![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Onion Price: 'ખેડૂતોને કમાવાનો મોકો મળે ત્યારે સરકાર ડ્યુટી લાદે છે', શિવસેનાએ સરકાર પર કર્યા પ્રહાર
Onion Price: શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના મતે, કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવાનું આશ્વાસન આપે છે, પરંતુ એવી રીતે કામ કરે છે કે તેમને અપેક્ષિત આવક પણ મળતી નથી.
![Onion Price: 'ખેડૂતોને કમાવાનો મોકો મળે ત્યારે સરકાર ડ્યુટી લાદે છે', શિવસેનાએ સરકાર પર કર્યા પ્રહાર Onion Price: 'When farmers get a chance to earn, the government imposes a fee' Shiv Sena attacks on onion duty Onion Price: 'ખેડૂતોને કમાવાનો મોકો મળે ત્યારે સરકાર ડ્યુટી લાદે છે', શિવસેનાએ સરકાર પર કર્યા પ્રહાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/b08cfc56a4173980285f5a0822f9411d1692456912597290_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Onion Price: શિવસેના (ઉદ્ધવ ઠાકરે) એ મંગળવારે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી લાદવાના નિર્ણય માટે કેન્દ્રની ટીકા કરતા કહ્યું કે સરકારની નીતિ ન તો ખેડૂતો અને ગ્રાહકો માટે ફાયદાકારક છે.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના મુખપત્ર 'સામના'ના તંત્રીલેખ મુજબ, કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપે છે, પરંતુ કામ એવી રીતે કરે છે કે તેમને અપેક્ષિત આવક પણ મળતી નથી.
ખરીફ ઉત્પાદનમાં ઘટાડો અને છૂટક ભાવમાં મજબૂતી આવવાની આશંકા વચ્ચે 19 ઓગસ્ટે કેન્દ્ર સરકારે સ્થાનિક ઉપલબ્ધતા વધારવા માટે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટીની જાહેરાત કરી હતી.
નાસિક ડુંગળીના ઉત્પાદન માટે દેશભરમાં પ્રખ્યાત છે.
આ નિર્ણયને કારણે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં, ખાસ કરીને નાશિક જિલ્લામાં ખેડૂતો અને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નાસિક ડુંગળીના ઉત્પાદન માટે દેશભરમાં પ્રખ્યાત છે.
સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે, સરકારની નીતિ ન તો ખેડૂતો માટે ફાયદાકારક છે અને ન તો ગ્રાહકો માટે. જ્યારે પણ ખેડૂતો માટે થોડા વધુ પૈસા કમાવવાની તક હોય છે, ત્યારે સરકાર કાં તો નિકાસ ડ્યુટીનો આશરો લે છે અથવા નિકાસ પર પ્રતિબંધ મૂકે છે.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ કહ્યું કે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી લાદવાનો આ નિર્ણય અચાનક જાહેર કરવામાં આવ્યો અને દેશના બંદરો પર હજારો ટન ડુંગળી અટવાઈ ગઈ છે. જો આ ડુંગળી સડી જાય તો તે દેશમાં નિકાસ કરી શકાતી નથી અને વેચી શકાતી નથી.
આના જવાબમાં ગ્રાહક બાબતોના પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે કેટલાક "રાજકીય વિરોધીઓ" ડુંગળી પર લાદવામાં આવેલી નિકાસ ડ્યૂટી વિશે "ખોટી ચિત્ર" ચિતરી રહ્યા છે. તેમણે ખેડૂતોને ચિંતા ન કરવા વિનંતી કરી કારણ કે કેન્દ્રએ તેના બફર સ્ટોક માટે રૂ. 2,410 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી ફરી શરૂ કરી છે.
ગોયલે કહ્યું કે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યૂટી લાદવાનો નિર્ણય ગ્રાહકોના હિતોના રક્ષણ માટે લેવામાં આવ્યો છે, પરંતુ તે જ સમયે કેન્દ્રએ ગભરાટના વેચાણને ટાળવા માટે ખેડૂતો પાસેથી વધારાની 2 લાખ ટન ડુંગળી ખરીદવાનો પણ નિર્ણય લીધો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)