શોધખોળ કરો

RJD ના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહ ડબલ મર્ડર કેસમાં દોષિત જાહેર, સુપ્રીમ કોર્ટે પલટ્યો હાઇકોર્ટનો ચુકાદો

Supreme Court: RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે

RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ડબલ મર્ડર કેસમાં પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં નીચલી કોર્ટે પ્રભુનાથ સિંહને મુક્ત કર્યા હતા. આ પછી પટના હાઈકોર્ટે પણ નીચલી કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે પ્રભુનાથને દોષિત ઠેરવ્યા છે અને તેમને 1 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે બિહારના DGP અને મુખ્ય સચિવને આદેશ આપ્યો છે કે પ્રભુનાથને 1 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર કરવામાં આવે. 1 સપ્ટેમ્બરે પ્રભુનાથ સિંહની સજા પર ચર્ચા થશે. હાલમાં પ્રભુનાથ સિંહ હત્યાના અન્ય એક કેસમાં હજારીબાગ જેલમાં સજા કાપી રહ્યા છે.

બિહારની મહારાજગંજ લોકસભા બેઠક પરથી ત્રણ વખત જેડીયુ અને એક વખત આરજેડીના સાંસદ રહેલા પ્રભુનાથ સિંહ પર 1995માં મસરખમાં મતદાન કેન્દ્ર નજીક 47 વર્ષીય દારોગા રાય અને 18 વર્ષીય રાજેન્દ્ર રાયની હત્યા કરવાનો આરોપ છે. બંનેએ પ્રભુનાથ સિંહ દ્વારા સમર્થિત ઉમેદવારને મત આપ્યો ન હતો, તેથી બંનેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો

મૃતકના ભાઈ દ્વારા સાક્ષીઓને ધમકાવવાની ફરિયાદ પછી કેસને છપરાથી પટના ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જ્યાં તેની સુનાવણી થઈ હતી. કોર્ટે પુરાવાના અભાવે પ્રભુનાથ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. 2012માં પટના હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ પછી મૃતક રાજેન્દ્ર રાયના ભાઈ હરેન્દ્રએ બંને નિર્ણયોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એએસ ઓક અને જસ્ટિસ વિક્રમ નાથની ખંડપીઠે હાઈકોર્ટના નિર્ણયને બદલતા પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે કહ્યું કે સિંહ વિરુદ્ધ પૂરતા પુરાવા છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં બાકીના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

પ્રભુનાથ સિંહ જેલમાં છે

પ્રભુનાથ સિંહ હાલમાં 1995ના એક હત્યા કેસમાં સજા ભોગવી રહ્યા છે. મસરખના ધારાસભ્ય અશોક સિંહની 1995માં હત્યા કરવામાં આવી હતી જેમણે ચૂંટણીમાં પ્રભુનાથ સિંહને હરાવ્યા હતા. ચૂંટણી હાર બાદ પ્રભુનાથ સિંહે કથિત રીતે કહ્યું હતું કે તેઓ ત્રણ મહિનામાં અશોક સિંહને મારી નાખશે. અશોક સિંહની તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 2017માં પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હાલ તે જેલમાં સજા કાપી રહ્યા છે. રાજકારણમાં પ્રભુનાથ સિંહ પહેલા આનંદ મોહન સાથે હતા, પરંતુ પછી નીતિશ કુમાર સાથે જોડાયા. 2010માં નીતિશ સાથે વિવાદ બાદ પ્રભુનાથ સિંહ લાલુ યાદવ સાથે આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget