયો છે ત્યાં વર્ગખંડો અને શૌચાલયોને સેનિટાઇઝ કરવામાં આવ્યા છે. લોકોને જાગૃત રહેવા અને પીવાના પાણીના સ્ત્રોત સ્વચ્છ હોવા જોઈએ તેની ખાતરી કરવા વિનંતી કરી છે. ડીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યોગ્ય સારવાર અને સાવચેતીથી આ રોગ ટૂંક સમયમાં મટી શકે છે.

નોરોવાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?

નિષ્ણાતોના મતે, નોરોવાયરસ એક ચેપી વાયરસ છે જે ઉલટી અને ઝાડાનું કારણ બને છે. સામાન્ય લક્ષણોમાં લો-ગ્રેડનો તાવ અથવા શરદી, માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવોનો સમાવેશ થાય છે. વાયરસ સામાન્ય રીતે તંદુરસ્ત લોકોને અસર કરતો નથી, પરંતુ તે નાના બાળકો, વૃદ્ધો માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

નોરોવાયરસ દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાઈ શકે છે. ચેપગ્રસ્ત લોકો સાથે સીધો સંપર્ક પણ તેના રોગનું કારણ બની શકે છે. તે ચેપગ્રસ્ત લોકોના મળ અને ઉલટી દ્વારા પણ ફેલાઈ શકે છે.

ચેપ લાગે તો કેવી રીતે રક્ષણ કરવું?

ચેપગ્રસ્ત લોકોને ડૉક્ટરની સૂચના અનુસાર ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. તેઓએ પુષ્કળ પ્રમાણમાં ઉકાળેલું પાણી અને ઓઆરએસનું સેવન કરવું જોઈએ. જરૂર પડે તો સારવાર લેવી જોઇએ. સંક્રમિત વ્યક્તિએ સ્વસ્થ થયાના બે દિવસ પછી જ બહાર જવું જોઈએ, કારણ કે તે દરમિયાન વાયરસ ફેલાઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
Nirav Modi: નીરવ મોદીનો બચવાનો પ્રયાસ નિષ્ફળ, લંડન હાઈકોર્ટે પ્રત્યાર્પણની અરજી ફગાવી
Nirav Modi: નીરવ મોદીનો બચવાનો પ્રયાસ નિષ્ફળ, લંડન હાઈકોર્ટે પ્રત્યાર્પણની અરજી ફગાવી
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ

વિડિઓઝ

Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
Embed widget