શોધખોળ કરો

મજૂરોના પલાયન સંબંધિત PILને SCએ ફગાવી, કહ્યુ- લાખો વિચાર છે, અમે બધા ન સાંભળી શકીએ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લાખો લોકો પાસે લાખો વિચાર છે. અમે તમામ વિચાર સાંભળી શકીએ નહી અને આ માટે સરકારને બાધ્ય કરી શકતા નથી.

  નવી દિલ્હીઃ લોકડાઉનના કારણે થયેલા મજૂરોના પલાયન સંબંધિત અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આ અરજીઓ વકીલ હર્ષ મંદર, પ્રશાંત ભૂષણ સહિત અનેક વકીલોએ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લાખો લોકો પાસે લાખો વિચાર છે. અમે તમામ વિચાર સાંભળી શકીએ નહી અને આ માટે સરકારને બાધ્ય કરી શકતા નથી. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમા એક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં હોટલ અને રિસોર્ટ્સનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી. દલીલ હતી કે શેલ્ટ હોમમાં પુરતી સ્વસ્છતા અને સુવિધાઓ મળી રહી નથી. આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. જસ્ટિસ એલ.નાગેશ્વર રાવ અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે વીડિયો કોન્ફરન્સ મારફતે અરજીની સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે, કોર્ટ સરકારને લોકોના તમામ આઇડિયા સાંભળવા માટે બાધ્ય કરી શકે નહી કારણ કે લોકો પાસે લાખો પ્રકારના આઇડિયા હોઇ શકે છે. આ અરજીઓ પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વિરોધ કર્યો હતો અને કહ્યુ હતું કે, પીઆઇલની દુકાનોને બંધ કરવી જોઇએ. જેણે વાસ્તવમાં મદદ કરવી હોય છે તે જમીન પર કામ કરે છે. એસી રૂમમાં બેસી અને જનહિત અરજીઓ દાખલ કરવાથી કોઇ ફાયદો થતો નથી. જો કોર્ટ પ્રવાસી મજૂરો પર વિસ્તૃત રિપોર્ટ ઇચ્છે છે તો અમે દાખલ કરીશું. તેમણે કહ્યુ કે, મજૂરોના પલાયન મામલામાં કોર્ટ તરફથી વિશેષ નિર્દેશોની કોઇ જરૂર નથી. રાજ્ય સરકારો અગાઉથી જ જરૂરિયાત અનુસાર, ભવન, સ્કૂલ અને હોટલમાં વ્યવસ્થા કરી રહી છે. જો જરૂર પડશે તો અમે વધુ વ્યવસ્થા કરીશું. કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રવાસી મજૂરો મામલે સારુ કામ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો....’, રામ મંદિરના દાનની ચોરીને લઈ અખિલેશ યાદવે બીજેપી પર સાધ્યું નિશાન
‘જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો....’, રામ મંદિરના દાનની ચોરીને લઈ અખિલેશ યાદવે બીજેપી પર સાધ્યું નિશાન
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
Embed widget