શોધખોળ કરો

મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, શિંદેથી અલગ થઈ શકે છે 35 MLA! જાણો કોણે કર્યો આ દાવો ?

સંજય રાઉતે મહારાષ્ટ્રમાં યોજાઈ રહેલી નગરપાલિકા અને નગર પરિષદની ચૂંટણીઓમાં ભારે નાણાંનો ઉપયોગ થવાના દાવાઓ અંગે  એક મોટું નિવેદન આપ્યું છે.

Maharashtra: સંજય રાઉતે મહારાષ્ટ્રમાં યોજાઈ રહેલી નગરપાલિકા અને નગર પરિષદની ચૂંટણીઓમાં ભારે નાણાંનો ઉપયોગ થવાના દાવાઓ અંગે  એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન નાણાકીય વ્યવહારોની આકરી ટીકા કરી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ સરકાર તરફતી મોટા પાયે પૈસાનો ખેલ ચાલી રહ્યો છે. ચૂંટણી પંચે હસ્તક્ષેપ કરવો જોઈએ.

સંજય રાઉતે એમ પણ કહ્યું હતું કે શિંદે જૂથ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે પૈસાથી રાજકારણ કરવું લોકશાહી માટે ખતરો છે.

એકનાથ શિંદેના 35 ધારાસભ્યો તૂટી જશે - સંજય રાઉત

મહારાષ્ટ્રમાં ચૂંટણીના વાતાવરણ વચ્ચે મહાયુતિ પક્ષોમાં વિવાદો વધતા દેખાય છે. ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે કહ્યું હતું કે તેમણે 2 ડિસેમ્બર સુધી મહાયુતિને બચાવીને રાખવી પડશે. આનાથી સંકેત મળે છે કે ગઠબંધનમાં બધું બરાબર નથી. હવે, શિવસેના (ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે.

સંજય રાઉતે દાવો કર્યો છે કે એકનાથ શિંદેના 35 ધારાસભ્યો તૂટશે.  તેમણે એમ પણ કહ્યું હતું કે રવિન્દ્ર ચવ્હાણને આ જ કારણસર ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

બીમારી પછી સંજય રાઉતની વાપસી

બીમારીને કારણે રાજકારણથી એક મહિના સુધી દૂર રહ્યા બાદ સંજય રાઉત આજે મીડિયા સમક્ષ આવ્યા હતા. સામે આવતા જ તેમણે શિંદે જૂથ અને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું.  રાઉતે ફરી કહ્યું કે,  "શિંદેના 35 ધારાસભ્યો પક્ષ છોડી દેશે."

શિંદેના 35 ધારાસભ્યો સાથ છોડી દેશે

જ્યારે સંજય રાઉતને પૂછવામાં આવ્યું કે શું શિંદે શિવસેના અને ભાજપ વચ્ચે ચૂંટણી સ્પર્ધા જુએ છે, ત્યારે તેમણે તીખો  જવાબ આપ્યો, "અમે શિંદેના પક્ષને શિવસેના માનવા  તૈયાર નથી." તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણને આ હેતુ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શિંદે માને છે કે દિલ્હીના બે નેતાઓ તેમની સાથે છે, પરંતુ તેઓ કોઈના નથી.

સંજય રાઉતે વધુમાં કહ્યું, "કાલે ચૂંટણી છે, અને મંત્રી કહે છે કે 'લક્ષ્મી દર્શન' 1લી તારીખે થશે. ચૂંટણી પંચે આ વાતની નોંધ લેવી જોઈએ." રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ/નગર પરિષદની ચૂંટણીઓ પર આટલા પૈસા પહેલા ક્યારેય ખર્ચવામાં આવ્યા નથી. હવે, એક જ ચૂંટણી માટે 10-15 કરોડ રૂપિયાનું બજેટ અને 5-6 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ સત્તાના ત્રણ પક્ષોની આંતરિક સ્પર્ધા છે.

તેમણે પ્રશ્ન કર્યો, "આટલા કરોડો રૂપિયા ખર્ચીને તમે કોના માટે લડી રહ્યા છો? આ રાજ્યની ચૂંટણી સંસ્કૃતિ સંપૂર્ણપણે પડી ભાંગી છે. ખર્ચની કોઈ મર્યાદા નથી." 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
Embed widget