શોધખોળ કરો

રામ મંદિરઃ શંકરાચાર્યનો મુહૂર્તને લઈ વિરોધ, કહ્યું- અશુભ સમયમાં થઈ રહ્યો છે શિલાયન્સ

શંકરાચાર્યએ કહ્યું, દરેક નાના મોટા કાર્યને શુભ મુહૂર્તમાં સંપન્ન કરનારો સનાતની સમાજ આજે દુખી છે.

ભોપાલઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણના શિલાન્યાસની તારીખ પર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ સવાલ ઉઠાવીને તેને અશુભ ઘડી ગણાવી છે. તેમણે કહ્યું, આપણે રામ ભક્ત છીએ, ભગવાન રામનું ભવ્ય મંદિર બનવું જોઈએ. તેમાં રાજનીતિ ન થવી જોઈએ. પરંતુ જે મુહૂર્તમાં શિલાન્યાસ થઈ રહ્યો છે તે સમય બરાબર નથી, અશુભ ઘડી છે. તેમણે કહ્યું, સનાતમ ધર્મનો મૂળ આધાર વેદ છે. વેદ મુજબ કરવામાં આવેલા કર્મ યજ્ઞ કહેવાય છે, જે કાળ ગણના પર આધારિત છે. કાળ ગણના અને કાળખંડ વિશેષના શુભ-અશુભના જ્ઞાન જ્યોતિષ શાસ્ત્રથી હોય છે. તેથી જ્યોતિષને વેદાંગ કહેવામાં આવ્યા છે. તેથી સનાતમ ધર્મના દરેક અનુયાયી તેમનું કાર્ય ઉત્તમ કાળખંડમાં આરંભ કરે છે, જેને શુભ મુહૂર્તથી ઓળખવામાં આવે છે. શંકરાચાર્યએ કહ્યું, દરેક નાના મોટા કાર્યને શુભ મુહૂર્તમાં સંપન્ન કરનારો સનાતની સમાજ આજે દુખી છે. સમગ્ર દેશમાં કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રામ મંદિર કોઈ શુભ મુહૂર્ત વગર શરૂ થવા જઈ રહ્યું છે. પ્રયાગરાજના જ્યોતિષાચાર્ય આચાર્ય અવિનાશ રાયે 5 ઓગસ્ટે શુભ મુહર્ત નહીં હોવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, આ સમયે ભૂમિ પૂજન કરવું યોગ્ય નથી. ચાતુર્માસમાં દેવાલયનું ભૂમિ પૂજન અને શિલાન્યાસ આમ પણ ન કરવું જોઈએ. જ્યોતિશષાચાર્ય અનુસાર પાંચ ઓગસ્ટે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પણ શુભ યોગ નથી બનાવી રહ્યા. આ મુહૂર્તમાં ભૂમિ પૂજનથી નિર્માણમાં અનેક પ્રકારના અવરોધો ઉત્પન્ન થઈ શકે છે. અયોધ્યામાં પાંચ ઓગસ્ટે થનારા રામલલાના ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનમાં તીર્થરાજ પ્રયાગરાજના ત્રિવેણી સંગમની જળનો ઉપયોગ કરવામાં આવશે. ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમનું જળ લાવવાની જવાબદારી મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનાર સંગઠન વિશ્વ હિંદુ પરિષદને આપવામાં આવી છે. મંદિરની કેટલીક વિશેષતા - મંદિરની ઊંચાઈ 161 ફૂટ હશે અને તેમાં ત્રણના બદલે પાંચ ગુંબજ હશે. - સોમપુરા માર્બલ બ્રિક્સ જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ આ લોકો જ બનાવ્યું છે. - મંદિર માટે 10 કરોડ પરિવારો દાન આપશે. - મંદિરના પાયાનું નિર્માણ માટીની ક્ષમતાના આધારે 60 મીટર નીચે કરાયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget