શોધખોળ કરો

Odisha : શરીર પર ઈજાનું નામોનિશાન નહીં તો કેવી રીતે મર્યા 40 લોકો? સનસની ખુલાસો

આ 40 લોકોના મોત કેવી રીતે નિપજ્યા તે અંગે તપાસ એજન્સીઓ મુંઝવણમાં છે. તેનો જવાબ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં મળે છે.

Train Crash in Balasor (Odisha) : ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાને અત્યાર સુધીની સૌથી મોટી રેલ દુર્ઘટનાની યાદીમાં સામેલ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં લગભગ 278 લોકોના મોત થયા હતા, જ્યારે 1200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણીને નવાઈ લાગશે કે ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમને આવા 40 મૃતદેહો મળ્યા હતા જેના પર કોઈ ઈજાના નિશાન નથી. 

આ 40 લોકોના મોત કેવી રીતે નિપજ્યા તે અંગે તપાસ એજન્સીઓ મુંઝવણમાં છે. તેનો જવાબ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં મળે છે.

બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં, કોરોમંડલ એક્સપ્રેસમાંથી મળી આવેલા લગભગ 40 મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી, જે એક ખુબ જ ચોંકાવનારું છે. ડોકટરો અને તપાસ એજન્સીઓનું માનવું છે કે, તેમના મોત વીજ કરંટથી થયા હતાં. ખુદ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ આ અંગે જાણકારી આપી છે. બાલાસોરના જીઆરપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર દર્શાવે છે કે, અકસ્માત બાદ ઓવરહેડ વાયર તૂટવાથી મુસાફરોને વીજળીનો કરંટ લાગ્યો હતો અને તેમના કેટલાક કોચમાં જ ફસાઈ ગયા હતા. જેના કારણે તેમના મોત નિપજ્યા હતાં. 

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી કુમાર નાયકે એફઆઇઆરમાં જણાવ્યું હતું કે, ઓવરહેડ વાયરના સંપર્કમાં આવ્યા બાદ ઇજાઓ અને વીજ કરંટથી ઘણા મુસાફરોના મોત થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, દુર્ઘટના બાદ કોચ પલટી જવાને કારણે વીજ થાંભલા પડી ગયા, જેનાથી ઉપરથી જતા વાયરો તૂટી ગયા હતાં.

સીબીઆઈ કરી રહી છે તપાસ 

ઉલ્લેખનીય છે કે, ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે ત્રણ ટ્રેનોનો અકસ્માત થયો હતો. જેમાં હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ અને પાર્ક કરેલી માલસામાન ટ્રેનને અકસ્માત થયો હતો. હાલમાં સીબીઆઈએ મંગળવારે આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, આ દુર્ઘટનામાં જે પણ દોષિત હશે તેમને માફ કરવામાં આવશે નહીં. પીડિત પરિવારોને કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. સાથે જ અકસ્માતમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. તબીબોની ટીમ 24 કલાક એલર્ટ પર છે. ઘણા મુસાફરોને બસમાંથી તેમના ઘરે ઉતારી દેવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon Update: ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે? પરેશ ગોસ્વામીની નવી આગાહી, જતા જતા આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Monsoon Update: ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે? પરેશ ગોસ્વામીની નવી આગાહી, જતા જતા આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Crime News: અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યામાં મોટો ખુલાસો; ₹1 કરોડની સોપારી અને મકાન આપી પૂર્વ પાર્ટનરે હત્યા કરાવી
Crime News: અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યામાં મોટો ખુલાસો; ₹1 કરોડની સોપારી અને મકાન આપી પૂર્વ પાર્ટનરે હત્યા કરાવી
સુપ્રીમ કોર્ટનો વકફ કાયદા પર મોટો નિર્ણય, ઓવૈસી ગુસ્સે ભરાયા, કહ્યું - 'મુસ્લિમોના હક....'
સુપ્રીમ કોર્ટનો વકફ કાયદા પર મોટો નિર્ણય, ઓવૈસી ગુસ્સે ભરાયા, કહ્યું - 'મુસ્લિમોના હક....'
ગુસ્સામાં ઝેલેન્સકીએ લીધો નિર્ણય? રશિયાના કારણે ભારત પાસેથી આ વસ્તુ ખરીદવા પર લગાવ્યો પ્રતિબંધ
ગુસ્સામાં ઝેલેન્સકીએ લીધો નિર્ણય? રશિયાના કારણે ભારત પાસેથી આ વસ્તુ ખરીદવા પર લગાવ્યો પ્રતિબંધ
Advertisement

વિડિઓઝ

Kutch Demolition: કચ્છમાં ગુંડાઓના ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Arvalli News : અરવલ્લીમાં ગુમ યુવકની ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ખળભળાટ, જુઓ અહેવાલ
Surat News : સુરતમાં પુત્રની હત્યા બાદ માતાએ પણ આત્મહત્યા કરી લીધી હોવાનો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : બદલાઈ રેન્કિંગ પદ્ધતિ
Hun To Bolish : હું તો બોલીશ : આઉટસોર્સિંગમાં દૂષણ અનલિમિટેડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે? પરેશ ગોસ્વામીની નવી આગાહી, જતા જતા આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Monsoon Update: ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે? પરેશ ગોસ્વામીની નવી આગાહી, જતા જતા આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Crime News: અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યામાં મોટો ખુલાસો; ₹1 કરોડની સોપારી અને મકાન આપી પૂર્વ પાર્ટનરે હત્યા કરાવી
Crime News: અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યામાં મોટો ખુલાસો; ₹1 કરોડની સોપારી અને મકાન આપી પૂર્વ પાર્ટનરે હત્યા કરાવી
સુપ્રીમ કોર્ટનો વકફ કાયદા પર મોટો નિર્ણય, ઓવૈસી ગુસ્સે ભરાયા, કહ્યું - 'મુસ્લિમોના હક....'
સુપ્રીમ કોર્ટનો વકફ કાયદા પર મોટો નિર્ણય, ઓવૈસી ગુસ્સે ભરાયા, કહ્યું - 'મુસ્લિમોના હક....'
ગુસ્સામાં ઝેલેન્સકીએ લીધો નિર્ણય? રશિયાના કારણે ભારત પાસેથી આ વસ્તુ ખરીદવા પર લગાવ્યો પ્રતિબંધ
ગુસ્સામાં ઝેલેન્સકીએ લીધો નિર્ણય? રશિયાના કારણે ભારત પાસેથી આ વસ્તુ ખરીદવા પર લગાવ્યો પ્રતિબંધ
Asia Cup 2025: ટીમ ઇન્ડિયા સુપર-4 માં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની, જાણો અત્યાર સુધી કોણ પહોંચ્યું?
Asia Cup 2025: ટીમ ઇન્ડિયા સુપર-4 માં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની, જાણો અત્યાર સુધી કોણ પહોંચ્યું?
મારુતિની નવી SUV Victorisની કિંમતો જાહેર: ADAS અને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે કુલ 21 વેરિઅન્ટ્સ બજારમાં મળશે
મારુતિની નવી SUV Victorisની કિંમતો જાહેર: ADAS અને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે કુલ 21 વેરિઅન્ટ્સ બજારમાં મળશે
સરકારી નોકરીની તકઃ GSRTC માં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીની હર્ષ સંઘવીની જાહેરાત, જાણો અરજીની વિગતો
સરકારી નોકરીની તકઃ GSRTC માં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીની હર્ષ સંઘવીની જાહેરાત, જાણો અરજીની વિગતો
ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખે પોર્ટલ ડાઉન ! ટેક્સ પેયર્સની મુશ્કેલીમાં વધારો  
ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખે પોર્ટલ ડાઉન ! ટેક્સ પેયર્સની મુશ્કેલીમાં વધારો  
Embed widget