![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Loksabha Election: લોકસભા ચૂંટણી વચ્ચે કૉંગ્રેસે સચિન પાયલટને આપી મહત્વની જવાબદારી, જાણો
કૉંગ્રેસે દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે AICC નિરીક્ષકો તરીકે સચિન પાયલટ, ચૌધરી બિરેન્દ્ર સિંહ અને ડૉ. સીપી જોશીની નિમણૂક કરી છે.
![Loksabha Election: લોકસભા ચૂંટણી વચ્ચે કૉંગ્રેસે સચિન પાયલટને આપી મહત્વની જવાબદારી, જાણો Sachin pilot congress appoints him as aicc observers for delhi lok sabha election Loksabha Election: લોકસભા ચૂંટણી વચ્ચે કૉંગ્રેસે સચિન પાયલટને આપી મહત્વની જવાબદારી, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/28/b1c4e445b723085ce0698bf0e1043eee1714267449149584_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: કૉંગ્રેસે દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે AICC નિરીક્ષકો તરીકે સચિન પાયલટ, ચૌધરી બિરેન્દ્ર સિંહ અને ડૉ. સીપી જોશીની નિમણૂક કરી છે. સચિન પાયલટ છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી છે. જ્યાં આવતીકાલે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. જ્યારે દિલ્હીમાં 25 મેના રોજ સાત લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જ્યારે ત્રણ બેઠકો કૉંગ્રેસના ક્વોટામાં ગઈ છે, જ્યારે બાકીની ચાર બેઠકો માટે AAPના ઉમેદવારો મેદાનમાં છે.
ડૉ. સી.પી. જોશી રાજસ્થાન વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર છે. કોંગ્રેસના મજબૂત નેતા ગણાતા ડો.સી.પી.જોશી રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.
Hon'ble Congress President has approved the proposal to appoint the following leaders as AICC Observers for the General Elections to the Parliamentary constituencies in Delhi, with immediate effect. pic.twitter.com/Mj3I8GAutu
— INC Sandesh (@INCSandesh) May 6, 2024
કોંગ્રેસે ગેહલોત અને બઘેલને પણ જવાબદારી આપી
અગાઉ કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી સંસદીય બેઠકો પર કોંગ્રેસના બે પૂર્વ મુખ્યમંત્રીઓને વરિષ્ઠ નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા હતા. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રાયબરેલી બેઠક પર વરિષ્ઠ નિરીક્ષક અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને અમેઠી બેઠક પર વરિષ્ઠ નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસ દિલ્હીમાં ત્રણ સીટો પર ચૂંટણી લડી રહી છે
દિલ્હીમાં સીટ શેરિંગ હેઠળ જે સીટો કોંગ્રેસના ખાતામાં આવી છે તેમાં ઉત્તર પૂર્વ દિલ્હી, પશ્ચિમ દિલ્હી અને ચાંદની ચોકનો સમાવેશ થાય છે. ઉત્તર પૂર્વ દિલ્હીથી કન્હૈયા કુમાર, પશ્ચિમ દિલ્હીથી ઉદિત રાજ અને ચાંદની ચોક બેઠક પરથી જેપી અગ્રવાલ પાર્ટીના ઉમેદવાર છે. ભાજપે ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારીને, પશ્ચિમ દિલ્હીથી કમલજીત સેહરાવત અને ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલને ટિકિટ આપી છે.
કન્હૈયા કુમારે ઉમેદવારી નોંધાવી હતી
દિલ્હીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. કન્હૈયા કુમારે સોમવારે (6 મે) ના રોજ ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ રાય પણ હાજર હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા, તેમણે મૌજપુરમાં ચૂંટણી કાર્યાલયમાં હવન-પૂજા કરી અને તમામ ધર્મગુરુઓ પાસેથી આશીર્વાદ લીધા, કન્હૈયા કુમારના નામાંકન પર, દિલ્હી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું કે મને વિશ્વાસ છે કે ઈન્ડિયા ગઠબંધન જીતશે. દિલ્હીની તમામ લોકસભા સીટો પર ઉમેદવારી નોંધાવતા પહેલા કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમારે મૌજપુર મેટ્રો સ્ટેશનથી તેમના ચૂંટણી કાર્યાલય સુધી એક સરઘસ કાઢ્યું હતું.
લોકસભા ચૂંટણી-2024ના ત્રીજા તબક્કા હેઠળ મંગળવારે (7 મે)ના રોજ 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પંચે કહ્યું છે કે ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 1,351 ઉમેદવારો મેદાનમાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)