શોધખોળ કરો

Farmers Protest: દેશભરમાં આજે રેલ રોકો આંદોલન, મંત્રી અજય મિશ્રાની બરતરફી અને ધરપકડની માગ

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલવેની સંપત્તિને નુકસાન ન થાય તે માટે આરપીએફને પણ એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે.

Rail Roko Andolan: ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં, સંયુક્ત કિસાન મોરચાએ આજે ​​દેશભરમાં રેલ રોકો આંદોલનની હાકલ કરી છે. આ અંતર્ગત રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કરીને આજે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી દેશભરમાં ટ્રેનો રોકશે. જોકે આજના રેલ રોકો આંદોલન માટે ખેડૂત સંગઠનો પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા છે, પરંતુ રવિવારે રોહતકમાં ખેડૂત નેતા ગુરમનસિંહ ચડુનીએ કહ્યું કે તમામ કિસાન ભાઈઓ સ્ટેશનો પર જઈને ટ્રેનો રોકશે.

તેમણે કહ્યું કે ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવા, એમએસપી પર પાકની ખરીદીની બાંયધરી આપતો કાયદો અને લખીમપુર ખેરી હત્યા કેસમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાની ધરપકડની માંગ માટે રેલ રોકો આંદોલન બોલાવવામાં આવી રહ્યું છે. તેને સફળ બનાવવા માટે તમામ જગ્યાએ ખેડૂતોએ આગળ આવવું જોઈએ.

રેલ રોકો આંદોલનને જોતા રેલવે એલર્ટ પર

આંદોલનને કારણે રેલવે મુસાફરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ઉત્તર રેલવેના વિસ્તારોમાં તેની અસર જોઈ શકાય છે, જ્યાં શરૂઆતથી જ ખેડૂતોના આંદોલનને કારણે રેલ વ્યવહારને ઘણી અસર થઈ છે. તેને જોતા રેલવેએ તૈયારીઓ તેજ કરી દીધી છે.

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલવેની સંપત્તિને નુકસાન ન થાય તે માટે આરપીએફને પણ એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. જ્યાં પણ ખેડૂતો રેલ રોકે તેવી શક્યતા છે અથવા જ્યાં રેલ અગાઉ બંધ કરી દેવામાં આવી છે, તે સ્થળોએ વધારાના દળો તૈનાત કરવામાં આવશે. તેમજ મુસાફરોને પણ એલર્ટ કરવામાં આવશે. તેની અસર સામાન ટ્રેનોના સંચાલન પર પણ જોવા મળશે.

કિસાન મોરચાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, રેલ રોકો સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે અને રેલવેની સંપત્તિને કોઈ નુકસાન નહીં થાય. SKM એ તેના તમામ ઘટકોને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.

સંયુક્ત કિસાન મોરચાના તમામ નેતાઓએ મોદી સરકારમાં મંત્રી પરિષદમાંથી અજય મિશ્રા ટેનીને બરતરફ કરવાની માંગ કરી છે. હકીકતમાં, 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ઘેરી હિંસા પછી, સંયુક્ત કિસાન મોરચાએ ઘટનામાં ન્યાય સુનિશ્ચિત કરવા માટે ઘણા કાર્યક્રમોની જાહેરાત કરી હતી. મોરચાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી લખીમપુર ખેરી ખેડૂત હત્યાકાંડમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget