આતંકીઓએ આપણી બહેનોના સિંદૂરનો નાશ કર્યો, જવાબમાં 100 આતંકીને મોતને ઘાટ ઉતાર્યા: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ આતંકવાદી ઘટનાને કારણે, સમગ્ર રાષ્ટ્ર, દરેક નાગરિક, દરેક સમાજ, દરેક વર્ગ, દરેક રાજકીય પક્ષ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી માટે એક અવાજમાં ઉભા રહ્યા છે.

PM Narendra Modis Address to Nation: રાષ્ટ્રના નામે સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ આતંકવાદી ઘટનાને કારણે, સમગ્ર રાષ્ટ્ર, દરેક નાગરિક, દરેક સમાજ, દરેક વર્ગ, દરેક રાજકીય પક્ષ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી માટે એક અવાજમાં ઉભા રહ્યા છે. અમે સશસ્ત્ર દળોને આતંકવાદીઓનો સફાયો કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે અને આજે દરેક આતંકવાદી, દરેક આતંકવાદી સંગઠન જાણે છે કે આપણી બહેનો અને દીકરીઓના સિંદૂરને નાશ કરવાનું પરિણામ શું હોઈ શકે છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂરનો નાશ કર્યો હતો, જેના જવાબમાં અમે 100 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.
#WATCH | During his address to the nation, Prime Minister Narendra Modi says, "...'Aatankiyo ne hamari behano ka Sindoor ujada tha isliye Bharat ne aatank ke headquarters ujaad diye'. Over 100 terrorists were killed..." pic.twitter.com/jkXjUJ7cbP
— ANI (@ANI) May 12, 2025
જ્યારે ભારતના મિસાઇલો અને ડ્રોનથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો થયો, ત્યારે આતંકવાદી સંગઠનોની ઇમારતો જ નહીં પરંતુ તેમનું મનોબળ પણ તૂટી ગયું. બહાવલપુર અને મુરીદકે જેવા આતંકવાદી ઠેકાણા એક રીતે વૈશ્વિક આતંકવાદની યુનિવર્સિટીઓ રહ્યા છે. દુનિયામાં ગમે ત્યાં મોટા આતંકવાદી હુમલા થયા હોય, પછી ભલે તે 9/11 હોય કે લંડન ટ્યુબ બોમ્બ વિસ્ફોટ હોય કે ભારતમાં મોટા આતંકવાદી હુમલા હોય તે બધા આ આતંકવાદી ઠેકાણાઓ સાથે જોડાયેલા રહ્યા છે. આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂરનો નાશ કર્યો હતો, આ હુમલાઓમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.
ઓપરેશન સિંદૂર પર બોલ્યા પીએમ મોદી
ઓપરેશન સિંદૂર અંગે પીએમ મોદીએ કહ્યું કે 6 મેની મોડી રાતથી 7 મેની વહેલી સવાર સુધી આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં પરિવર્તિત થતી જોઈ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને તેમના ટ્રેનિંગ સેન્ટરો પર સટિક હુમલા કર્યા છે.
પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ પર જ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે હું વિશ્વ સમુદાયને એ પણ કહીશ કે અમારી જાહેર નીતિ રહી છે કે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ પર જ થશે. જો પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પર જ થશે.
પ્રિય દેશવાસીઓ! આજે બુદ્ધ પૂર્ણિમા છે. ભગવાન બુદ્ધે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો. શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે. માનવજાત શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધે, દરેક ભારતીય શાંતિથી જીવી શકે, વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય, તે માટે ભારત શક્તિશાળી હોવું જરૂરી છે અને જ્યારે જરૂર પડે ત્યારે આ શક્તિનો ઉપયોગ કરવો જરૂરી છે અને ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં આ જ કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું ફરી એકવાર ભારતીય સેના અને સશસ્ત્ર દળોને સલામ કરું છું. હું ભારતના લોકોની હિંમત, એકજૂટતાની સફર અને દરેક ભારતીયના સંકલ્પને સલામ કરું છું. ખુબ ખુબ આભાર. ભારત માતા કી જય.





















