શોધખોળ કરો

'સોરાયસિસ' બીમારી પર પતંજલિનું સંશોધન વિશ્વ પ્રસિદ્ધ જર્નલમાં પ્રકાશિત, રંગ લાવી વૈજ્ઞાનિકોની મહેનત  

પતંજલિ આયુર્દેવે  ત્વચાના ગંભીર રોગ 'સોરાયસિસ'ની સારવારમાં એક મોટી સફળતા મેળવી છે. આ રોગ પર સંશોધન વિશ્વ પ્રસિદ્ધ ટેલર એન્ડ ફ્રાન્સિસ પ્રકાશનના જર્નલ ઓફ ઈન્ફ્લેમેશન રિસર્ચમાં પ્રકાશિત થયું.

Patanjali News :  પતંજલિ આયુર્દેવે  ત્વચાના ગંભીર રોગ 'સોરાયસિસ'ની સારવારમાં એક મોટી સફળતા મેળવી છે. કંપનીએ કહ્યું છે કે આ રોગ પર સંશોધન વિશ્વ પ્રસિદ્ધ ટેલર એન્ડ ફ્રાન્સિસ પ્રકાશનના જર્નલ ઓફ ઈન્ફ્લેમેશન રિસર્ચમાં પ્રકાશિત થયું છે. કંપનીનો દાવો છે કે પતંજલિના વૈજ્ઞાનિકોએ સોરોગ્રિટ ટેબ્લેટ્સ અને દિવ્ય-તેલ વિકસાવ્યા છે, જે સોરાયસિસની સારવારમાં અસરકારક સાબિત થયા છે. આ ઉપલબ્ધિ પર પતંજલિના સહસંસ્થાપક આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે આ સંશોધન આયુર્વેદની શક્તિ દર્શાવે છે.

સોરાયસિસ રોગ વિશે જાણો

સોરાયિસસ એ એક દીર્ઘકાલીન ઓટોઈમ્યૂન રોગ છે,  જેમાં ત્વચા પર લાલ ફોલ્લીઓ, ચાંદા જેવા ભીંગડા અને તીવ્ર ખંજવાળનું કારણ બને છે. આ રોગ દર્દીઓ માટે શારીરિક અને માનસિક રીતે પીડાદાયક છે. સામાન્ય રીતે એલોપેથીમાં તેના લક્ષણો ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ દવાઓની આડઅસર પણ સામે આવે છે. વળી, અત્યાર સુધી તેનો કોઈ કાયમી ઈલાજ નહોતો.

સંશોધન પર પતંજલિએ શું કહ્યું?

પતંજલિએ કહ્યું છે કે, "અમે પ્રાકૃતિક ઔષધીઓનો ઉપયોગ કરીને આ પડકારને સ્વીકાર્યો છે. વૈજ્ઞાનિકોએ ઉંદર પર બે અલગ-અલગ પ્રીક્લિનિકલ મોડલમાં સૉરાયસીસની સ્થિતિ બનાવી અને સોરોગ્રિટ ટેબ્લેટ્સ તેમજ દિવ્ય-તેલનો સ્કીન પર ઉપયોગ કર્યો. આ પ્રયોગોમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા, જે આ દવાની અસરકારકતા સાબિત કરે છે. આ સંશોધન બતાવે છે કે આયુર્વેદિક સારવાર માત્ર ગંભીર રોગોના કાયમી નિરાકરણ માટે જ નહીં, પરંતુ સુરક્ષિત પણ છે.

સસ્તી સારવાર  લોકો સુધી પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય - બાલકૃષ્ણ

આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું, "પતંજલિનો ઉદ્દેશ્ય લોકોને  પ્રાકૃતિક અને સસ્તી સારવાર આપવાનો છે. આ સંશોધન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સોરાયસિસથી પીડિત લોકો માટે આશાનું કિરણ છે. પતંજલિનો આ પ્રયાસ આયુર્વેદને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
International Yoga Day 2026: યોગ એટલે આત્મજ્ઞાન અને વિશ્વબંધુત્વ તરફ દોરી જતો માર્ગ: પરમહંસ યોગાનંદજી
International Yoga Day 2026: યોગ એટલે આત્મજ્ઞાન અને વિશ્વબંધુત્વ તરફ દોરી જતો માર્ગ: પરમહંસ યોગાનંદજી
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
Embed widget