શોધખોળ કરો
Advertisement
ભારત-ચીન સરહદ વિવાદ પર આજે પીએમ મોદી સાથે સર્વપક્ષીય બેઠક, સોનિયા ગાંધી, શરદ પવાર પણ થશે સામેલ
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ગલવાન ખીણમાં જે પણ થયું તેના માટે ચીન જ જવાબદાર છે.
નવી દિલ્હીઃ હિંસક અથડામણ બાદ લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ (એલએસી) પર તણાવની સ્થિતિ છે અને ત્યારે ભારત ચીન સરહદ પર સ્થિતિ પર ચર્ચા કરવા માટે પીએમ મોદીએ શુક્રવારે સર્વપક્ષીય વર્ચુઅલ બેઠક બોલાવી છે. આ બેઠક આજે સાંજે 5 કલાકે યોજાશે. આ વર્ચુઅલ બેઠકમાં જુદા જુદા રાજનીતિક પક્ષના અધ્યક્ષ સામેલ થશે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ થશે સામેલ
બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, મમતા બેનર્જી, એમ કે સ્ટાલિન, નીતીશ કુમાર, માયાવતી, સીતારામ યેચુરી, ડી રાજા, ચંદ્રબાબુ નાયડૂ, જગનમોહન રેડ્ડી, ચિરાગ પાસવાન સામેલ થશે. જણાવીએ કે, મમતા બેનર્જીએ બુધવારે જ કહ્યું હતું કે, હાલમાં તે રાષ્ટ્ર સાથે છે અને બધા સાથે મળીને સ્થિતિનો સામનો કરીશું.
વિદેશ મંત્રાલયે પણ કહ્યું કે, ગલવાન સંઘર્ષ માટે ચીન જવાબદાર
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ગલવાન ખીણમાં જે પણ થયું તેના માટે ચીન જ જવાબદાર છે. ભારતે કોઈપણ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું નથી અને ચીન તરફતી સમજૂતી તોડવામાં આવી છે. ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion