શોધખોળ કરો

રાહુલ ગાંધીએ કેંદ્ર પર નિશાન સાધ્યું, કહ્યું- સરકાર વેક્સીન નહી, બ્લૂ ટિક માટે લડી રહી છે

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર અને કેંદ્ર સરકાર હાલના દિવસોમાં એકબીજાની સામ સામે છે. પહેલા આટીના નવા નિયમોને લઈ ટ્વિટર અને કેંદ્ર સરકાર વચ્ચે વિવાદ થયો અને બાદમાં ઉપરાષ્ટ્રપતિ સહિત આરએસએસના નેતાઓના એકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવવાને લઈ કેંદ્રએ ટ્વિટર સામે વાંધો ઉઠાવ્યો છે. હવે આ વિવાદને લઈ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. 

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર અને કેંદ્ર સરકાર હાલના દિવસોમાં એકબીજાની સામ સામે છે. પહેલા આટીના નવા નિયમોને લઈ ટ્વિટર અને કેંદ્ર સરકાર વચ્ચે વિવાદ થયો અને બાદમાં ઉપરાષ્ટ્રપતિ સહિત આરએસએસના નેતાઓના એકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવવાને લઈ કેંદ્રએ ટ્વિટર સામે વાંધો ઉઠાવ્યો છે. હવે આ વિવાદને લઈ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. 


રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે,  બ્લૂ ટીક માટે મોદી સરકાર લડી રહી છે. કોવિડની વેક્સિન જોઈએ તો આત્મનિર્ભર બનો. પોતાના આ ટ્વિટ સાથે  તેમણે હેશટેગમાં લખ્યું પ્રાથમિક્તા.  

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીનું આ ટ્વિટ કેંદ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા નવા આઈટી નિયમોનું પાલન ન કરવા પર ટ્વિટરને અંતિમ નોટીસ મોકલ્યા બાદ આવ્યું છે. સરકારે અમેરિકા સ્થિત મુખ્યાલય વાળા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને માપદંડોનુ પાલન કરવામાં વિફળ રહેવા પર ફરીથી દંડનાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. 

કોરોના મહામારીમાં રાહુલ ગાંધી સતત કેંદ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. શનિવારે રાહુલ ગાંધીએ વેક્સિનના મુદ્દાને લઈ કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. એક ખબરને શેર કરતા રાહુલે લખ્યું કે વેક્સિનની ખરીદી કેન્દ્ર સરકાર કરે અને વિતરણ રાજ્ય સરકાર- હું આ કહેતો આવ્યો છું. વેક્સિન વિતરણની નિષ્પક્ષ નીતિના અભાવમાં મોદી સરકારની અસમાનતા નીતિ આવું પરિણામ આપશે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને લઈને અનેકવાર કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યા છે. તેમણે ટ્વીટર પર સરકારને સવાલ પૂછ્યો કે રસી બજેટના 3500 કરોડ રુપિયા ક્યાં ખર્ચ કર્યા છે. પ્રિયંકા ગાંધી રસીકરણના આંકડાને લઈને છેલ્લા કેટલાક દિવસથી સતત સરકારને સવાલ કરી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર લખ્યુ, મે મહિનામાં રસીના ઉત્પાદનની ક્ષમતા 8.5 કરોડ, રસી ઉત્પાદન થયુ 7.94 કરોડ અને રસી લાગી 6.1 કરોડ, જૂનમાં સરકારી દાવો છે કે 12 કરોડ રસી આવશે. ક્યાંથી ? શું બન્ને રસી કંપનીઓના ઉત્પાદનમાં 40 ટકાનો વધારો થઈ જશે ? રસીના બજેટના 35 હજાર કરોડ ક્યાં ખર્ચ કર્યા ? અંધેર વેક્સિન નીતિ, ચોપટ રાજા.'

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget