શોધખોળ કરો

Pulwama Type Suicide Attack: પુલવામા હુમલાના 10 દિવસ બાદ આતંકીઓ ફરીથી તેવો હુમલો કરવા માંગતા હતા ! પૂર્વ સૈન્ય અધિકારીના પુસ્તકમાં ખુલાસો

પુલવામા આતંકી હુમલામાં દેશના 40 CRPF જવાનો શહીદ થયા હતા

KJS Dhillon Book Kitne Ghazi Aaye, Kitne Ghazi Gaye: જમ્મુ કાશ્મીર પુલવામામાં સીઆરપીએફના જવાનો પર 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયેલા હુમલા જેવો જ સુસાઇડ હુમલો આતંકી 10 દિવસની અંદર કરવા માંગતા હતા. પરંતુ સુરક્ષા દળોએ તેમની યોજનાને નિષ્ફળ બનાવી હતી. ચિનાર કોર્પ્સના પૂર્વ અને નિવૃત્ત કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ KJS Dhillonએ તેમના પુસ્તકમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

પુલવામા આતંકી હુમલામાં દેશના 40 CRPF જવાનો શહીદ થયા હતા. ભૂતપૂર્વ સૈન્ય અધિકારી KJS Dhillonએ તેમના પુસ્તકમાં જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કરીને આવા જ આત્મઘાતી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી બે પાકિસ્તાની હતા. ભૂતપૂર્વ સૈન્ય અધિકારી KJS Dhillonએ 'કિતને ગાઝી આયે, કિતને ગાઝી ગયે' નામના પુસ્તક આ વાતનો ખુલાસો કર્યો હતો.

ભૂતપૂર્વ લશ્કરી અધિકારીએ પુસ્તકમાં શું લખ્યું?

KJS Dhillonએ પુસ્તકમાં લખ્યું હતું કે ઘણા લોકો આત્મઘાતી હુમલા વિશે જાણતા નહોતા જેની યોજના ફેબ્રુઆરી 2019 ની શરૂઆતમાં કરવામાં આવી હતી.  જ્યાં સંભવિત આત્મઘાતી બોમ્બરે તેના વિસ્ફોટકો અને અન્ય હથિયારો દર્શાવતો એક વીડિયો બનાવ્યો હતો અને તેની યોજનાનો ખુલાસો કર્યો હતો. મુખ્ય હુમલો 14 ફેબ્રુઆરી 2019 ના રોજ થયો હતો જ્યારે એક આત્મઘાતી બોમ્બરે તેનું વાહન સીઆરપીએફના કાફલાની બસ સાથે અથડાવ્યું હતું ,  જેમાં 40 જવાનો શહીદ થયા હતા અને ઘણા જવાનો ઘાયલ થયા હતા.

KJS Dhillonએ લખ્યું હતું કે જોકે, જ્યારે ગુપ્તચર અને અન્ય એજન્સીઓને આ ઓપરેશનની યોજના વિશે જાણ થઈ ત્યારે તેઓએ તરત જ મોડ્યુલને નિષ્ક્રિય કરવાનું નક્કી કર્યું હતું. ચિનાર કોર્પ્સના ભૂતપૂર્વ કમાન્ડરે લખ્યું હતું કે પુલવામા હુમલા બાદ ગુપ્તચર એજન્સીઓ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ તેમની કામગીરી વધુ ઝડપી બનાવી હતી અને દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના નેટવર્કને ભેદવામાં સફળતા મળી હતી. તેમણે લખ્યું કે એજન્સીઓ સતત કામ કરી રહી હતી અને તુરીગામ ગામમાં જૈશ આતંકવાદીઓના મોડ્યુલની હાજરી વિશે ગુપ્ત માહિતી એકઠી કરી હતી, જ્યાં તેઓ હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

KJS Dhillonએ આ અધિકારીને શ્રેય આપ્યો હતો

KJS Dhillonએ તેમના પુસ્તક માટે કુલગામમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના નાયબ પોલીસ અધિક્ષક અમન કુમાર ઠાકુરને શ્રેય આપ્યો, જેમણે સ્થાનિક રાષ્ટ્રીય રાઈફલ્સ (RR) યુનિટ સાથે આતંકવાદીઓ વિશેના ઈનપુટ શેર કર્યા અને ફ્રન્ટથી પોતાના લોકો સાથે ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

KKR vs SRH Live Score: મોહમ્મદ શમીએ KKRને આપ્યો બીજો ઝટકો, ડીકોક બાદ સુનીલ નારાયણ પણ આઉટ
KKR vs SRH Live Score: મોહમ્મદ શમીએ KKRને આપ્યો બીજો ઝટકો, ડીકોક બાદ સુનીલ નારાયણ પણ આઉટ
ડીસા અગ્નિકાંડ: 21 મોતનો જવાબદાર આરોપી યુવા ભાજપનો પૂર્વ નેતા
ડીસા અગ્નિકાંડ: 21 મોતનો જવાબદાર આરોપી યુવા ભાજપનો પૂર્વ નેતા
માસ્ટર સ્ટ્રોક! વકફ સુધારા એ બિલ નથી પણ મોદી સરકારનું બ્રહ્માસ્ત્ર છે, એક જ ઝાટકે અનેક ટાર્ગેટ પાડી દીધા
માસ્ટર સ્ટ્રોક! વકફ સુધારા એ બિલ નથી પણ મોદી સરકારનું બ્રહ્માસ્ત્ર છે, એક જ ઝાટકે અનેક ટાર્ગેટ પાડી દીધા
સોના, ચાંદી, વિટામિન, ઇન્સુલિન સહિત 50 જેટલી પ્રોડક્ટ્સ પર નહીં લાગે ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મુક્તિ
સોના, ચાંદી, વિટામિન, ઇન્સુલિન સહિત 50 જેટલી પ્રોડક્ટ્સ પર નહીં લાગે ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મુક્તિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda News: આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીનો ખેડાના ઠાસરામાં પર્દાફાશDeesa Fire Tragedy: ડીસામાં 21 મોત માટે જવાબદાર આરોપી યુવા ભાજપનો પૂર્વ નેતાGujarat Heat Wave: આકરા તાપમાં શેકાવા રહેજો તૈયાર,  રાજ્યમાં છ દિવસ હિટવેવની આગાહીTariff Impact on Sharemarket: ટેરિફ બોમ્બની ભારતીય શેરમાર્કેટ પર અસર, સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KKR vs SRH Live Score: મોહમ્મદ શમીએ KKRને આપ્યો બીજો ઝટકો, ડીકોક બાદ સુનીલ નારાયણ પણ આઉટ
KKR vs SRH Live Score: મોહમ્મદ શમીએ KKRને આપ્યો બીજો ઝટકો, ડીકોક બાદ સુનીલ નારાયણ પણ આઉટ
ડીસા અગ્નિકાંડ: 21 મોતનો જવાબદાર આરોપી યુવા ભાજપનો પૂર્વ નેતા
ડીસા અગ્નિકાંડ: 21 મોતનો જવાબદાર આરોપી યુવા ભાજપનો પૂર્વ નેતા
માસ્ટર સ્ટ્રોક! વકફ સુધારા એ બિલ નથી પણ મોદી સરકારનું બ્રહ્માસ્ત્ર છે, એક જ ઝાટકે અનેક ટાર્ગેટ પાડી દીધા
માસ્ટર સ્ટ્રોક! વકફ સુધારા એ બિલ નથી પણ મોદી સરકારનું બ્રહ્માસ્ત્ર છે, એક જ ઝાટકે અનેક ટાર્ગેટ પાડી દીધા
સોના, ચાંદી, વિટામિન, ઇન્સુલિન સહિત 50 જેટલી પ્રોડક્ટ્સ પર નહીં લાગે ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મુક્તિ
સોના, ચાંદી, વિટામિન, ઇન્સુલિન સહિત 50 જેટલી પ્રોડક્ટ્સ પર નહીં લાગે ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મુક્તિ
Supreme Court: 'તમામ જજ જાહેર કરશે પોતાની સંપત્તિની જાણકારી', સુપ્રીમ કોર્ટે કેમ લીધો નિર્ણય?
Supreme Court: 'તમામ જજ જાહેર કરશે પોતાની સંપત્તિની જાણકારી', સુપ્રીમ કોર્ટે કેમ લીધો નિર્ણય?
Waqf Bill in Rajya Sabha Live: વકફ સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં રિજિજૂએ કહ્યુ- 'આ બિલ કોઇ ધર્મની વિરુદ્ધ નથી'
Waqf Bill in Rajya Sabha Live: વકફ સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં રિજિજૂએ કહ્યુ- 'આ બિલ કોઇ ધર્મની વિરુદ્ધ નથી'
'મોદીના જીવને જોખમ, દાઉદ ઇબ્રાહિમ 5 કરોડ આપી રહ્યો', કામરાન ખાને લગાવ્યો ફોન, પહોંચ્યો જેલ
'મોદીના જીવને જોખમ, દાઉદ ઇબ્રાહિમ 5 કરોડ આપી રહ્યો', કામરાન ખાને લગાવ્યો ફોન, પહોંચ્યો જેલ
LSG vs MI મેચ અગાઉ રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ, જુઓ તસવીરો
LSG vs MI મેચ અગાઉ રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ, જુઓ તસવીરો
Embed widget