શોધખોળ કરો

પ્રિયંકા ગાંધીના BJP પર પ્રહાર, કહ્યું- ભાજપના મંત્રી ગોળી મારવા માટે ઉશ્કેરશે તો આ બધુ થઈ શકે છે

નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરોધમાં દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધી કાઢવામાં આવેલા માર્ચ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થઈ ગયો હતો.

નવી દિલ્હી: જામિયામાં થયેલી ફાયરિંગની ઘટનાને લઈને કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપના જ મંત્રી ગોળી મારવા માટે ઉશ્કેરશે તો આ બધુ થઈ શકે છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ જવાબ આપવો જોઈએ કે તેઓ દિલ્હીને કેવી બનાવવા માંગે છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરોધમાં દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધી કાઢવામાં આવેલા માર્ચ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થઈ ગયો હતો. પ્રિયંકા ગાંધીએ ટ્ટિટ કરી કે, ‘જ્યારે ભાજપ સરકારના જ મંત્રી અને નેતા લોકોને ગોળી મારવા માટે ઉશ્કેરશે, ભડકાઉ ભાષણ આપશે તો આ બધુ થવું શક્ય છે. વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જોઈએ કે, તેઓ દિલ્હી કેવા પ્રકારની બનાવવા માંગે છે ? તેઓ હિંસા સાથે છે કે અહિંસા સાથે ? તેઓ વિકાસ સાથે છે કે અરજાકતા સાથે ? ’ કૉંગ્રેસ પ્રવતા મનીષ તિવારીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે આર્થિક મોરચે નિષ્ફળ રહ્યા બાદ હવે સરકારે દેશના ભાગલા પાડવાની રાજનીતિ કરી રહી છે. તેઓએ કહ્યું કે, ‘જામિયામાં જે ઘટના બની તે નફરતના માહોલ દર્શાવે છે. ધોળા દિવસે અને સેકડો લોકોની સામે ગોળીબાર દર્શાવે છે કે મોહાલ ઝેરીલો બની ગયો છે.’ જામિયા વિસ્તાર પાસે એક યુવકે પોલીસની સામે જ ફાયરિંગ કર્યું હતું જેમા એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. હુમલાખોરની ઓળખ ગોપાલ તરીકે થઇ છે. સાથે જ પોતાને રામભક્ત બતાવી રહ્યો છે. પોલીસ હુમલાખોરના દાવાની સત્યતા ચકાસી રહી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આરોપીની પૂછપરછ કરી રહી છે. જામિયા ફાયરિંગ પર અમિત શાહે કહ્યું- આ પ્રકારની ઘટનાને સાખી નહીં લેવાઈ, દોષિતને છોડવામાં નહીં આવે ઉલ્લેખનીય છે કે, દિલ્હી ચૂંટણી રેલી દરમિયાન થોડા દિવસ પહેલા જ કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે એક જનસભામાં નારેબાજી કરાવી હતી. ઠાકુરે દેશના ગદ્દારોને ...ગોળી મારો...ના નારા લગાવ્યા હતા. પ્રચારમાં ભડકાઉ ભાષણ કરવાર પર અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચ તરફથી ચૂંટણી પ્રચાર કરવા પર કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર પર 72 કલાક અને ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર 96 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Embed widget