શોધખોળ કરો

Prayagraj Violence: પ્રયાગરાજ હિંસા મામલે યોગી સરકારની મોટી કાર્યવાહી, મુખ્ય આરોપી જાવેદના ઘર પર ચાલ્યું બુલડોઝર, જુઓ વિડીયો

Bulldozer Action On Javed Pump House: પ્રયાગરાજ હિંસા કેસના મુખ્ય આરોપી જાવેદ પંપના ઘરને બુલડોઝર દ્વારા ઘર તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Prayagraj : પ્રયાગરાજ હિંસામાં યોગી સરકારની કડક કાર્યવાહી જોવા મળી છે. આ કેસના મુખ્ય આરોપી જાવેદ પંપના ઘરને બુલડોઝર દ્વારા ઘર તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સમયે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જાવેદ પંપ પાસે આલીશાન બંગલો છે અને ટુંક સમયમાં આ બંગલાને બુલડોઝર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જુઓ આ વિડીયો 

અગાઉ જાવેદને નોટિસ અપાઈ હતી 
નોંધનીય છે કે મામલાની ગંભીરતાને સમજીને ભારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. અગાઉ જાવેદના ઘરે નોટિસ ચોંટાડવામાં આવી હતી અને આજે સવારે 11 વાગ્યે બુલડોઝરની કાર્યવાહીની જાણ કરવામાં આવી હતી. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે યોગી સરકાર યુપીમાં હિંસા પર ચૂપ બેસવાની નથી.

10 જૂને થયેલી હિંસાનો મુખ્ય આરોપી જાવેદ અહેમદ
10 જૂને શુક્રવારની નમાજ બાદ થયેલી હિંસામાં જાવેદ અહેમદનું નામ સામે આવ્યા બાદ કરવામાં આવી રહેલી કાર્યવાહીને અલગ જ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે. પ્રયાગરાજ હિંસા કેસમાં જાવેદ પંપની સાથે તેની પત્ની અને પુત્રી પણ સામેલ હોવાનું કહેવાય છે. જાવેદ પંપ સામે રવિવારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અગાઉ આપવામાં આવેલી નોટિસના આધારે કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પ્રયાગરાજ ડેવલોપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા સવારે 11 વાગ્યા સુધીમાં ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, પોલીસ અને વહીવટીતંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બપોરે 12.45 કલાકે બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ હતી.

હિંસા સામે યોગી સરકારની કડક કાર્યવાહી 
ગઈ કાલે 11 જૂને  અધિકારીઓને કડક સૂચના આપતાં સીએમ યોગીએ કહ્યું હતું કે હિંસા ફેલાવનારા તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ તોફાનીઓએ કરવી જોઈએ અને આ મામલે આજે પ્રશાસને હિંસાના મુખ્ય આરોપી જાવેદ અહેમદ પંપના ઘરે મોટી કાર્યવાહી કરી. કાર્યવાહી કરવા જાવેદ પંપના ઘરે બે બુલડોઝર આવી ગયા છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget