શોધખોળ કરો

RJD ના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહ ડબલ મર્ડર કેસમાં દોષિત જાહેર, સુપ્રીમ કોર્ટે પલટ્યો હાઇકોર્ટનો ચુકાદો

Supreme Court: RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે

RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ડબલ મર્ડર કેસમાં પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં નીચલી કોર્ટે પ્રભુનાથ સિંહને મુક્ત કર્યા હતા. આ પછી પટના હાઈકોર્ટે પણ નીચલી કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે પ્રભુનાથને દોષિત ઠેરવ્યા છે અને તેમને 1 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે બિહારના DGP અને મુખ્ય સચિવને આદેશ આપ્યો છે કે પ્રભુનાથને 1 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર કરવામાં આવે. 1 સપ્ટેમ્બરે પ્રભુનાથ સિંહની સજા પર ચર્ચા થશે. હાલમાં પ્રભુનાથ સિંહ હત્યાના અન્ય એક કેસમાં હજારીબાગ જેલમાં સજા કાપી રહ્યા છે.

બિહારની મહારાજગંજ લોકસભા બેઠક પરથી ત્રણ વખત જેડીયુ અને એક વખત આરજેડીના સાંસદ રહેલા પ્રભુનાથ સિંહ પર 1995માં મસરખમાં મતદાન કેન્દ્ર નજીક 47 વર્ષીય દારોગા રાય અને 18 વર્ષીય રાજેન્દ્ર રાયની હત્યા કરવાનો આરોપ છે. બંનેએ પ્રભુનાથ સિંહ દ્વારા સમર્થિત ઉમેદવારને મત આપ્યો ન હતો, તેથી બંનેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો

મૃતકના ભાઈ દ્વારા સાક્ષીઓને ધમકાવવાની ફરિયાદ પછી કેસને છપરાથી પટના ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જ્યાં તેની સુનાવણી થઈ હતી. કોર્ટે પુરાવાના અભાવે પ્રભુનાથ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. 2012માં પટના હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ પછી મૃતક રાજેન્દ્ર રાયના ભાઈ હરેન્દ્રએ બંને નિર્ણયોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એએસ ઓક અને જસ્ટિસ વિક્રમ નાથની ખંડપીઠે હાઈકોર્ટના નિર્ણયને બદલતા પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે કહ્યું કે સિંહ વિરુદ્ધ પૂરતા પુરાવા છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં બાકીના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

પ્રભુનાથ સિંહ જેલમાં છે

પ્રભુનાથ સિંહ હાલમાં 1995ના એક હત્યા કેસમાં સજા ભોગવી રહ્યા છે. મસરખના ધારાસભ્ય અશોક સિંહની 1995માં હત્યા કરવામાં આવી હતી જેમણે ચૂંટણીમાં પ્રભુનાથ સિંહને હરાવ્યા હતા. ચૂંટણી હાર બાદ પ્રભુનાથ સિંહે કથિત રીતે કહ્યું હતું કે તેઓ ત્રણ મહિનામાં અશોક સિંહને મારી નાખશે. અશોક સિંહની તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 2017માં પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હાલ તે જેલમાં સજા કાપી રહ્યા છે. રાજકારણમાં પ્રભુનાથ સિંહ પહેલા આનંદ મોહન સાથે હતા, પરંતુ પછી નીતિશ કુમાર સાથે જોડાયા. 2010માં નીતિશ સાથે વિવાદ બાદ પ્રભુનાથ સિંહ લાલુ યાદવ સાથે આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget