શોધખોળ કરો

અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, AAPના સાત બળવાખોર સાંસદો ભાજપના થયા, રાજ્યસભા સચિવાલયની મંજૂરી

Rajya Sabha: રાજ્યસભાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ભાજપના સાંસદોની યાદીમાં આ સાત નેતાઓના નામનો સમાવેશ થાય છે.

આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના અધ્યક્ષે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક સહિત આમ આદમી પાર્ટીના સાત બળવાખોર સાંસદોના ભાજપમાં જોડાવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્યસભાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ભાજપના સાંસદોની યાદીમાં આ સાત નેતાઓના નામનો સમાવેશ થાય છે.

આમ આદમી પાર્ટીના સાત સાંસદો ભાજપમાં જોડાતા રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 113 થઈ ગઈ છે, જેમાં રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. ભાજપમાં જોડાતા AAP સાંસદોમાં અશોક કુમાર મિત્તલ, રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, સંદીપ કુમાર પાઠક, વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ અને રાજેન્દ્ર ગુપ્તાનો સમાવેશ થાય છે.

AAP પાસે ફક્ત ત્રણ સાંસદ બાકી છે

શુક્રવારે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠકે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. ભાજપ પ્રમુખ નીતિન નવીને સાંસદોને મીઠાઈ ખવડાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. સાત AAP સાંસદોના ભાજપમાં વિલીનીકરણ બાદ પાર્ટી પાસે હવે ફક્ત ત્રણ સાંસદ છે. આ છે સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સંત બલબીર સિંહ.

સાંસદોના પક્ષપલટા પર આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ ગુસ્સે ભરાયા હતા. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે સાત સાંસદોના આમ આદમી પાર્ટી છોડવાને ગેરકાયદેસર ગણાવ્યું હતું. સંજય સિંહે રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોની સભ્યપદ રદ કરવાની માંગ કરી હતી અને આરોપ લગાવ્યો કે ભાજપે નિયમો વિરુદ્ધ કામ કર્યું છે. આમ છતાં આ સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોની મુશ્કેલી વધશે: સંજય સિંહના એક પત્રથી રાજકારણમાં મોટો ભૂકંપ!

AAP એ ઉપરાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો

રવિવારે (26 એપ્રિલ, 2026), આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને AAP છોડી ગયેલા સાત સાંસદોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "આ સાંસદો આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉપલા ગૃહમાં ચૂંટાયા હતા પરંતુ બાદમાં પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવાનો નિર્ણય લીધો."

સંજય સિંહે જણાવ્યું હતું કે AAP ના સાત સાંસદોનું આ પગલું પક્ષપલટો સમાન છે. તે પંજાબના લોકો અને ભારતના બંધારણ સાથે દગો હતો. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડે તો આમ આદમી પાર્ટી આ મામલે કાનૂની કાર્યવાહી કરશે. જો કે, રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલ એક નોટિફિકેશનમાં હવે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીની માંગને નકારી કાઢવામાં આવી છે. હવે આ સાંસદોને ભારતીય જનતા પાર્ટીના માનવામાં આવશે, જ્યારે આમ આદમી પાર્ટીના ઉપલા ગૃહમાં ફક્ત ત્રણ સાંસદો બાકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 
મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 
TDP ની મોટી જાહેરાત, 2029 ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% અનામત 
TDP ની મોટી જાહેરાત, 2029 ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% અનામત 
કર્ણાટકમાં સત્તા પરિવર્તન નક્કી! ડીકે સરકારમાં 4 ડેપ્યુટી CM, નામ ફાઈનલ
કર્ણાટકમાં સત્તા પરિવર્તન નક્કી! ડીકે સરકારમાં 4 ડેપ્યુટી CM, નામ ફાઈનલ
EXCLUSIVE: CBSEના AI અભ્યાસક્રમમાં ખામી? વિદ્યાર્થીઓએ કહ્યું – પ્રેક્ટિકલ લર્નિંગનો અભાવ
EXCLUSIVE: CBSEના AI અભ્યાસક્રમમાં ખામી? વિદ્યાર્થીઓએ કહ્યું – પ્રેક્ટિકલ લર્નિંગનો અભાવ
Advertisement

વિડિઓઝ

India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બુદ્ધિનું પ્રદર્શન કે ભ્રષ્ટાચારના રસ્તા ?
Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં નિશાના પર ગુજરાતી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનું દમ મારો દમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાત LRD પરીક્ષાની તારીખ જાહેર: 14 જૂને લેખિત પરીક્ષા, આ દિવસથી મળશે કોલલેટર
ગુજરાત LRD પરીક્ષાની તારીખ જાહેર: 14 જૂને લેખિત પરીક્ષા, આ દિવસથી મળશે કોલલેટર
મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 
મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 
કચ્છના દરિયામાં નશાનો મોટો પર્દાફાશ: 1 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન
કચ્છના દરિયામાં નશાનો મોટો પર્દાફાશ: 1 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન
TDP ની મોટી જાહેરાત, 2029 ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% અનામત 
TDP ની મોટી જાહેરાત, 2029 ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% અનામત 
SRH vs RR Pitch Report: હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ 
SRH vs RR Pitch Report: હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ 
Embed widget