શોધખોળ કરો

Odisha : શરીર પર ઈજાનું નામોનિશાન નહીં તો કેવી રીતે મર્યા 40 લોકો? સનસની ખુલાસો

આ 40 લોકોના મોત કેવી રીતે નિપજ્યા તે અંગે તપાસ એજન્સીઓ મુંઝવણમાં છે. તેનો જવાબ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં મળે છે.

Train Crash in Balasor (Odisha) : ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાને અત્યાર સુધીની સૌથી મોટી રેલ દુર્ઘટનાની યાદીમાં સામેલ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં લગભગ 278 લોકોના મોત થયા હતા, જ્યારે 1200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણીને નવાઈ લાગશે કે ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમને આવા 40 મૃતદેહો મળ્યા હતા જેના પર કોઈ ઈજાના નિશાન નથી. 

આ 40 લોકોના મોત કેવી રીતે નિપજ્યા તે અંગે તપાસ એજન્સીઓ મુંઝવણમાં છે. તેનો જવાબ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં મળે છે.

બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં, કોરોમંડલ એક્સપ્રેસમાંથી મળી આવેલા લગભગ 40 મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી, જે એક ખુબ જ ચોંકાવનારું છે. ડોકટરો અને તપાસ એજન્સીઓનું માનવું છે કે, તેમના મોત વીજ કરંટથી થયા હતાં. ખુદ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ આ અંગે જાણકારી આપી છે. બાલાસોરના જીઆરપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર દર્શાવે છે કે, અકસ્માત બાદ ઓવરહેડ વાયર તૂટવાથી મુસાફરોને વીજળીનો કરંટ લાગ્યો હતો અને તેમના કેટલાક કોચમાં જ ફસાઈ ગયા હતા. જેના કારણે તેમના મોત નિપજ્યા હતાં. 

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી કુમાર નાયકે એફઆઇઆરમાં જણાવ્યું હતું કે, ઓવરહેડ વાયરના સંપર્કમાં આવ્યા બાદ ઇજાઓ અને વીજ કરંટથી ઘણા મુસાફરોના મોત થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, દુર્ઘટના બાદ કોચ પલટી જવાને કારણે વીજ થાંભલા પડી ગયા, જેનાથી ઉપરથી જતા વાયરો તૂટી ગયા હતાં.

સીબીઆઈ કરી રહી છે તપાસ 

ઉલ્લેખનીય છે કે, ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે ત્રણ ટ્રેનોનો અકસ્માત થયો હતો. જેમાં હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ અને પાર્ક કરેલી માલસામાન ટ્રેનને અકસ્માત થયો હતો. હાલમાં સીબીઆઈએ મંગળવારે આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, આ દુર્ઘટનામાં જે પણ દોષિત હશે તેમને માફ કરવામાં આવશે નહીં. પીડિત પરિવારોને કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. સાથે જ અકસ્માતમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. તબીબોની ટીમ 24 કલાક એલર્ટ પર છે. ઘણા મુસાફરોને બસમાંથી તેમના ઘરે ઉતારી દેવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Embed widget