શોધખોળ કરો

મજૂરોના પલાયન સંબંધિત PILને SCએ ફગાવી, કહ્યુ- લાખો વિચાર છે, અમે બધા ન સાંભળી શકીએ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લાખો લોકો પાસે લાખો વિચાર છે. અમે તમામ વિચાર સાંભળી શકીએ નહી અને આ માટે સરકારને બાધ્ય કરી શકતા નથી.

  નવી દિલ્હીઃ લોકડાઉનના કારણે થયેલા મજૂરોના પલાયન સંબંધિત અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આ અરજીઓ વકીલ હર્ષ મંદર, પ્રશાંત ભૂષણ સહિત અનેક વકીલોએ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લાખો લોકો પાસે લાખો વિચાર છે. અમે તમામ વિચાર સાંભળી શકીએ નહી અને આ માટે સરકારને બાધ્ય કરી શકતા નથી. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમા એક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં હોટલ અને રિસોર્ટ્સનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી. દલીલ હતી કે શેલ્ટ હોમમાં પુરતી સ્વસ્છતા અને સુવિધાઓ મળી રહી નથી. આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. જસ્ટિસ એલ.નાગેશ્વર રાવ અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે વીડિયો કોન્ફરન્સ મારફતે અરજીની સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે, કોર્ટ સરકારને લોકોના તમામ આઇડિયા સાંભળવા માટે બાધ્ય કરી શકે નહી કારણ કે લોકો પાસે લાખો પ્રકારના આઇડિયા હોઇ શકે છે. આ અરજીઓ પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વિરોધ કર્યો હતો અને કહ્યુ હતું કે, પીઆઇલની દુકાનોને બંધ કરવી જોઇએ. જેણે વાસ્તવમાં મદદ કરવી હોય છે તે જમીન પર કામ કરે છે. એસી રૂમમાં બેસી અને જનહિત અરજીઓ દાખલ કરવાથી કોઇ ફાયદો થતો નથી. જો કોર્ટ પ્રવાસી મજૂરો પર વિસ્તૃત રિપોર્ટ ઇચ્છે છે તો અમે દાખલ કરીશું. તેમણે કહ્યુ કે, મજૂરોના પલાયન મામલામાં કોર્ટ તરફથી વિશેષ નિર્દેશોની કોઇ જરૂર નથી. રાજ્ય સરકારો અગાઉથી જ જરૂરિયાત અનુસાર, ભવન, સ્કૂલ અને હોટલમાં વ્યવસ્થા કરી રહી છે. જો જરૂર પડશે તો અમે વધુ વ્યવસ્થા કરીશું. કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રવાસી મજૂરો મામલે સારુ કામ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget