શોધખોળ કરો

Kartavya Path: PM મોદીએ નેતાજીની પ્રતિમાના અનાવરણ સાથે 'કર્તવ્ય પથ'નું ઉદ્ઘાટન કર્યું, જાણો પ્રતિમાની ખાસિયત

પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન કર્યું. તે હવે 'કર્તવ્ય પથ' તરીકે ઓળખાશે. આ દરમિયાન પીએમ મોદીએ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.

Kartvyapath Inauguration: પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન કર્યું. તે હવે 'કર્તવ્ય પથ' તરીકે ઓળખાશે. આ દરમિયાન પીએમ મોદીએ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. પીએમ મોદીએ દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કામદારો સાથે પણ વાતચીત કરી હતી.

પીએમએ સેન્ટ્રલ વિસ્ટા એવન્યુના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન 'શ્રમજીવી'ને કહ્યું કે, તેઓ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે સેન્ટ્રલ વિસ્ટાના પુનઃવિકાસ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા તમામ લોકોને આમંત્રિત કરશે. પીએમએ નવા સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પરના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધી વિસ્તરેલ છે. ગણતંત્ર દિવસ પરેડ સહિત અનેક મુખ્ય કાર્યક્રમો અહીં યોજાય છે.

INA સાથે સંકળાયેલા પરિવારો પણ હાજર રહ્યા

આ કાર્યક્રમ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રીઓ સહિત મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાના અનાવરણ માટે ઈન્ડિયન નેશનલ આર્મી સાથે જોડાયેલા સૈનિકોના પરિવારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે કામ કરનાર આર. માધવને (રડતાં) કહ્યું કે, આ તેમના માટે ખુશીનો પ્રસંગ છે, માત્ર પીએમ મોદી જ આ કરી શક્યા હોત, પીએમ મોદી કી જય હો. તે જ સમયે, INAમાં રહેલા કર્નલ ધિલ્લોનના પુત્રનું કહેવું છે કે દેશનું ચિત્ર બદલાઈ રહ્યું છે. લોકોએ નેતાજીના માર્ગ પર ચાલવું જોઈએ.

કાળા રંગના ગ્રેનાઈટથી બની છે પ્રતિમા...

65 મેટ્રિક ટન વજન ધરાવતી આ પ્રતિમા લગભગ 26,000 કલાકના અથાક કલાત્મક પ્રયાસોથી મોનોલિથિક ગ્રેનાઈટ કોતરીને તૈયાર કરવામાં આવી છે. બ્લેક કલરના ગ્રેનાઈટ સ્ટોનથી બનેલી આ 28 ફૂટ ઊંચી પ્રતિમા ઈન્ડિયા ગેટ પાસે એક છતરીની નીચે સ્થાપિત કરવામાં આવી છે.

પ્રતિમા સંપૂર્ણપણે હાથ વડે બનાવાઈ...

નેતાજીની આ પ્રતિમા પરંપરાગત તકનીકો અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને સંપૂર્ણપણે હાથથી બનાવવામાં આવી છે. અરુણ યોગીરાજના નેતૃત્વમાં શિલ્પકારોની ટીમે આ પ્રતિમા તૈયાર કરી છે. આ પ્રતિમા ભારતની સૌથી મોટી, જીવંત, મોનોલિથિક પથ્થરની હાથથી બનાવેલી પ્રતિમાઓમાંની એક છે.

 

Kartavya Path: PM મોદીએ નેતાજીની પ્રતિમાના અનાવરણ સાથે 'કર્તવ્ય પથ'નું ઉદ્ઘાટન કર્યું, જાણો પ્રતિમાની ખાસિયત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટ ઘડામ, સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકોIndian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 3 ગુજરાતી પહોંચ્યા અમદાવાદ, જુઓ અહેવાલDelhi NCR Earthquake : દિલ્લી-NCRમાં ભૂકંપ , લોકો ઘરની બહાર દોડી આવ્યાIndian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
દિલ્હીમાં 20 ફેબ્રુઆરીએ નવા CM નો શપથ ગ્રહણ, આ નેતાઓ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ 
દિલ્હીમાં 20 ફેબ્રુઆરીએ નવા CM નો શપથ ગ્રહણ, આ નેતાઓ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ 
Ration Card eKYC Update: મફત રાશન માટે જલદી કરો આ કામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ  
Ration Card eKYC Update: મફત રાશન માટે જલદી કરો આ કામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ  
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.