શોધખોળ કરો

Tatkal Ticket Booking: તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર, હવે જરૂરી બનશે e-Aadhaar Verification

Tatkal Ticket Booking: ભારતીય રેલવે હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં ઈ-આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવા જઈ રહ્યું છે.

Tatkal Ticket Booking: ભારતીય રેલવે હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં ઈ-આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવા જઈ રહ્યું છે. આ નિયમ આ મહિનાના અંત સુધીમાં લાગુ થઈ શકે છે. રેલવેના આ પગલાનો ઉદ્દેશ્ય તત્કાલ ટિકિટના કાળાબજારને રોકવા અને યોગ્ય મુસાફરોને વધુ સુવિધા આપવાનો છે. તત્કાલ ક્વોટા એવા મુસાફરો માટે છે જેમને છેલ્લી ઘડીએ મુસાફરી કરવાની જરૂર હોય છે, પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે એજન્ટો અને વચેટિયાઓ આ ટિકિટો અગાઉથી બુક કરાવે છે, જેના કારણે સામાન્ય મુસાફરો ટિકિટ મેળવી શકતા નથી. હવે જ્યારે દરેક બુકિંગ સમયે ડિજિટલ આધાર વેરિફિકેશન જરૂરી બનશે, ત્યારે નકલી આઈડી અને ઓટોમેટિક બુકિંગ બંધ થઈ જશે.

કેવી રીતે કામ કરશે e-Aadhaar Authentication  સિસ્ટમ?

આ નવા નિયમ હેઠળ જ્યારે પણ કોઈ મુસાફર તત્કાલ ટિકિટ બુક કરાવશે ત્યારે તેણે ઈ-આધાર દ્વારા ઓનલાઈન પોતાની ઓળખ ચકાસવી પડશે. આ પ્રક્રિયા IRCTC પોર્ટલ અથવા એપ પર બુકિંગ સમયે લાગુ થશે જે નક્કી કરશે કે ટિકિટ બુક કરાવનાર વ્યક્તિ વાસ્તવિક છે કે નહીં.

રેલવે મંત્રીએ માહિતી આપી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે X (અગાઉના ટ્વિટર) પર આ નિર્ણય વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, "ભારતીય રેલવે ટૂંક સમયમાં તત્કાલ ટિકિટ બુકિંગ માટે e-Aadhaar Authentication શરૂ કરશે. આનાથી જરૂરિયાતમંદ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ મળશે."

આ ફેરફાર શા માટે જરૂરી હતો?

અત્યાર સુધી તત્કાલ ટિકિટ બુકિંગમાં ઘણા પ્રકારના ગોટાળા સામે આવી રહ્યા છે જેમ કે બોટ્સ દ્વારા ટિકિટ બુક કરવી, એજન્ટો દ્વારા ટિકિટનો સ્ટોક કરવો, એક જ વ્યક્તિ દ્વારા અલગ અલગ ID સાથે બુકિંગ. ઈ-આધાર વેરિફિકેશન આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવશે.

મુસાફરોએ શું કરવું પડશે?

તમારે IRCTC એકાઉન્ટમાં તમારા આધારને અપડેટ કરવો પડશે.

ટિકિટ બુકિંગ સમયે OTP દ્વારા આધાર વેરિફિકેશન કરવું પડશે.

ઈ-આધારની ડિજિટલ નકલનો ઉપયોગ કરવો પડશે.

ભારતીય રેલવેનું આ પગલું મુસાફરોની સુવિધા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપશે. આ માત્ર છેતરપિંડી અટકાવશે નહીં, પરંતુ જરૂરિયાતમંદ મુસાફરોને સમયસર ટિકિટ મળવાની શક્યતા પણ વધારશે. ઈ-આધાર આધારિત બુકિંગ સિસ્ટમ રેલવેને વધુ ડિજિટલ અને સુરક્ષિત બનાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
Embed widget