શોધખોળ કરો

Cyclone Yaas: PM મોદીએ પ્રભાવિત રાજ્યો માટે 1000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રી મોદીએ આજે વાવાઝોડા યાસથી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળને થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ રાહત પેકેજની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ, ઓરિસ્સાને તાત્કાલિક પ્રભાવથી 500 કરોડ રૂપિયા આપવામાં આવશે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડને મળીને નુકસાનના હિસાબે બાકી 500 કરોડ રૂપિયા આપવામાં આવશે. 

 

પ્રધાનમંત્રી મોદીએ આજે વાવાઝોડા યાસથી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળને થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ રાહત પેકેજની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ, ઓરિસ્સાને તાત્કાલિક પ્રભાવથી 500 કરોડ રૂપિયા આપવામાં આવશે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડને મળીને નુકસાનના હિસાબે બાકી 500 કરોડ રૂપિયા આપવામાં આવશે. 

પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે નુકસાનનું આંકલન કરવા માટે કેંદ્રીય ટીમ રાજ્યોનો પ્રવાસ કરશે. આંકલનના આધાર પર આગળની સહાયતા કરવામાં આવશે. પીએમ મોદીએ ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડને આશ્વાસન આપ્યું કે કેંદ્ર આ કપરા સમય દરમિયાન રાજ્યો સાથે મળી કામ કરશે. પીએમ મોદીએ વાવાઝોડાથી જીવ ગુમાવનારા પરિવારને 2-2 લાખ અને ગંભીર રૂપથી ઘાયલને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળમાં  સર્જાયેલા અને 26 મેના બુધવારે ફૂંકાયેલા ચક્રવાતી વાવાઝોડા 'યાસ'એ ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં વેરેલા વિનાશનું 28 મે, શુક્રવારે હેલિકોપ્ટરમાંથી હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ એમણે બંને રાજ્યોનાં મુખ્ય પ્રધાનો તથા વરિષ્ઠ સરકારી અધિકારીઓને મળીને વાવાઝોડા બાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

મોદીએ બંને રાજ્યમાં રાહત કામગીરીઓ હાથ ધરવા માટે કેન્દ્ર સરકાર તરફથી રૂ. 1000 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આમાંથી રૂ. 500 કરોડ ઓડિશાને તાત્કાલિક સહાય રૂપે આપવામાં આવશે જ્યારે બાકીના રૂ. 500 કરોડ પશ્ચિમ બંગાળ અને ઝારખંડને નુકસાનીના આધારે આપવામાં આવશે. વાવાઝોડાને કારણે મૃત્યુ પામેલી પ્રત્યેક વ્યક્તિના નિકટના સ્વજનને રૂ. 2 લાખ એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે જ્યારે પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. 50 હજારની સહાયતા કરવામાં આવશે.

મોદીએ ભૂવનેશ્વરમાં ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક સાથે બેઠક કરી હતી અને પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના કલાઈકુંડામાં બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી તથા અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તે બેઠકમાં બેનરજી 15 મિનિટ સુધી રહ્યાં હતાં, ત્યારબાદ એક અન્ય સમીક્ષા બેઠકમાં હાજરી આપવા એ ત્યાંથી રવાના થઈ ગયાં હતાં. ત્રણેય રાજ્યમાં વાવાઝોડા યાસને કારણે 21 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થાનોએ ખસેડવા પડ્યા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Embed widget