શોધખોળ કરો

Pulwama Type Suicide Attack: પુલવામા હુમલાના 10 દિવસ બાદ આતંકીઓ ફરીથી તેવો હુમલો કરવા માંગતા હતા ! પૂર્વ સૈન્ય અધિકારીના પુસ્તકમાં ખુલાસો

પુલવામા આતંકી હુમલામાં દેશના 40 CRPF જવાનો શહીદ થયા હતા

KJS Dhillon Book Kitne Ghazi Aaye, Kitne Ghazi Gaye: જમ્મુ કાશ્મીર પુલવામામાં સીઆરપીએફના જવાનો પર 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયેલા હુમલા જેવો જ સુસાઇડ હુમલો આતંકી 10 દિવસની અંદર કરવા માંગતા હતા. પરંતુ સુરક્ષા દળોએ તેમની યોજનાને નિષ્ફળ બનાવી હતી. ચિનાર કોર્પ્સના પૂર્વ અને નિવૃત્ત કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ KJS Dhillonએ તેમના પુસ્તકમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

પુલવામા આતંકી હુમલામાં દેશના 40 CRPF જવાનો શહીદ થયા હતા. ભૂતપૂર્વ સૈન્ય અધિકારી KJS Dhillonએ તેમના પુસ્તકમાં જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કરીને આવા જ આત્મઘાતી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી બે પાકિસ્તાની હતા. ભૂતપૂર્વ સૈન્ય અધિકારી KJS Dhillonએ 'કિતને ગાઝી આયે, કિતને ગાઝી ગયે' નામના પુસ્તક આ વાતનો ખુલાસો કર્યો હતો.

ભૂતપૂર્વ લશ્કરી અધિકારીએ પુસ્તકમાં શું લખ્યું?

KJS Dhillonએ પુસ્તકમાં લખ્યું હતું કે ઘણા લોકો આત્મઘાતી હુમલા વિશે જાણતા નહોતા જેની યોજના ફેબ્રુઆરી 2019 ની શરૂઆતમાં કરવામાં આવી હતી.  જ્યાં સંભવિત આત્મઘાતી બોમ્બરે તેના વિસ્ફોટકો અને અન્ય હથિયારો દર્શાવતો એક વીડિયો બનાવ્યો હતો અને તેની યોજનાનો ખુલાસો કર્યો હતો. મુખ્ય હુમલો 14 ફેબ્રુઆરી 2019 ના રોજ થયો હતો જ્યારે એક આત્મઘાતી બોમ્બરે તેનું વાહન સીઆરપીએફના કાફલાની બસ સાથે અથડાવ્યું હતું ,  જેમાં 40 જવાનો શહીદ થયા હતા અને ઘણા જવાનો ઘાયલ થયા હતા.

KJS Dhillonએ લખ્યું હતું કે જોકે, જ્યારે ગુપ્તચર અને અન્ય એજન્સીઓને આ ઓપરેશનની યોજના વિશે જાણ થઈ ત્યારે તેઓએ તરત જ મોડ્યુલને નિષ્ક્રિય કરવાનું નક્કી કર્યું હતું. ચિનાર કોર્પ્સના ભૂતપૂર્વ કમાન્ડરે લખ્યું હતું કે પુલવામા હુમલા બાદ ગુપ્તચર એજન્સીઓ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ તેમની કામગીરી વધુ ઝડપી બનાવી હતી અને દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના નેટવર્કને ભેદવામાં સફળતા મળી હતી. તેમણે લખ્યું કે એજન્સીઓ સતત કામ કરી રહી હતી અને તુરીગામ ગામમાં જૈશ આતંકવાદીઓના મોડ્યુલની હાજરી વિશે ગુપ્ત માહિતી એકઠી કરી હતી, જ્યાં તેઓ હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

KJS Dhillonએ આ અધિકારીને શ્રેય આપ્યો હતો

KJS Dhillonએ તેમના પુસ્તક માટે કુલગામમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના નાયબ પોલીસ અધિક્ષક અમન કુમાર ઠાકુરને શ્રેય આપ્યો, જેમણે સ્થાનિક રાષ્ટ્રીય રાઈફલ્સ (RR) યુનિટ સાથે આતંકવાદીઓ વિશેના ઈનપુટ શેર કર્યા અને ફ્રન્ટથી પોતાના લોકો સાથે ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget